Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019
અવસાન નોંધ

માર્કડરાય ત્રિવેદીનું દુઃખદ અવસાનઃ આજે સાંજે પ્રાર્થનાસભા

રાજકોટઃ માર્કડરાય નર્મદાશંકર ત્રિવેદી (નિવૃતિ એ.જી. ઓફીસ) તે મીરાબેન લલીતકુમાર ઓઝા, અરૂણભાઇ ત્રિવેદી (ફુલછાબ)ના પિતાશ્રી જયસુખભાઇ ત્રિવેદી, સ્વ. શશીકાંતભાઇ ત્રિવેદી, યોગેશભાઇ અને કિશોરભાઇ ત્રિવેદી (આર્કીટેક)  રંજનબેન ઓઝા (પુના), દેવીબેન ત્રિવેદી, બકુલાબેન ત્રિવેદીના ભાઇ ચિ. પ્રાચી, ચિ. ખુશાલીના દાદાનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૩ને સોમવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વચ્ચે રામેશ્વર મંદિર રામેશ્વર ચોક ખાતે રાખવામાં આવેલ છે.

અંબિકા સાઉન્ડવાળા હિમાંશુ દાવડાના માતૃશ્રીનુ દુઃખદ નિધનઃ સવારે અંતિમયાત્રા

રાજકોટ : હિમાંશુ દાવડા(અંબિકા સાઉન્ડ વાળા)ના માતૃશ્રી સ્વ. ઉષાબેન રમેશભાઈ દાવડા નું દુઃખદ અવસાન થયેલ છે તેમની અંતિમ યાત્રા આજે સોમવારે સવારે ૮ તેમના નિવાસ અનમોલ એપાર્ટમેન્ટ, પ્રગતિ હોસ્પિટલ ની સામે, ૧૨, મનહર પ્લોટ, રાજકોટ ખાતેથી નીકળી હતી.

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય-કૃષિ મંત્રી કનુભાઇ ભાલાળાના માતુશ્રીનુંઅવસાન

વિસાવદર : ભેસાણ વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રીશ્રી કનુભાઇ ભાલાળાના માતુશ્રી અમૃતબેન મેપાભાઇ ભાલાળાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાન યાત્રા આજરોજ તા. ૧૩/૫/૧૯ ના બપોરના ૩ કલાકે તેમના નિવાસ સ્થાન કાલાવડ તા. વિસાવદર ખાતેથી નિકળશે.

ભીખાલાલ મકવાણા

રાજકોટઃ લુહાર મકવાણા (ઉપલેટાવાળા) ભીખાલાલ નાનજીભાઈ મકવાણા (ઉ.વ.૮૦) તે સુરેશભાઈ, કિરણભાઈ, નયનાબેન યોગેશકુમાર સિધ્ધપુરા અને શોભનાબેન ભરતકુમાર પરમારના પિતાશ્રી કૃણાલભાઈ, કેવિનભાઈ, કેયુરભાઈ, હિરલબેનના દાદા તથા દુર્લભજીભાઈ રણછોડભાઈ પરમાર (સાવરકુંડલાવાળા)ના જમાઈનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને સોમવાર સાંજે ૪:૩૦ થી ૬, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

હાર્દિક કેશરિયા

ત્રંબા (કસ્તુરબા ધામ): હાર્દિક મહેન્દ્રભાઇ કેશરિયા (ઉ.વ.રપ) તે હસમુખભાઇ નરભેરામભાઇ કેશરીયાના નાનાભાઇ જે સ્વ.મહેન્દ્રભાઇ નરભેરામભાઇ કેશરીયાના પુત્રનું  તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૩ને સોમવારે સાંજે પ થી ૬ ખોડીયાર હોલ ત્રંબા રાખેલ છે.

નરશીભાઇ જેઠવા

ખંભાળીયા : સામોર (તા.ખંભાળીયા) નિવાસી કિર્તન મંડળના સભ્ય વાંઝા દરજી નરશીભાઇ કરશનભાઇ જેઠવા (ઉ.વ. ૬૯) તા. ૧૧ના રોજ ગોપાલ ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૩ સોમવારના રોજ ૪ થી ૪-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને સામોર ખાતે રાખેલ છે.

રાજુભા ગોહિલ

ચરખડી : રાજુભા માધુભા ગોહિલ (ઉ.વ. ૫૪) તે ભગતસિંહ તથા નટુભા ના ભાઇ તેમજ મનોહરસિંહ તથા સુખદેવસિંહના પિતાશ્રીનું તા. ૬ ને સોમવાર નારોજ અવસાન પામેલ છે.

મુકતાબેન પારેખ

ગોંડલ  :  મુકતાબેન ભીખાલાલ પારેખ (ઉ.વ.૮૭), તે ભીખાલાલ દુર્લભજી પારેખના પત્ની, દિલીપભાઇ, દેવેન્દ્રભાઇ, રાજુભાઇ ના માતા, રવિભાઇ, જીગ્નેશભાઇ, ચિંતનભાઇના દાદી તેમજ ઘુસાલાલ ભવનભાઇ મૂલીયા ના પુત્રીનું તા. ૧૨ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૩ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, મહાદેવ વાડી, ગોંડલ ખાતે રાખેલ છે, પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

છોટાલાલ ચોટાઈ

રાજકોટઃ મુળ ખાગેશ્રી હાલ જામનગર નિવાસી છોટાલાલ તુલસીદાસ ચોટાઈ (ઉ.વ.૮૦) તે સ્વ.તુલસીદાસ જાદવજી ચોટાઈના પુત્ર તથા સમિર, દર્શિત તથા લીનાના પિતા તેમજ સ્વ.કેશવલાલ તથા ભોગીલાલ તુલસીદાસ ચોટાઈના ભાઈ તથા સ્વ.વલ્લભદાસ વસનજી તન્નાના જમાઈ તા.૧૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૩ને સોમવારના રોજ ૪ થી ૪:૩૦ પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

બચુભાઈ મારડીયા

રાજકોટઃ વરીયાવંશ પ્રજાપતિ મારડીયા બચુભાઈ પદ્માભાઈ (જૂનાગઢ) રહે રાજકોટ રજનીકાંતભાઈ મારડીયા, નીલેશભાઈ મારડીયા તથા મનીષાબેન મુકેશભાઈ જોટાણીયાના પિતાશ્રીનું અવાસાન તા.૧૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કોઠારીયા ગામ ગદાઘર સોસાયટીના નિવાસ સ્થાને તેમજ તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મુકતેશ્વર મંદીર કૌલાશનગર ખાતે રાખેલ છે.(૩૦.૯)