Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021
વ્રજધામ ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દાવડાના વડીલબંધુ રતિભાઈ દાવડાનું અવસાન

રાજકોટ : લક્ષ્મીવાડી, મદનમોહનજીની હવેલીના પ્રમુખ ગોવિંદભાઈ દાવડાના વડીલબંધુ રતિભાઈ દાવડાનું દુઃખદ અવસાન થયેલ છે. રતિભાઈ દાવડા ગુંદાવાડી ઓલ વેપારી એસોસીએશનના ઉપપ્રમુખ હતા. અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. લોકડાઉનના સમયમાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના નોભ હેઠળ મૂંગા પશુ - પંખીની સેવા કરેલ હતી. રતિભાઈ વનરાવન દાવડા (ઉ.વ.૬૫) તે સ્વ.વનરાવન ઓધવજી દાવડાના પુત્ર તેમજ સ્વ. વલ્લભદાસ, સ્વ.વ્રજકિશોરભાઈ, ગોવિંદભાઈ, સ્વ.મંગળાબેન, ભાનુબેન, તારાબેન, સ્વ.વનીતાબેન, વિજયાબેન, વિણાબેનના ભાઈ તેમજ રવિભાઇ, મયુરભાઈના પિતાશ્રી, દર્શ, માનવ તથા પરમના દાદા તેમજ પીપલાણાવાળા શામજીભાઈ ગોરધનભાઈ દેવાણીના જમાઈ તા.૧૧ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીના કારણે સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ સસરા પક્ષની સાદડી ટેલીફોનિક તા.૧૨ના મંગળવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. રવિભાઇ - મો.૯૮૨૪૨ ૩૭૫૭૧, મયુરભાઇ - ૯૬૨૪૨ ૧૦૦૦૫, ગોવિંદભાઈ - ૯૪૨૭૭ ૨૯૯૪૪, હિતેશભાઈ - ૯૮૯૨૩ ૨૯૪૭૪, કાંતિભાઈ દેવાણી - ૯૭૨૩૦ ૭૪૨૭૬.

અવસાન નોંધ

જયેશભાઈ નથવાણીના મોટાભાઈનું અવસાન પુનિત ભજન મંડળના

રાજકોટ : શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ નથવાણી તથા મહેન્દ્રભાઈના મોટાભાઇ અને મેહુલભાઈ તથા ગૌરવભાઈના પિતા ધનવંતભાઈ નથવાણી (ઉ.વ.૭૫) તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમને સભ્યો તથા ભાવિકો દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરી કોરોના મુકિત પ્રાર્થના કરી પોતાને ત્યાંથી કલીપ મોકલવાનો કાર્યક્રમ ગુરૂવારે રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ યોજાશે.

સાવરકુંડલા મુસ્લીમ સિપાઇ જમાતના સેક્રેટરીના ભાભીનું અવસાન

સાવરકુંડલા : મુસ્લીમ સિપાઇ જમાતના સેક્રેટરી અયુબભાઇ ચૌહાણના ભાભી અને એડવોકેટ સાહિલભાઇ ચૌહાણના મોટી માં તથા ઇરફાનભાઇ ચૌહાણના માતુશ્રી તથા આસિફભાઇ ચૌહાણ અનમોલ સ્ટેનરી વાળાના માતુશ્રી યુસુફભાઇ ચૌહાણ ધદૂક ટ્રેડર્સ વાળાના ભાભી અને ઇબ્રાહીમભાઇ મહમદભાઇ ચૌહાણના પત્ની રજીયાબેન ઇબ્રાહીમભઇ ચૌહાણ (ઉ.૪૭) આજરોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મરહુમ રજીયાબેનની જીયારત તા. ૧૪-૧-ર૦ર૧ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન ખદીજા મસ્જિદમાં રાખેલ છે અને ઓરતો માટેની જીયારત મરહુમના નિવાસ સ્થાન બીડીકામદાર સોસાયટી શેરી નંબર ૧ર માં રાખેલ છે.

તારાબેન પારેખ

રાજકોટઃ  બાલંભા વાળા હાલ રાજકોટ : ગૌ.વા. સોની કાંતિલાલ જગજીવનભાઇ પારેખ ના ધર્મપત્ની તારાબેન કાંતિલાલ પારેખ (ઉ.વ.૭૧) તે હરકિશનભાઇ, વિમલેશભાઇ ના માતુશ્રી તા. ૧૧  ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૧૪  સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. હરકિશનભાઇ - ૯૮૨૪૫ ૯૪૪૭૦ વિમલેશભાઇ - ૭૦૪૧૮ ૧૦૨૪૬

કૃષ્ણલાલ રાજયગુરૂ

રાજકોટઃ ભિલા ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના કૃષ્ણલાલ મયાશંકરભાઇ રાજયગુરૂ (ઉ.વ.૮૧) તે રમણીકભાઇના મોટાભાઇ તથા નવનીતભાઇ, સ્વ. દિપકભાઇ, સુરેશભાઇ, યોગેશભાઇના પિતાશ્રી તેમજ કેતનભાઇ તથા શીરીશભાઇના ભાઇજી તથા આશિષ, રિધ્ધી, મિષ્વા, વૃશંકના દાદા તા.૧૨ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ કલાકે ભિલા ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૪ ૪૭૫૫૯ નવનીતભાઇ, ૯૯૭૯૭ ૮૧૧૯૦ સુરેશભાઇ

પ્રદિપભાઇ જોષી

રાજકોટઃ સ્વ. ડો. ધીરજલાલ એન. જોષી અને ચંપાબેન ડી. જોષી (બેટ-દ્વારિકા) ના પુત્ર પ્રદિપભાઇ ડી. જોષી, નિવૃત્ત ડેવ. ઓફીસર એલઆઇસી (વિરમગામ)નું અમદાવાદ મુકામે તા. ૧૧-૦૧-ર૦ર૧ ના રોજ અવસાન થયું છે. તેઓ સુરેશભાઇ જોષી (જામનગર) મહેશ્વરી જોષી (લંડન) ભાવનાબેન જોષી (રાજકોટ)ના ભાઇ, રેખાબેનના પતિ, ગીતભાઇના પપ્પા, તેમજ સીમાબેનના સસરા થાય, કુલદિપ અને પૂર્વીના કાકા થાય. સ્વ.નું ટેલિફોન બેસણું તા. ૧૪-૧-ર૦ર૧ના ગુરૂવારે બપોરે ૪-૦૦ થી પ-૦૦ સમયે તેમના નિવાસસ્થાન ગોદરેજ ગાર્ડન સીટી (અમદાવાદ)માં રાખેલ છે. સુરેશભાઇ ૯૪ર૬૭ ૩૬૪૧૯, ગીતભાઇ (પુત્ર) ૯૬૦૧૦ ૭૧૧૭૧

આશાબેન રામચંદાણી

રાજકોટઃ નિવાસી આશાબેન લક્ષ્મણદાસ રામચંદાણી (ઉ.વ.૬૭) તે નરેશભાઈ, કમલેશભાઈના માતા તથા ભાર્ગવ, ઓમ, ભુમી, ડીન્કીના દાદીમાનું અવસાન તા.૧૨ના રોજ થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક બેસણું રાખેલ છે. નરેશભાઈ મો.૯૬૩૮૨ ૦૨૫૪૭, ભાર્ગવ મો.૯૭૧૨૮ ૫૪૭૮૮, કમલેશભાઈ મો.૯૩૭૪૧ ૮૬૯૬૮

કમલેશભાઇ જોશી

રાજકોટ : કમલેશભાઇ ઇન્દ્રવદનભાઇ જોશી (ઉ.વ.પર) તે ઇન્દ્રવદનભાઇ લાખાભાઇ જોશીના પુત્ર તથા આશાબેનના પતિ, હસુભાઇ, ભારતીબેનનાભાઇ તથા ગૌરાંગભાઈ, ધરતીબેન તેમજ કિંજલબેનના પિતાનું તા.૧૧ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અલીભાઇ દલાલ

જસદણઃ દાઉદી વ્હોરા અલીભાઇ યાકુબભાઇ દલાલ (ઉ.વ.૬૭) તે શેખ કુસયભાઇ, મુનીરાબહેનના બાવાજી, ગુલામભાઇ, સકીનાબહેનના ભાઇ તા.૧૧મીએ સોમવારના રોજ જામનગર ખાતે વફાત થયેલ છે.

જયાબેન પાદરીયા

ઉપલેટાઃ પટેલ સ્વ.જાદવભાઇ બાવનજીભાઇ પાદરીયાના ધર્મપત્નિ જયાબેન જાદવભાઇ પાદરીયા (ઉ..વ.૭૮) તે જયંતીભાઇ હરસુખભાઇના માતૃશ્રી તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪ના રોજ ૩ થી ૫ નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.

લલીતભાઇ પારેખ

ગોંડલઃ દશા સોરઠીયા વણીક ભાયાવદર નિવાસી સ્વ. વૃજલાલ કલ્યાણજી પારેખના પુત્ર લલીતભાઇ પારેખ (કાંદિવલી) (ઉ.વ.૭૮) તે સૌભાગ્યભાઇ (અંધેરી) સ્વ. મુકુંદભાઇ (ગોંડલ), હંસાબેન શેઠ (આકોલા) તથા ભાનુબેન લોટીયા (રાજકોટ) ના ભાઇનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે.

વિનોદભાઈ રાઠોડ

રાજકોટ : વિનોદભાઈ નાથાલાલ રાઠોડ (ઉ.વ.૬૬) (શ્રીજી ડેરી ફાર્મવાળા) તે ચુનીભાઈ, જેન્તીભાઈ, હસમુખભાઈના ભાઈ તેમજ યોગેશભાઈના પિતાશ્રિ તથા સોહમના દાદા તથા નાગજીભાઈ કરશનભાઈ ટાંકના જમાઈનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ - ૯૯૨૪૨ ૩૪૯૦૮, ચેતનભાઈ - ૯૮૨૫૮ ૩૦૮૧૭.

વિઠ્ઠલદાસ વિઠ્ઠલાણી

રાજકોટ : નિવાસી મુળ દ્વારકા વિઠ્ઠલદાસ લાલજી વિઠ્ઠલાણી (ઉ.વ.૯૫) તે અશ્વિનભાઈ (નિવૃત બેન્ક ઓફ ઈન્ડિયા), પ્રમોદભાઈ, સુભાષભાઈ (નિવૃત બીએસએનએલ), નરેન્દ્રભાઈ (તિજોરી પેન્શન કચેરી) તથા અરૂણાબેન રમેશભાઈ કાનાબાર (ધ્રાંગધ્રા)ના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૫ને શુક્રવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશ્વિનભાઈ વિઠ્ઠલાણી - મો.૯૩૭૬૧ ૪૦૦૦૫, પ્રમોદભાઈ વિઠ્ઠલાણી મો.૬૩૫૧૮ ૨૮૦૪૩, સુભાષભાઈ વિઠ્ઠલાણી મો.૯૪૨૮૨ ૨૯૨૨૨, નરેન્દ્રભાઈ વિઠ્ઠલાણી - મો.૯૮૨૪૪ ૮૮૬૬૭.