Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020
અવસાન નોંધ

સાવરકુંડલા યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણીના સસરાનું અવસાન

સાવરકુંડલા : માર્કેટીંગયાર્ડના ચેરમેન દીપકભાઇ માલાણીના સસરા અને અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને જિલ્લા પંચાયતના સદસ્ય રમીલાબેન માલાણીના પિતા લાઠી જમીન વિકાસ બેંકના પુર્વ ચેરમેન અને ખેડુત આગેવાન રવજી બાપા ભાડાંણી (ઉ.વ.૯ર) આજ રોજ તા.૧૧-૭-ર૦ર૦ના રોજ સુરત મુકામે અવસાન થયેલ છે.

પ્રદિપકુમાર લાઠીગરા

જુનાગઢ : સોની પ્રદિપકુમાર ફુલચંદભાઇ લાઠીગરા ઉ.વ.૬૭ જે નટવરલાલ હેમચંદ ડીડાણીના જમાઇ તથા કિશોરભાઇ, અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ તથા અતુલભાઇના બનેવીરાજકોટ મુકામે તા.૧૦-૭-ર૦ર૦ના શ્રીજીચરણ પામેલ છે. જેમની ટેલીફોનીક સાદડી જુનાગઢ ખાતે તા.૧૩-૭-ર૦ર૦ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. કિશોરભાઇ મો.૯૮રપપ ૧૩૭૪પ, મહેન્દ્રભાઇ મો.૯૭૧ર૭ ૧૦૩૦પ

પ્રવિણાબેન ગોસ્વામી

રાજકોટઃ મુળ ધ્રોલ નિવાસી (હાલ રાજકોટ) ચંદુભારથી લાલભારથી ગોસ્વામીના ધર્મપત્નિ પ્રવિણાબેન (ઉ.વ.૬૮) તે શશીકાંતભારથી, મહેશભારથી, જયેશભારથીના ભાભીશ્રી તથા જીતેન્દ્રભારથી, સંદીપભારથીના માતુશ્રીનું તા.૧૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સમયને લઇને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે.  મો.૯૯૧૩૯ ૪૪૧૫૯, ૯૪૨૭૨ ૩૯૬૮૫, ૯૨૭૪૦ ૯૨૫૦૩

હરેશભાઇ દોશી

રાજકોટઃ હરેશભાઇ ભોગીલાલદોશી (ઉ.વ.૭૮) તે સ્વ.ભોગીલાલ ઉમેદચંદભાઇ દોશી અને હેમલતાબેનના પુત્ર તથા મુકુલભાઇ, પ્રકાશભાઇ, અશોકભાઇ, વિજયભાઇ, પંકજભાઇના ભાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે. કોઇ લૌકિક ક્રિયા રાખેલ નથી.

હંસાબેન સોની

રાજકોટઃ માખાવડ વાળા સ્વ.સોની ભીખાભાઇ દુર્લભજીભાઇ લાઠીગરા વાળાના નાનાભાઇ સ્વ.બચુભાઇ દુર્લભજીભાઇ લાઠીગરાના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ.૭ર) તા.૯ના શ્રીજી ચરણ પામેલ છે તે નરેન્દ્રભાઇ તથા કૈલાશભાઇ તથા રાજુભાઇ તથા નયનાબેનના માતુશ્રી અને (બીલખા વાળા) નરેન્દ્રભાઇ રામજીભાઇ ધોળકીયાના સાસુ થાય. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. નં. ૯૯૯૮ર ૩૬૦૮૯ તથા મો. નં. ૮૩૪૭૩ ૯૭૦૬૧ તેમજ મો. નં. ૯પ૭૪૧ ૭૯૬૧પ અને મો. નં. ૯૯રપ૬ ૭૭૮પ૭ છે.

ગોરધનભાઇ વોરા

રાજકોટઃ પટેલ ગોરધનભાઇ રામજીભાઇ વોરા (ઉ.વ.૭૬) ભુણાવાવાળા હાલ રાજકોટ તે જયશ્રીબેન કલાબેન તથા રોહિતભાઇના પિતાશ્રી તથા વિઠ્ઠલભાઇ સીદપરા તથા હરેશભાઇસોજીત્રાના સસરાનું તા.૧૦ના અવસાન થયેલ છે.

લતાબેન બુદ્ધદેવ

જુનાગઢ : તાલાલા(ગીર) હાલ જુનાગઢ સ્વ. લતાબેન (ઉ.વ. ૬૪) તે જીતેન્દ્રભાઇ દામોદરભાઇ બુદ્ધદેવ (નિવૃત એસબીઆઇ કર્મચારી)ના ધર્મપત્ની તે  મિથુનભાઇ, જલદીપભાઇ બુદ્ધદેવ તથા હિનાબેન (ક્કકડ)ના માતુશ્રીનું અવસાન તા. ૧૦ના રોજ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ૧૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઇ મો.નં. ૭૯૮૪૭ ૦૭૯૮૮, જલદીપ બુદ્ધદેવ મો.નં. ૯૯૭૮૪ ૩ર૭૮પ ઉપર શોક સંદેશો પાઠવવો.

નાનબાઇબેન ડાંગર

રાજકોટઃ સ્વ. પરબતભાઇ ડાંગરના ધર્મપત્નિ નાનબાઇબેન (ઉ.વ.૭૦) તે હસાભાઇ, લાભુભાઇ, સ્વ. ભરતભાઇ અને રમેશભાઇના માતા તથા પિયુષ, કિશન, રાજન, હાર્દિક, હિરેનના દાદીમાનું તા.૧૦ના શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (લાભુભાઇ-મો. ૯૯૨૪૦ ૩૫૧૮૯ રાખેલ) છે.