Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019
અમદાવાદના પારસ પેપર્સના મોહનલાલ મહેતાનું ૯૪ વર્ષની વયે દુઃખદ નિધનઃ આવતીકાલે ગુરૂવારે અમદાવાદમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ પારસ પેપર્સ-અમદાવાદ અને મહેતા ઓવરસીઝ-અમદાવાદના સ્વ.શ્રી મોહનલાલ ડાલચંદજી મહેતા (ઉ.વ.૯૪) તે શ્રી માંગીલાલજીના ભાઇ તથા શ્રી ઓમપ્રકાશ, શ્રી બાબુલાલ, શ્રી પારસમલના પિતાશ્રી તેમજ શ્રી કેશરીમલ, શ્રી જીવરાજ, શ્રી અમૃત, શ્રી દલપતના કાકા તથા શંકર, દિનેશ, હેમાંગ, મયુર, લક્ષીતના દાદાનું તા.૮ના અમદાવાદ મુકામે દુઃખદ નિધન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૧૩ના ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ વાગે પગડી દસ્તુર, બપોરે ૧:૩૦ વાગે સરદાર સ્મારક ભવન, સરકીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ મુકામે રાખેલ છે. શ્રી  ઓમપ્રકાશભાઇ મહેતા ગુજરાત જ નહિ દેશભરમાં ન્યુઝપ્રીન્ટનો સૌથી મોટા વિક્રેતાઓ માહે ટોચનું સ્થાન ધરાવે છે. અકિલા પરીવારે ૨ મીનીટ મૌન પાડી સ્વ. મોહનલાલભાઇને હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલી પાઠવી હતી.

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રભાબેન વસોયાના માતુશ્રી કુંવરબેનનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટઃ શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, નાગરીક બેન્કના ઓફિસર તેમજ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના મંત્રી પ્રભાબેન અને મનસુખભાઈ, જેન્તીભાઈ, ધીરજભાઈના માતુશ્રી કુંવરબેન બાબુલાલ વસોયા (ઉ.વ. ૮૭)નું તા. ૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ કાલે તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે બ્રાહ્મણ બોર્ડીંગ, ગોપાલનગર શે. નં. ૯, ડો. રાજાણીના દવાખાના પાસે, સૂર્યમુખી હનુમાન મંદિર સામે રાખેલ છે.

'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમના ગૃહમાતા પન્નાબેન પરીખનું કાલે બેસણું

રાજકોટઃ 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ ઢોલરા ખાતે છેલ્લા ૨૩ વર્ષથી ગૃહમાતા તરીકે ફરજ બજાવતા પન્નાબેન પ્રફુલચંદ્ર પરીખ (ઉ.વ. ૬૧) તે વસંતલાલ અમૃતલાલ પરીખ મૂળ - સચાણાના પુત્રવધુ તે નિલેશ વસંતભાઈ પરીખ તેમજ રાજેશ બિપીનચંદ્ર પરીખના ભાભી અને જામનગર નિવાસી હાલ અમદાવાદ કિર્તીભાઈ નારણદાસ દેસાઈની બહેનનું તા. ૧૧ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ મોઢ બોર્ડિંગ, ૫-રજપુતપરા ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

પ્રજાપતિ જડીબેન આણંદભાઇ

 રાજકોટ : પ્રજાપતિ જડીબેન આણંદભાઇ રૂડકિયા ઉ.વ.૮૮ તે હસમુખભાઇ તથા ધીરૂભાઇ રૂડકિયા તથા કાંતાબેન અને ભારતીબેન, સ્વ. દિલીપભાઇ ના માતુશ્રીનું તા. ૧૧/૬/૧૯, મંગળવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા ૧૩/૬/૧૯ ગુરૂવાર સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાન સંતકબીર રોડ, કબીરવન સોસાયટી,ભાગ-ર માંચામુંડાકૃપા, ધીરૂભાઇ રૂડકિયા નિવાસસ્થાને રાખેલ છે.

વિજયાબેન જાવીયા

રાજકોટઃ ગામ પડાણા હાલ રાજકોટ નિવાસી અક્ષરનિવાસી વિજયાબેન યશવંતરાય જાવિયા (ઉ.વ.૬૮) તે અ.નિ. યશવંતરાય વી. જાવિયાના ધર્મપત્ની તેમજ કેતનભાઇના માતુશ્રી અને ધર્મના દાદીમાંનું તા.૧૦ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે પ થી ૭, ભકિત હોલ, સહકાર મેઇન રોડ ખાતે રાખેલ છે.

નયનાબેન દક્ષિણી

મોરબી :  માથકવાળા સ્વ. ચત્રભુજ ગંગારામ સોમૈયાના પુત્રી નયનાબેન અશોકકુમાર દક્ષીણી (ઉ.વ.૫૬)નું તા. ૮ ને શનિવારે થાનગઢ મુકામે અવસાન થયેલ છે, જેમની સાદડી તા. ૧૩ ને ગુરૂવારે સવારે ૯.૩૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

મધુબેન પરમાર

રાજકોટઃ મધુબેન માવજીભાઇ પરમાર (ઉ.વ.૧૧૬) તે રામજીભાઇ માવજીભાઇ પરમાર, વાલજીભાઇ માવજીભાઇ પરમાર, વિરજીભાઇ માવજીભાઇ પરમાર તથા ભૂપતભાઇ માવજીભાઇ પરમારનાં માતુશ્રી તા.૯ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ નાંધુ પીપડીયા, (તા. લોધીકા) ખાતે રાખેલ છે.

રતિભાઇ સોની

કમળાપુરઃ સોની રતિભાઇ ોપટભાઇ ધોરડા (ઉ.વ.૮૪) તા.૯ના અક્ષરધામ પામેલ છે. તેઓ મૂકેશભાઇ તથા જયોતિબેન, ઉષાબેન, શિલ્પાબેનના પિતાશ્રી થાય તેમજ પૂજાબેન મૂકેશભાઇના સસરા તથા કેયુરના દાદાનું બેસણું તા.૧૩ને ગુરૂવારે કમળાપુર મુકામે ૪ થી ૬ રાખેલ છે. ઉતરક્રિયા ઘરમેળે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ છે)

ફાતેમાબેન હકીમજી

રાજકોટઃ ફાતેમાબેન હકીમજી અરસઇવાલા તે મરહુમ હાતીમભાઇરસુલભાઇ મોદી (જવાહર ગેરેજ વાલા)ના બૈરો તથા મોહસીનભાઇ, શીરીનબેન અને બતુલબેનના ભાભી તથા  મરહુમ અબ્દુલકરીમ હકીમજી, અકબરભાઇ તથા સુગરાબેનના બહેન તા.૧૧ના ગુજરી ગયેલ છે. તેમની જયારતના સીપારા તા.૧રના બુધવારે રાત્રે મગરીબની નમાઝ બાદ ૮ વાગે સૈફીકોલોની મવાઇદ (બેડીપરા)માં રાખેલ છે.

કાંન્તીભાઇ ગોસ્વામી

રાજકોટઃ કાન્તીપરી આનંદપરી ગોસ્વામી (ઉ.વ.ર૧) તે આનંદપરી બાબુપરી  ગોસ્વામીના પુત્ર અને કાનાપરી તથા જીવનપરીના નાનાભાઇ તા.૯ના કૈલાસવાસ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા, બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજના ૪ થી ૬, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ સોસાયટી, અંબા ખોડિયાર મંદિરની પાછળ, ઢેબર રોડ, ખાતે રાખવામાં આવેલ છે. તથા શંખઢોળ વિધિ, શકિતપૂજન તા.૧૪ને શુક્રવારે જવાહર સોસાયટી શેરી નં.ર, બોલબાલા માર્ગ ખાતે રાખવામાં આવેલ છે.

દયારામભાઇ વ્યાસ

રાજકોટઃ વ્યાસ દયારામભાઇ વસરામભાઇ (ઉ.વ.૭૪) હાલ રાજકોટ મુળ સુલતાનપુર (ઘુડશીયા)નું તા.૧૦ના અવસાન થયેલ છે. તેઓ વ્યાસમહેશભાઇતથા વ્યાસ મુકેશભાઇતથા વ્યાસ નિલેશભાઇના પિતાશ્રી, વ્યાસવિનુભાઇતથા વ્યાસ રસીકભાઇ તથા વ્યાસ શૈલેષભાઇના મોટાભાઇ, બકરાણીયા દલપતભાઇતથા બકરાણીયા મનસુખભાઇતથા બકરાણીયા જયસુખભાઇતથા બકરાણીયારમેશભાઇના બનેવી, નયનાબેન નિલેશભાઇના પિતાનું બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજના ૪ થી ૬ ખોડીયારનગર, શેરી નં.૧/૭નો ખુણો, પાવર હાઉસની બાજુમાં, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

મહેશભાઇ વસાવડા

મોરબી : મહેશભાઇ વિદુરકાન્ત વસાવડા, તે વર્ષાબેનના પતિ, કર્મજ્ઞના પિતા તેમજ વંદનાબેન, મીતાબેન, છાયાબેેનના ભાઇ તથા તેજસ અને સ્મીતના મામાનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૩ ના રોજ સાંજે ૪ થી ૬ રીલીફ નગર, યોગેશ્વર મહાદેવ મંદિર, મોરબી ખાતે રાખેલ છે.

મહેશભાઇ ચંડીભમ્મર

મોરબી : મહેશભાઇ પરસોતમભાઇ ચંડીભમ્મર, તે સ્વ. પરસોતમભાઇ માધવજીભાઇ, જેતપુર વાળાના પુત્ર, સ્વ. કેશુભાઇ જયંતીભાઇ અને હસુભાઇના ભાઇ તથા જનકભાઇ (ાગાયત્રી મોબાઇલ) તેમજ વૈશાલી વિમલકુમાર અને કવિતા રવિકુમાર સોમૈયાના પિતાનું તા. ૧૦ ને સોમવારે અવસાન થયેલ છે, જેમનું ઉઠમણું તા. ૧૪ને શુક્રવારે સાંજે પ વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભુવન, મોરબી ખાતે રાખેલ છે.

જેન્તીલાલ જોષી

ગોંડલ :  શ્રી ગુજરાતી શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિના જેન્તીલાલ શંભુપ્રસાદ જોશી ઉ.વ.૯૩, તે સ્વ. મુળશંકભાઇ તથા સ્વ. દિનુભાઇ ના ભાઇ, દિલીપભાઇ (ભુવનેશ્વરી મંદિરના પુજારી), હિતેષભાઇના પિતાશ્રી તથા સ્વ. ચંદુલાલ પ્રભાશંકરભાઇ પંડયાના બનેવી નું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું/ઉઠમણું તા. ૧૩ ને ગુરૂવારે સાંજે પ થી ૬ ભુવનેશ્વરી મંદિર ગેસ્ટ હાઉસ વિદેશ ભવન હોલ, ગોંડલ મુકામે રાખેલ છે.

વિજયાબેન જેઠવા

રાજકોટઃ કારડીયા રાજપૂત ગં.સ્વ.વિજયાબેન મહોબતસિંહ જેઠવા (ઉ.વ.૭૩) તે ગીતા ટ્રાન્સપોર્ટવાળા કાળુભાઈ ભૂપતસિંહ જેઠવાના પુત્રવધુ તથા જયરાજસિંહ મહોબતસિંહ જેઠવાના માતુશ્રી તથા ગીતાબેન, નીતાબેન, કુસુમબેનના માતુશ્રી તથા ધીરજસિંહ દાનસિંહભાઈ જેઠવાના ભાભીનો સ્વર્ગવાસ તા.૧૧ના રોજ રાજકોટ મુકામે થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૩ ગુરૂવારે સાંજે ૫ થી ૭ વાગ્યે એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનીટી હોલ, એસ્ટ્રોન સોસાયટી શેરીનં.૨ની સામે, અમીનમાર્ગ રાજકોટ ખાતે રાખેલ છે.

પાર્વતીબેન શર્મા

રાજકોટઃ મૂળ ઉત્તરાખંડ અલ્મોડા નિવાસી હાલ રાજકોટ પૂર્ણેન્દુ શર્મા (લોહની) બ્રિલિયન્ટ સ્કુલ જામનગર, રાજુ શર્મા ટ્રાંસપોર્ટર ટાટા કેમિકલ મીઠાપુર, યશાંગ અને મૌલિક અને ભાવોર્મીના દાદીમાં પાર્વતીબેન જાનકી પ્રસાદ શર્માનું  દુઃખદ અવસાન તા.૧૧ના રોજ રાજકોટ મુકામે થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાન રેલનગર-૨, આનંદ વિદ્યાલય પાછળ, શેરી નં ૧૧-એ, પ્લોટનં ૨૦૩- એ ખાતે સાંજે ૫ થી ૬ સમય દરમ્યાન રાખેલ છે.

હર્ષદભાઈ માવદીયા

રાજકોટઃ અ.નિ.હર્ષદભાઈ વેલજીભાઈ માવદીયા (ઉ.વ.૭૨) તે કિશોરભાઈ વેલજીભાઈ માવદીયા (આર્કિટેક વેલ્યુઅર)ના મોટાભાઈનું તા.૯ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે, મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હરકીશનદાસ જસાણી

રાજકોટઃ હરકીશનદાસ નૌતમલાલ જસાણી (ઉ.વ.૮૯) તે જગદીશ (સીએ)  તથા ચેતનાબેન ધર્મેન્દ્રભાઈ શાહના પિતાશ્રી તથા શાંતીભાઈ, અવંતીભાઈ, સ્વ.સુરેશભાઈ, હંસાબેન તથા પુજય સાધનાબાઈ સ્વામીના સંસારીભાઈનું તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧ દરમ્યાન રાખેલ છે. સ્થળ- પારસ કોમ્યુનીટી હોલ, નિર્મલા સ્કુલની સામે, કાલાવડ રોડ, રાજકોટ

અનિલભાઈ  રાણપરા

રાજકોટઃ અ.નિ.સોની અમૃતલાલ દેવજીભાઈ રાણપરા (અમૃત જવેલર્સ વાળા)ના મોટા પુત્ર અનિલભાઈ (ઉ.વ.૬૭) તે અશ્વિન, સુનિલ, લતા, જયોતિના પિતાશ્રી તથા રાજેશભાઈ, જીતેન્દ્રભાઈ, વિનોદભાઈના મોટાભાઈ તથા ડિંકલ, કૃષાલી, યુવરાજ, યજ્ઞેશના દાદા તથા સોની વનમાળીદાસ દુર્લભજીભાઈ પારેખ (રીબડા વાળા)ના જમાઈ તે શરદભાઈ કિર્તીભાઈ, શૈલેષભાઈ, ભરતભાઈના બનેવી તા.૧૦ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ ૧૦ થી ૧૨:૩૦, વાઘેશ્વરી વાડી, યુનીટ નં.૩, રામનાથપરા રાજકોટ ખાતે રાખેલ છે.

ખેલશંકરભાઇ મહેતા

રાજકોટ : ચા.મ.મો.બ્રાહ્મણ ખેલશંકર જેશંકર મહેતા (ઉ.વ. ૮૬) તે સ્વ. જેશંકરના પુત્ર, સ્વ. મુકતાબેનના પતિ, સ્વ. ચંદુલાલ તથા જયંતિલાલના મોટાભાઇ તથા લીલાબેનના ભાઇ, ગીરીશભાઇ, મહેશભાઇ, પ્રવીણાબેન, ઇલાબેન, ચંદ્રીકાબેનના પિતા તથા  વેજાગામ વાળા સ્વ. અંબાશંકર જીવરામ ત્રિવેદીના જમાઇ, તે રવિશંકર, ચંદ્રશંકર, રતિલાલના બનેવી કૈલાશવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તથા બેસણું તા. ૧૩ ને ગુરૂવારે પ થી ૬ ' રામેશ્વર મહાદેવ મંદિર' પુનિત સોસાયટી, કોઠારીયા રોડ, ખાતે રાખેલ છે.

પ્રવિણાબેન ત્રિવેદી

રાજકોટ : પ્રવિણાબેન તે કિર્તીભાઈ રવિશંકરભાઈ ત્રિવેદી (નિવૃત વહીવટી અધિકારી - રાજકોટ જિલ્લા પંચાયત)ના ધર્મપત્નિ તેમજ હિતેશભાઈ (ઈશાન નેટસોલ પ્રાઈવેટ લીમીટેડ), ચેતનાબેન, અર્ચનાબેન, દર્શનાબેન, રિનાબેનના માતુશ્રી તથા નિમેશકુમાર, દિપકકુમાર, મૌલિકકુમાર, ગૌતમકુમાર, વૈશાલીબેન હિતેશભાઈ ત્રિવેદીના સાસુમા તથા કૃતાર્થના દાદીમાનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું નંદીસ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી શેરી નં.૩, જે એમ સી નગરની પાછળ, રૈયા ચોકડી પાસે, જનતા ડેરી સામેની શેરી ખો તા.૧૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

નવીનચંદ્ર બકરાણીયા

રાજકોટ : ગુર્જર સુતાર મુળ આરબલુસ, રાજકોટ નિવાસી સ્વ.ડાયાલાલ બેચરભાઈ બકરાણીયા (આફ્રિકાવાળા)ના મોટા સુપુત્ર નવીનચંદ્ર ડાયાલાલ બકરાણીયા (ઉ.વ.૮૯) તે ભાનુબેનના પતિ તથા અજયભાઈના પિતા તથા સ્વ.મોનજીભાઈ કુરજીભાઈ વડગામાના જમાઈ તેમજ શશીકાંતભાઈ (લંડન), સ્વ.રોહિતભાઈ, ગં.સ્વ.સવિતાબેન કાન્તિલાલ વાલંભીયા (લંડન), ગં.સ્વ.વાસંતીબેન કાન્તિલાલ વડગામા, ગં.સ્વ.સરોજીનીબેન ગોવિંદભાઈ ગજ્જર (લંડન)ના મોટાભાઈનું આજે તા.૧૨ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર ખાતે રાખેલ છે.

પ્રવિણાબેન જોષી

જેતપુર : રમેશભાઇ શામળજીભાઇ જોષીના ધર્મપત્ની પ્રવિણાબેન (ઉ.વ.૬૦) તે પિન્ટુભાઇના માતુશ્રી તા ૧૧ મંગળવારના રોજ અવસાન પામેલ છે, તેનું બેસણું તા. ૧૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ રામનાથ મહાદેવ મંદિર, દેશાઇ વાડી જેતપુર ખાતે રાખેલ છે.

નાનાલાલ અઢીયા

વેરાવળ : નાનાલાલ દુર્લભજી અઢીયા ઉ.૭ર તે સ્વ. ભોવાનભાઇ કલ્યાણજીભાઇ લખાણ (ડબાવાળા)ના જમાઇ તથા સ્વ. બાબુભાઇ, સ્વ. દુર્લભજીભાઇ, સ્વ.નરોતમભાઇ, અરૂણભાઇ, કીશોરભાઇના બનેવીનું અવસાન  થયેલ છે. સાદડી તા. ૧૩ ને સાંજે ૪.૩૦ થી ૬ લોહાણા મહાજનવાડી ગોંડલ મુકામે રાખેલ છે.

રંજનબેન મહેતા

રાજકોટઃ કેવલચંદ ભવાનભાઇ મહેતાના પુત્ર હરિશભાઇ (એરપોર્ટવાળા)ના પત્નિ રંજનબેન તે સ્વ. ઠાકરશીભાઇ રાયચંદભાઇ મહેતાના પુત્રી તા. ૯/૬ના અરિહંતશરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું અને પ્રાર્થના સભા તા. ૧૩ના ગુરૂવારે સવારે ૧૧ કલાકે વિશાશ્રી વાડી જૈન સમાજની વાડી, ૧૧ કરણપરા ખાતે રાખેલ છે.

રંજનબેન પોપટ

કેશોદ : સ્વ. હરીદાસ મોનજીભાઇ પોપટના પત્ની રંજનબેન હરીદાસ પોપટ (ઉ.વ.૬૮)  જે વિપુલ પોપટ (મીરા મેડીકલ) તથા જાગૃતિબેન મયંકકુમાર રાયચુરા, દિપાબેન ભાવિકકુમાર કકકડ, શિતલબેન કેતનકુમાર રાયઠઠા, તેજલબેન ભરતકુમાર કકકડના માતુશ્રી તથા વનરાવન કાલીદાસ રૂપારેલ પોરબંદરવાળાના પુત્રીનું તા.૧૬ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સ્મશાનયાત્રા આજે સાંજે ૭ કલાકે તેમના આંબાવડી ખાતેના નિવાસસ્થાનેથી નીકળશે. ઉઠમણુ અને પિયરપક્ષની સાદડી તા.૧૩ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન કાપડ બજાર, આંબાવાડી, કેશોદ ખાતે રાખેલ છે.

લક્ષ્મીબેન ચુડાસમા

ઙ્ગરાજકોટ : ગં.સ્વ. ધોબી લક્ષ્મીબેન નાનજીભાઇ ચુડાસમા (બાંટવાવાળા) તે અરવિંદભાઇ અને મુકેશભાઇના માતુશ્રીનું તા. ૧૧ ના મંગળવારે અવસાન થયેલ છે, તેમનું ઉઠમણું તા ૧૩ ના ગુરૂવારે સાંજે પ થી ૬ ધોબી સમાજવાડી, અટીકા ફાટક ૧૭/૧૮ નો ખુણો, અલ્પેશ રોડવૈઝ ની સામે રાખેલ છે.

મનુભાઇ ચોૈહાણ

રાજકોટ : મનુભાઇ રામજીભાઇ ચોૈહાણ (જુનાગઢ નિવાસી, હાલ રાજકોટ) તે કપિલભાઇ અને પ્રિયાંકભાઇના પિતાશ્રીનું તા. ૧૧ ના મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ ના ગુરૂવારે સાંજે પ થી ૬ સોરઠીયા રજપુતની વાડી, દિપક સોસાયટી, ગાંધીગ્રામ, કનૈયા ચોક પાસે, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખલાલ માનસેતા

સાવરકુંડલા : ઠા. હસમુખલાલ વૃજલાલ માનસેતાના (ઉ.વ.૬૧) તે સ્વ. વૃજલાલ કાનજીભાઇ માનસેતાના પુત્ર સ્વ. પ્રવીણચંદ્ર વૃજલાલ માનસેતાના ,મનુભાઇ વૃજલાલ માનસેતાના નાના ભાઇ    ચેતનભાઇ તથા સાગરભાઇ (રાજકોટ) ના પીતાશ્રી, મેઘનાબેન  કલ્પેશકુમાર ભુપતાણી (ઉના) ના પિતાશ્રી, તથા  બાલંભા નિવાસી કેશવલાલ આણંદજીભાઇ રૂપારેલીયાના જમાઇનું સાવરકુંડલા મુકામે  તા. ૧૧મીએ અવસાન પામેલ છે. ઉઠમણું તા. ૧૩ ને ગુરૂવાર સાંજે પ થી ૬ લોહાણા વિદ્યાર્થી ભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

છાયાબેન કાચા

રાજકોટ :  મુળ રાજકોટ હાલ અમદાવાદ નિવાસી છાયાબેન શશીકાંતભાઇ કાચા (ઉ.વ.૭૫) તે શશીકાંતભાઇ મોહનભાઇ કાચાના ધર્મપત્ની તેમજ સમીર કાચાના માતુશ્રીનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ ના ગુરૂવારે સવારે ૯ થી ૧૧ તેમના નિવાસસ્થાન બી-૨૦૩, પરીમલ રેસીડન્સી, ધરણીધર બંગલોની બાજુમાં, સર્જન બંગલા પાસે, નવા નરોડા, અમદાવાદ ખાતે રાખેલ છે.