Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019
આંબલા બુનિયાદી શિક્ષણના હિમાયતી અનિલભાઇ ભટ્ટનું અવસાન

ભાવનગર : બુનિયાદી શિક્ષણના ચુસ્ત અને સફળ હિમાયતી શ્રી અનિલભાઇ ભટ્ટનું આંબલા ખાતે તેમના નિવાસ સ્થાને આજે અવસાન થયું છે.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અને ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારના મોભી રહેલા શ્રી અનીલભાઇ ભટ્ટ નઇ તાલીમ બુનિયાદી શિક્ષણના ચુસ્ત અને સફળ હિમાયતી રહયા. શિક્ષક તરીકેના વલણ સાથે વિવિધ હોદાઓમાં રહયા.

છેલ્લા થોડા સમયથી કથળેલા સ્વાસ્થયમાં પણ ગ્રામવિકાસ, સંસ્થા અને  શિક્ષણ તેમના લઢણમાં જ રહેલા. વર્ષ ૧૯૩૦ માં જન્મેલા શ્રી અનિલભાઇ ભટ્ટને બે પુત્રો શ્રી ચૈતન્યભાઇ ભટ્ટ (ઢેઢુકી) અને  શ્રી મેહુલભાઇ ભટ્ટ (આંબલા) છે.

આજે બપોરે તેઓ ૯૦ વર્ષની ઉંમરે અવસાન પામ્યા. સ્વર્ગસ્થની અંતિમયાત્રામાં શૈક્ષણીક અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓના અવસાનથી બુનિયાદી શિક્ષણ માટે ખોટ પડી છે.

અવસાન નોંધ

વસંતબેન જમનાદાસભાઈ જાનીનું ૧૦૧ વર્ષની વયે નિધનઃ કાલે બેસણું

રાજકોટઃ ઔદિચ્ય હડીયાણા ચોવીશી બ્રાહ્મણ હીરાબેન પ્રમોદરાય વ્યાસનાં માતુશ્રી તથા ઋષી પ્રમોદરાય વ્યાસ તેમજ સંજય પ્રમોદરાય વ્યાસનાં નાનીમાં શ્રીમતી વસંતબેન જમનાદાસ જાની (ઉ.વ.૧૦૧)નું તા.૧૧ ગુરૂવારનાં રોજ નિધન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા બેસણું આવતીકાલે શનીવાર તા.૧૩નાં સાંજે ૫ થી ૬ કલાકે  રેવા નિવાસ, ૩/૧૦, મીલપરા કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે.

મધુસુદન શાસ્ત્રી

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ મેવાસા હાલ રાજકોટ ભાગવતાચાર્ય શ્રી મધુસુદન શાસ્ત્રીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩ને શનિવારે સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, ૧/૬ શ્રી રામપાર્ક, આત્મિય કોલેજ સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે અને જેતપુર તાલુકાના મેવાસા મુકામે શનિવાર તા. ૧૩ના સાંજે ૩ થી ૫ રાખેલ છે.

મંજુલાબેન પંડયા

કુતિયાણા : મંજુલાબેન રમણીકલાલ પંડયા (ઉ.વ.૮પ), તે વકીલ સ્વ. રમણીકલાલ સી. પંડયાના પત્ની તેમજ રવિકાન્તભાઇ અને એડવોકેટ રસીકભાઇના માતુશ્રીનું તા. ૧૧મીએ અવસાન થયું છે. ઉઠમણું આજે તા. ૧રમીએ સાંજે ૪ થી પ હોળી ચકલા તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રવુભા જાડેજા

રાજકોટઃ મીતાણા સ્વ.રવુભા કનુભા જાડેજા (ઉ.વ.૭૪) તે સજુભા કનુભાના મોટાભાઈ તથા શિવરાજસિંહ જાડેજાનાં પિતા તથા દિપકસિંહનાં મોટાબાપુ તા.૧૧ને ગુરૂવારનાં રોજ રામચરણ પામેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૧૮ને ગુરૂવારના રોજ મીતાણા મુકામે રાખેલ છે.

ડાયાભાઇ હિરાણી

રાજકોટઃ વાણંદ - ડાયાભાઇ પોપટભાઇ હિરાણી (ઉ.વ.આ. ૭પ)નું તા.૧૧ને ગુરૂવારે અવસાન થયેલ છે. તે ધર્મેશભાઇ તથા અશોકભાઇના પિતાશ્રી તથા ભીમજીભાઇ તથા કાંતિભાઇના નાનાભાઇતથા નાનજીભાઇ સીદીભાઇ મારૂના જમાઇનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬, તુલસી બાગ બગીચો, સોમનાથ સોસાયટી, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાછળ રાખેલ છે.

રમણીકભાઇ પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતી (કોઠારીયા વાળા) રમણીકભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૭૪) તે સ્વ.નવલશીભાઇ સ્વ.જેન્તીભાઇ તથા વસંતભાઇના ભાઇ તથા મહેશભાઇ, રાજેષભાઇ, સુધીરભાઇ, મયુરભાઇનાં પિતાશ્રીનું  તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને શનિવારે ૪ થી ૬, ફળેશ્વર મહાદેવ મંદિર બજરંગવાડી ખાતે રાખેલ  છે. તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

તારાબેન મણીયાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય તારાબહેન રમણીકલાલ મણીયાર (ઉ.વ.૮૮) તે સ્વ.વિઠ્ઠલદાસ ડાહ્યાભાઇ મણીયારનાં નાના ભાઇના ધર્મપત્ની તેમજ સ્વ.ગોપાલદાસ, જયસુખભાઇ તથા ધર્મેન્દ્રભાઇ મણીયારનાં કાકી અને ભારતીબહેન દિનેશકુમાર પડીયા તથા ભાવનાબહેન દિવ્યેશકુમાર છાટબારનાં માતુશ્રી અને ગોપીબહેન પિયુષકુમાર કલોલીયાનાં દાદીમાંનું તા.૭ના મોરબી ખાતે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી (બેસણું) તા.૧૩ને શનીવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી - પેડક રોડ ખાતે રાખેલ છે.

નરશીભાઇ ગોંડલીયા

રાજકોટઃ બાલભડી નિવાસી નરશીભાઇ વીરજીભાઇ ગોંડલીયા તે તુલશીભાઇ, નિલેષભાઇ, સંજયભાઇના પિતાશ્રી, શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા.૧રના શુક્રવારે સાંજે ૪ થી ૬ પ્રીયદર્શની સોસાયટી શેરી નં.૪, મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર રાણપુરા

રાજકોટઃ સ્વ. સોની અમૃતલાલ કાનજીભાઇ રાણપુરા (પડધરી વાળા)ના પુત્ર સોની રમેશચંદ્ર અમૃતલાલ રાણપુરા (ઉ.વ.૭૧) તે મિલનભાઇના પિતાશ્રી તે હરેશભાઇ, યજ્ઞેશભાઇ, પ્રફુલ્લભાઇ, ગિરીશભાઇ તથા સ્વ.રાજેશભાઇના મોટા ભાઇ તા.૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર પડધરી ખાતે રાખેલ છે.

મુકતાબેન દેગડા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર નવનીતભાઇ હરજીવનભાઇ દેગડાના માતુશ્રી તથા રિષભ નવનીતભાઇ દેગડાના દાદીશ્રી મુકતાબેન હરજીવનભાઇ દેગડા (ઉ.વ.૮૮) તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ના શનિવારે સાંજે ૪ થી ૬, કિરણ સોસાયટી શેરી નં.૭, કાશી વિશ્વનાથ મંદિરમાં, હુડકા કવાટર પાછળ રાખેલ છે.

સોની રમેશચંદ્ર રાણપુરા

રાજકોટઃ ખરેડી (રાજકોટ) નિવાસી સોની વિરચંદભાઈ દેવચંદભાઈ રાજપરાના જમાઈ તે સ્વ.મનહરભાઈ, અરવિંદભાઈ, તનસુખભાઈનાં બનેવી સોની રમેશચંદ્ર અમૃતલાલ રાણપુરા (પડધરીવાળા) (ઉ.વ.૭૧) તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી તા.૧૩ના શનિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યે સ્વાશ્રય કોમ્યુનિટી હોલ, મવડી મેઈન રોડ રાજકોટ મુકામે રાખેલ છે.

રાજેન્દ્રકુમાર અગ્રવાલ

રાજકોટઃ નિવાસી રાજેન્દ્રકુમાર હરચંદરાય અગ્રવાલ તે વેદપ્રકાશ, સીતારામભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ, પવનકુમારના ભાઈ અને જયેશના પિતાશ્રીનું તા.૯મંગળવારના  રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. સ્થળઃ કાશી વિશ્વનાથ મંદીર, ૭, કિરણનગર હુડકો કવાર્ટર પાસે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ

ભગવતીપ્રસાદ  દવે

રાજકોટઃ હળવદ નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય બ્રાહ્મણ ભગવતીપ્રસાદ (નાનાલાલ) લાભશંકર દવે (ઉ.વ.૬૯) તે મિતલ દુષ્યંતભાઈ ભટ્ટ તથા મમતાબેનના પિતાશ્રી તથા ઘનશ્યામભાઈના ભાઈ અને અશ્વિનભાઈ, યોગેશભાઈ, કિરીટભાઈ (અંકુર પ્રેસ), સ્વ.મુકેશભાઈના બનેવીનું તા.૧૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શનિવાર સાંજે ૫ થી ૬, હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

કાશીબેન બરાસરા

મોરબીઃ ટંકારા હમીરપર નિવાસી કાશીબેન અંબારામભાઇ બરાસરા (ઉ.વ.૮૭) તે સુખદેવભાઇ , ચંદુભાઇ, ગોપાલભાઇ , રવિશંકરભાઇ , લાભશંકરભાઇ તેમજ જશુબેનના માતા તા. ૧૧ ને ગુરૂવારે રામચરણ  પામેલ છે. બેસણુ તા. ૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન હમીરપર ગામ તા.ટંકારા ખાતે રાખેલ છે.

જયદિપભાઇ અભાણી

ગોંડલ : જયદીપ  કિશોરભાઇ અભાણી( ઉ.વ. ૨૨) સ્વ. કિશોરભાઇના પુત્ર અને અશોકભાઇના મોટાભાઇ તે મોહનભાઇના ભત્રિજાનુ તા.૧૦ના અવશાન થયેલ છે. બેસણુ તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સોની મહાજનવાડી , સ્ટેશન પ્લોટ શેરી નં. ૬ ગોંડલ મુકામે રાખેલ છે.

શાંતાબેન વોરા

રાજકોટઃ  નિવાસી મોઢવણિક ગંગાસ્વરૂપ શાંતાબેન જે સ્વ.વલ્લભદાસ વોરાના ધર્મપત્નિ અને બેંક ઓફ ઈન્ડીયાવાળા કીરીટભાઈ વોરાના અને બેરીંગવાળા ભરતભાઈ વોરાના માતુશ્રી તેમજ એલ.આઈ.સી. એજન્ટ કેતનભાઈ વોરાના દાદીમા તેમજ  વિભૂતિ, પ્રિશા, અનવેશાના દાદીમાં તથા પ્રતિકભાઈ તેમજ પવિત્રાના દાદીમાં તેમજ ઉર્મિલાબેન તથા હર્ષિદાબેનના સાસુનો સ્વર્ગવાસ તા.૧૧ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ના રોજ સાંજે ૫ થી ૬ નહેરૂનગર સોસાયટીની ઓફીસ, નહેરૂનગર સોસાયટી મેઈન રોડ, નાના મવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રેશભાઇ કલોલીયા

રાજકોટ : ચંદ્રેશભાઇ વલ્લભભાઇ કલોલીયા (જયંતિભાઇ) મૂળ કચ્છના ગૌરવ તેમજ વિશાલના પિતાશ્રી, નાગરદાસ પોપટલાલ રાધનપુરા (લુણસરવાળા), ગીરીશભાઇ અડેસરા તથા વિજયભાઇ રાણપરાના સસરા તા. ૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

પ્રવિણચંદ્ર દોશી

જુનાગઢ : જુનાગઢ  નિવાસી  પ્રવિણચંદ્ર મુલચંદ દોશી (લઘુભાઇ) ઉ.વ.૮૨ તે રમાબેનના પતિ, C.A. કેતન દોશી તથા અંજલીબેન અમિતભાઇ દોશી (મુંબઇ) ના પિતા તથા મધુભાઇ, પ્રફુલભાઇ, પ્રદિપભાઇ, સ્વ. ભરતભાઇ, વિજયભાઇ, અજયભાઇના મોટાભાઇ તા. ૧૧ ને ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે.

સદ્ગતનું ઉઠમણું તા. ૧૩ ને શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે તથા પ્રાર્થના સભા સવારે ૧૧.૦૦ કલાકે સ્થા.જૈન સંઘની વાડી, મહેતા નિદાન કેન્દ્ર, ઉપરકોટ પાસે, જુનાગઢ મુકામે રાખેલ છે.

આદમઅલી માકડા

રાજકોટઃ આદમઅલી ઇબ્રાહીમજી માકડા (વજીહી) (ઉ.વ.૧૦૧) (ખાદીગ્રામ ઉદ્યોગવાળા) તે નુરૂદીનભાઇ, ફખરૂભાઇ (માઇકવાળા) સૈફુદીનભાઇ, ઝહેરાબેન (અમરેલી) મરહુમ બતુલબેન (સુરત), સારાબેન (વઢવાણ)ના બાવાજી તા.૧૧ને ગુરૂવારે ગુજરી ગયા છે. મરહુમના જયારતના સીપારા કુત્બી મસ્જીદમાં તા.૧૩ શનીવારે ઝોહરની નમાઝ બાદ રાખેલ છે.

શારદાબેન વ્યાસ

રાજકોટઃ નિવાસી શાંતિલાલ મુળજીભાઈ વ્યાસના ધર્મપત્નિ શારદાબેન શાંતિલાલ વ્યાસ (ઉ.વ.૬૫) જે હિરેનભાઈ, દિપેશભાઈ, શ્વેતાબેનના માતુશ્રી તથા નાથુભાઈ અને રસીકભાઈ સુરેજાના બહેનશ્રીનું તા.૧૨શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાને 'શ્રીકુળદેવીકૃપા' એ-૩૧-૩૨, ડબલ્યુઈ- ૮૮ બંગ્લોઝ, વર્ધમાનનગર, એસ.આર.પી. કેમ્પ ઘંટેશ્વર પાસે, રાજકોટ ખાતે તા.૧૫ સોમવાર સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. (મો.૯૨૨૭૬ ૧૧૦૪૪)

ધીરજબેન પાટડીયા

રાજકોટઃ સ્વ.હરજીવનભાઈ લવજીભાઈ પાટડીયા (વાંકાનેરવાળા)ના ધર્મપત્ની રાજુભાઈ તથા નિલેશભાઈના માતુશ્રી જીજ્ઞેશ, યતીન, વિવેકના દાદી મનહરલાલ ચતુરદાસ ફીચડીયા તથા નગીનદાસ ચતુરદાસ ફીચડીયા (સરા વાળા)ના બહેન ધીરજબેન હરજીભાઈ પાટડિયા (ઉ.વ.૭૬)નું અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું શનિવાર તા.૧૩ના ખીજડાવાડી યુનિટ નં-૧, કોઠારિયા નાકા, સાંજે ૩:૩૦ થી ૫ રાખેલ છે.