Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018
બાલકૃષ્ણ લાલજી હવેલીના મુખ્યાજી યશોદાનંદન વ્યાસ શ્રીજીરણ પામ્યા : સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા કાલે પુષ્પાંજલી અર્પણ

રાજકોટઃ શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીનાં મુખીયાજી શ્રી યશોદાનંદન કનૈયાલાલ વ્યાસ (ઉ.વ.૮૬) જે ચંદ્રેશભાઈ (રાજુભાઈ) મુખ્યાજી, મુકેશભાઈ તથા અલ્કેશભાઈનાં પિતાશ્રી તા.૧૨ના મંગળવારનાં દિને શ્રીજીચરણ પામેલ છે. સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આવતીકાલે તા.૧૪ના ગુરૂવારે શ્રી શ્યામકુવરભાઈ વાડી, દરબારગઢ નજીક સાંજે ૪ થી ૬ પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખેલ છે.

નિવૃત શિક્ષક લાભુબેન કોટેચાનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું રાજકોટઃ નિવૃત શિક્ષક લાભુબેન (લતાબેન) જેન્તીલાલ કોટેચા તે સ્વ.જયંતિલાલ પરસોત્તમભાઈ કોટેચાનાં ધર્મપત્નિ, તે હર્ષદ (સીએ) તથા ખ્યાતિનાં માતુશ્રી તે રચના તથા જીત પરેશભાઈ કક્કડનાં સાસુમા તથા નીપા, મિતેષ, નિરવ, ઉર્વીશા, યશનાં કાકીશ્રીનું દુઃખદ અવસાન તા.૧૨નાં રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આવતીકાલે તા.૧૪ ગુરૂવારનાં રોજ પંચનાથ મ

અવસાન નોંધ

 મોહનભાઇ પંચાસરા

રાજકોટઃ જામનગર નિવાસી ગુર્જર સુતાર મોહનભાઇ ગીરધરલાલ પંચાસરા (ઉ.વ.૭૭) (મુળ ખિલોસવાળા, હાલ જામનગર) તે શૈલેષભાઇ, બિમલભાઇ અને ભાવિનભાઇના પિતાશ્રી તથા સ્વ. ગોરધનભાઇ પોપટભાઇ ગોવિંદીયા (ગોંડલવાળા)ના જમાઇનું તા.૧૨ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારે  સાંજે ૫ થી ૫:૩૦ કલાકે, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

 જયાબેન ખંઢેળીયા

રાજકોટઃ આકોલા નિવાસી (મહારાષ્ટ્ર) સ્વ. કરશનદાસ ખંઢેળીયાના ધર્મપત્નિ જયાબેન કરશનદાસ ખંઢેળીયા જે રાજકોટ નિવાસી મગનલાલ પોપટલાલ. જોબનપુત્રા તેમજ રમણીકલાલ જગદિશભાઇ અશોકભાઇ હરેશભાઇના બહેનનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી ધારેશ્વર મંદીર (ભકિતનગર સર્કલ) ખાતે તા.૧૪ના રોજ સાંજે ૫ વાગ્યે રાખેલ છે.

 જયવંતભાઇ ચાવડા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના જયવંતભાઇ કેશવજીભાઇ ચાવડા (ઉ.વ.૯૨) તે સ્વ. રમેશભાઇ (આઇ.ટી.ઓ) ચમનભાઇ (બી.એસ. એન.એલ) હસમુખભાઇ, જયશ્રીબેન ગૌેતમભાઇ રાઠોડ (સુરત)ના પિતા, તુષાર, પ્રણવ, સંદીપના દાદા તા.૧૩ બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ ગુરૂવાર સાંજે ૫ થી ૬ દરજીની વાડી સાંગણવા ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન ગદા

વેરાવળ : કુસુમબેન ચંદ્રકાંતભાઇ (જીકાભાઇ) ગદા ઉ. ૭પ તે હિતેન્દ્રભાઇ (લાલાભાઇ), પરેશભાઇના માતુશ્રીનું તા. ૧રના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૪ ને ગુરૂવારે બપોરે ૪-૩૦ વાગ્યે બિલેશ્વર મહાદેવ મંદિર જલારામ ટોકીઝ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

રમાબેન ચાવડા

ધોરાજી : મચ્છુ-કઠીયા સઇ-સુતાર દરજી સ્વ. પરસોતમા ધરમશીભાઇ ચાવડાના ધર્મ પત્નિ રમાબેન, ઉ.વ.૮૫ તે મનસુખભાઇ કાન્તીભાઇ, ગીરીશભાઇ (સસ્તા અનાજના વેપારી) ના માતુશ્રી તથા ગગજીભાઇ બચુભાઇ ચાવડાના કાકીનું તા ૧૨ ના અવસાન થયેલ છે. બેસણું તા ૧૪ ને ગુરૂવારે દરજી જ્ઞાતિની વાડી, ચામડીયા કુવા ચોક પાસે, સાંજે ૪ થી ૫ રાખેલ છે.

વજીબેન કાચા

જુનાગઢ : શાપુર (સોરઠ) ના  કાચા વજીબેન નાનજીભાઇ તે નાનજીભાઇના પત્ની, પ્રફુલભાઇ, ગિરીશભાઇના માતુશ્રી તા. ૧૦ ના અવસાન થયેલ છે. બેસણું તા ૧૪ ને સાજે ૩ થી ૬, કડીયા સમાજ, શાપુર (સોરઠ) માં રાખેલ છે.

ખુમાનસિંહ સરવૈયા

ગોંડલ : પાંચિયાવદરના સ્વ.રવુભા જે સરવૈયા ના પુત્ર ખુમાનસિંહ (ઉ.વ.૫૧) ચામુંડા ફેબ્રીકેશન વાળા તે રાજેન્દ્રસિંહ ના ભાઇ, ધર્મશ્રાજસિંહ ના પિતા પુષ્પરાજસિંશ ના કાકા અજીતસિંહ પોટુભા ચુડાસમા (જતપુર) નિર્મલસિંહ છનુભા સરવૈયા (અમારેલી) મહિપતસિંહ પ્રભાતસિંહ ચુડાસમા (ખરેડા) ના કાકા ના દિકરા નું તા ૧૦ ને રવિવારના હરિદ્વાર મુકામે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પાંચિયાવદરમાં રાખેલ છે.

રશ્મિકાંત ઠાકર

રાજકોટ : વાલમ બ્રાહ્મણ સ્વ. બાવાલાલભાઇ માવજીભાઇ ઠાકરના મોટાપૂત્ર રશ્મિકાંત ઠાકર (નિવૃત્ત જીઇબી) તે દિવાનભાઇ ઠાકર (નિવૃત્ત જીઇબી), પંકજભાઇ ઠાકર તથા નરેન્દ્રભાઇ ઠાકર (નિવૃત્ત શિક્ષક) તેમજ યોગેશ ઠાકરના મોટાભાઇનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૪ ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ 'હેમવાડી' જુનો સીમેન્ટ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

ડો.સુરેશચંદ્ર મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભાવનગર, ડો.સુરેશચંદ્ર જીવરામભાઈ મહેતા (ઉ.વ.૭૫) (નિવૃત આર.એમ.ઓ.તાપીબાઈ હોસ્પિટલ- ભાવનગર) તે સ્વ.ત્રંબકલાલ બી.જોશી, જુનાગઢના જમાઈ અને સ્વ.પ્રમોદભાઈ જોશી, ભરતભાઈ જોશી તથા મહેશભાઈ જોશીનાં બનેવીનુું તા.૧૧ને સોમવારનાં રોજ ભાવનગર મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ ગુરૂવારનાં રોજ તેમનાં નિવાસસ્થાન પ્રભુદાસ તળાવ ખેડુતવાસ, ખ્રિસ્તી દવાખાના પાસે, ભાવનગર મુકામે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

લાભશંકર ભટ્ટ

રાજકોટઃ લીલાપર (મોરબી) ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ લાભશંકર નટવરલાલ ભટ્ટ તે પ્રધ્યુમનભાઈ તથા દુર્લભજીભાઈના જયેષ્ઠ બંધુ તથા રમણીકલાલ, ગુણવંતરાય, હર્ષદરાય, રાજેન્દ્રભાઈ, યજ્ઞેશભાઈ, કૌશિકભાઈ તથા નયનાબેનના પિતાશ્રી તેમજ કોટડા નાયાણી વાળા સ્વ.હરજીવનભાઈ ગંગારામભાઈ પંડ્યાના જમાઈનું કૈલાશ ગમન તા.૧૧ સોમવારે થયેલ છે. જેમનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા.૧૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ લીલાપર મુકામે રાખેલ છે.

રમેશચંદ્ર જોષી

રાજકોટઃ મુળ અમરેલી હાલ રાજકોટ નિવાસી, રમેશચંદ્ર મણિશંકર જોષી (પ્રોફેસર, કમાણી સાયન્સ કોલેજ, અમરેલી) (ઉ.વ.૭પ) તે જસુમતીબેનના પતિ તથા ડો.અમિતાભ જોષી (પ્રિન્સીપાલ બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજ, રાજકોટ), નિકુંજભાઇ જોષી, ક્ષિતીબેન પંડયાના પિતાશ્રી તેમજ સ્વ.દક્ષાબેન અમિતભાઇ જોષી, પારૂલબેન નિકુંજભાઇ જોષી તેમજ હિમાંશુકુમાર સી. પંડયાના સસરા તથા દુમા, જીહવા અને ખ્યાતના દાદા, તે મલ્હારના નાના તથા મણીશંકર સવજીભાઇ જોષી (કેરીયાવાડ)ના પુત્ર તેમજ  વડોદરા નિવાસી સ્વ.ડો.દુલ્લભરાય ઠાકરનાં સાળા તેમજ સ્વ.જયાબેન દુલ્લભરાય ઠાકરનાં ભાઇનું તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, આલોક, રવી રાંદલ પાર્ક, શ્રી પાર્ટી પ્લોટ સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, શીતલ પાર્ક બીઆરટીએસ પાસે રાખેલ છે.

દિવ્યેશભાઇ રાજપરા

રાજકોટઃ જેતપુરઃ (ભગત સોની) સ્વ.હરીલાલ મોહનલાલનાં દોહિત્ર દિવ્યેશભાઇ પ્રફુલચંદ્ર રાજપરા-ખરેડી વાળા (ઉ.વ.૩૮) તે હરસુખલાલ હરીલાલ કડેચા, હરકિશનભાઇ (શૃંગાર જવેલર્સ વાળા) તથા દિનેશભાઇ, શૈલેષભાઇ તથા નિતીનભાઇનાં ભાણેજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે.

લલિતચંદ્ર ધીનોજા

રાજકોટઃ સોની સ્વ.પ્રતાપરાય શિવચંદ ધીનોજા (ધોરાજી વાળા)ના પુત્ર લલિતચંદ્ર પ્રતાપરાય ધીનોજા (ઉ.વ.૭૬) હાલ રાજકોટ તે જયંતભાઇ, પ્રવિણભાઇ તથા શીરીષભાઇના મોટાભાઇ તે સંજયભાઇ અને હિતેશભાઇના પિતાશ્રી તા.૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ૮૦ ફુટ રોડ ખાતે રાખેલ છે.

શાંતીભાઇ કારેલીયા

રાજકોટઃ મૂળ થોરીયાળી હાલ રાજકોટ નીવાસી રાજેશભાઇ શાન્તીલાલ કારેલીયાના પિતાશ્રી શાંન્તીભાઇ રવજીભાઇ કારેલીયા તા.૧રના વૈકુંઠધામ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે પ થી ૬-૩૦, નિલકંઠ મહાદેવ મંદિર, ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડ, પ્રેમ મંદિર પાછળ રાખેલ છે.