Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018
અવસાન નોંધ

બહાઉદીન કોલેજ નિવૃત પ્રોફેસર વિનોદરાય બોસમીયાનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : જૂનાગઢ નિવાસી બ્રહ્મક્ષત્રિય વિનોદરાય ગોકળદાસ બોસમીયા (નિવૃત પ્રોફેસર બહાઉદીન વિજ્ઞાન કોલેજ - જૂનાગઢ) તે સ્વ.ગોકળદાસ વિરજી બોસમીયાના પુત્ર, તથા વિકાસ (એલઆઈસી, જૂનાગઢ), પરેશ (શારદાગ્રામ માંગરોળ) તથા દિપાબેન જૈમીન પડીયાના પિતાશ્રી તા.૮ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની અંતિમયાત્રા તા.૧૧ને બુધવાર બપોરે ૨ કલાકે તેમના નિવાસસ્થાન : બી-૨૪, ગુણાતીત સોસાયટી, ગેટ નં.૪, મોતીબાગ પાસે, જૂનાગઢથી નીકળી હતી. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૨ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ બીલનાથ મહાદેવ મંદિર વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

 લાભુબેન સોમાણી

રાજકોટઃ અ.સૌ.શ્રીમતિ લાભુબેન કુંદનલાલ સોમાણી (ઉ.વ.૮૩) તે ડો. કુંદનલાલ દુલ્લભજી સોમાણીના ધર્મપત્નિ ડો. મુકેશભાઇ સોમાણી, મીનાબેન, વર્ષાબેન અને ઇલાબેનના માતુશ્રી તથા ભદ્રાબેન તથા રાજેશભાઇ અને રમેશભાઇ સોમાણીના કાકી, તે ધંધુકાવાળા ચતુરદાસ નાનજીભાઇ ચાંપાનેરીના પુત્રી તા.૧૧ના રોજ અરિહંતશરણ થયેલ છે. જેનુ ઉઠમણું તા.૧૩ને શુક્રવારે સવારે ૮:૪૫ કલાકે વિરાણી પોષધશાળા કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

ડુંગરભાઈ બેરા

રાજકોટ : મુળ ઈશ્વરીયા, તા. પડધરી હાલ રાજકોટ નિવાસી ડુંગરભાઈ કરશનભાઈ બેરા તે લાભુબેનના પતિ તથા સ્વ.હરસુખભાઈ, મુળજીભાઈ, સ્વ. રવજીભાઈ, ભુરાભાઈ, શોભનાબેન મનસુખભાઈ ઘેટીયાના ભાઈ તથા રામજીભાઈ, અનિલભાઈ, યોગેશભાઈ, ધનીબેન, ગોદાવરીબેન, ભાનુબેન, મંજુલાબેન, હિરાબેનના પિતા તથા અપેક્ષા, રાજ, ખુશ, જીયા, પલના દાદાનું તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ ચંદ્રમૌલેશ્વર મંદિર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે સવારે ૮ થી ૧૦ કલાકે રાખેલ છે.

હરગોવિંદભાઈ ઠકરાર

રાજકોટ : શ્રી હરગોવિંદભાઈ ભીમજીભાઈ ઠકરાર (પૂર્વ ચેરમેન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક) (ઉ.વ.૮૧) તે રઘુભાઈ પિપલ્સ બેંક વેરાવળવાળાના મોટાભાઈ, યોગેશભાઈ, રિતેશભાઈ, રેણુકાબેન દિનેશકુમાર ઠક્કર સુરેન્દ્રનગર, હેતલબેન શ્રીકાંતકુમાર કક્કડ રાજકોટના પિતાશ્રી, રંજનબેન સુરેશચંદ્ર ભોજાણી, ભાવનગરવાળાના મોટાભાઈ જે મણીલાલ ઠાકરશીભાઈ શીંગાળા માણાવાદરવાળાના બનેવીનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ને ગુરૂવારે સાંજે ૫ કલાકે પંચનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

કિશનભાઈ રાચ્છ

રાજકોટ : કિશનભાઈ એમ. રાચ્છ તે મણીલાલ બેચરભાઈ રાચ્છના પુત્ર શિવલાલભાઈ, મહેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, શરદભાઈ, અશ્વિનભાઈ, કમળાબેન તથા ભારતીબેનના ભાઈ અને પૂર્ણિમા સાડી મ્યુઝીયમવાળા રૂપેશભાઈના કાકાનું તા.૯ના રોજ બેંગ્લોર મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી રાજકોટ ખાતે પંચનાથ મહાદેવ મંદિરે તા.૧૨ના સાંજે ૫ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

 શિલ્પાબેન સાવલીયા

રાજકોટઃ મુળ નાગળકા (હાલ રાજકોટ) સ્વ. શિલ્પાબેન (ઉ.વ.૪૦) તે ધીરૂભાઇ ભીખાભાઇ સાવલીયાના  પત્નિ તેમજ અભય તથા દિવ્યેશના માતુશ્રી તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન''માં તારા આર્શીવાદ'', વિનોદનગર સોસાયટી શેરી નં.૮ કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 દિવ્યાબેન વિઠ્ઠા

રાજકોટઃ  દિવ્યાબેન મગનલાલ વિઠ્ઠા (ઉ.વ.૩૬) તે રાજેશભાઇ વિઠ્ઠા તથા કિરણબેન ભટ્ટના બહેનશ્રી તથા ગંસ્વ. કાન્તાબેન વિઠ્ઠાના પુત્રી તા.૧૦ના રોજ મંગળવારે કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણુ તા.૧૨ના  ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદીર ધરમનગર મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. રાજેશભાઇ ભટ્ટ (૯૯૨૫૬ ૧૨૬૨૪)

લલીતાબેન છનિયારા

રાજકોટઃ ગુર્જર સુતાર (જોડિયાવાળા) હાલ રાજકોટ છનિયારા લલીતાબેન નારણદાસ (ઉ.વ.૮પ) તે સ્વ.છનિયારા નારણદાસ ગોવિંદજીના ધર્મપત્ની તથા પ્રભાતભાઇ (કેશોદ), ભુપતભાઇ (સુરેન્દ્રનગર), જનકભાઇ, જેન્તીભાઇ, ભારતીબેન વસંતભાઇ વાલંભીયાના માતુશ્રી તથા મિકુંજ અને કિશનના દાદીમાં તથા સ્વ.વ્રજલાલ પી. બાવડેચા (થાનગઢ) તેમજ ગં. સ્વ. ઉર્મિલાબેન જે. વ્યાસના બહેનનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રના ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.

હરિલાલભાઇ ફિચડીયા

રાજકોટઃ સણોસરા - સોની શીવલાલ ત્રિભોવનદાસ ફિચડીયાના પુત્ર હરિલાલ (ઉ.વ.૭૪) તે મનુભાઇ તથા રમેશભાઇના મોટાભાઇ તથા હર્ષદભાઇ તથા કેશવભાઇના પિતાશ્રી તથા અક્ષય, જયદીપ, દીયાના દાદાનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રના સવારે ૧૦ થી ૧ર પટેલવાડી સણોસરા મુકામે રાખેલ છે.

લીલાવંતીબેન પરમાર

રાજકોટઃ લુહાર લીલાવંતીબેન મગનલાલ પરમાર (ઉ.વ.૮પ) તે સ્વ.મગનભાઇ પરસોતમભાઇ પરમારના પત્ની, સંજય તથા હંસાબેન તથા કિરણબેન, તથા હિનાબેન તથા મીનાબેન, સ્વ.ડોલીબેનના માતા તથા લલીતાબેનના કાકી તથા ગોંડલ વાળા જે.ટી. પરમારના બેનનો તા.૧૦ના સ્વર્ગવાસ થયેલ છે. તો તેમનું બન્ને પક્ષનું ઉઠમણું તા.૧રને ગુરૂવારે સાંજના ૪ થી ૬, રંગીલા હનુમાનજી મંદિર, સન પેટ્રોલ પંપ પાછળ, કોઠારીયા રોડ, દેવપરા, ખાતે રાખેલ છે.

ધર્મેશભાઇ તલસાણીયા

વાંકાનેરઃ ગુર્જર સુથાર તલસાણીયા રસીકભાઇ વાઘજીભાઇના પુત્ર ધર્મેશ (ઉ.વ.ર૩) તે જગદીશભાઇ, કુસુમબેન દિનેશકુમારના નાનાભાઇનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ શુક્રવારે સાંજે ૪ થી ૬, વિશ્વકર્મા મંદિર જીનપરા વાંકાનેર રાખેલ છે. સાયલાવાળા ભાડેશીયાની ભાણેજ મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ઉષાબેન પાટડીયા

રાજકોટઃ સોની નરશીદાસ ગોપાલજી પાટડીયાની પુત્રી ઉષાબેન (ઉ.વ.૬ર) તે સ્વ.પ્રભુદાસભાઇ, કિશોરભાઇ, અનંતભાઇ, સુરેશભાઇ, રમેશભાઇના બહેનનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ર ગુરૂવારે સોની સમાજની વાડી યુનિટ નંબર ૧ કોઠારીયા નાકા પાસે બપોરે ૩-૩૦ થી પ-૦૦ રાખેલ છે.

કાંતાબેન કંડોલીયા

રાજકોટઃ મૂળ ચરખડી નિવાસી હાલ રાજકોટના કાંતાબેન હરજીભાઇ કંડોલીયા (ઉ.વ.પપ)નું તા.૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૧રના સાંજે ૪ થી ૬ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૩, સહયોગ હોસ્પિટલની પાછળ, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

શાંતાબેન પારેખ

રાજકોટઃ ગો.વા. શામજીભાઇ લાલજીભાઇ પારેખના પુત્ર પ્રવિણચંદ્રના ધર્મપત્ની તે શાંતાબેન (ઉ.વ.૭૬) તે પ્રભુજી તથા હરિકૃષ્ણ પારેખ, હંસાબેન દક્ષાબેન ભારતીબેનના માતુશ્રી તેમજ કશ્યપભાઇ અંજનભાઇ તેમજ ધૃતિ કોમલ પુજાના દાદી તેમજ ગો.વા. હરગોવિંદભાઇ ગો. વા. ચુનીભાઇ, ધીરૂભાઇ, હસમુખભાઇ રમેશભાઇના ભાભી તેમજ નાથાલાલ પોપટલાલ આડેસરા (ધ્રોલ વાળા)ના દીકરી ગો.વા. પ્રભુદાસભાઇ મનુભાઇ શશીભાઇ તથા લલીતભાઇના બહેન તા.૯ના ગોલોકવાસી થયા છે. બન્ને પક્ષનું બેસણું તા.૧રને ગુરૂવારના સાંજે ૩ાા થી પ ઝાલાવાડી સોની સમાજની વાડી યુનીટ નં.ર કોઠારીયા નાકા ખાતે રાખેલ છે. (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.)

પ્રભાબેન સોરઠીયા

ગોંડલ : પ્રભાબેન રવજીભાઇ સોરઠીયા (ઉ.વ.૮૩) તે રાજુભાઇના માતા તથા ધ્રુવના દાદીનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુતાર વાડી, ડો. માથુકીયા હોસ્પિટલ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

યશવંત જોષી

રાજકોટઃ શ્રી નથુતુલસી ઓૈદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સ્વ. જટાશંકર ગંગાધર જોષીના પુત્ર યશવંત જટાશંકર જોષી (ઉ.વ.૯૨) તે સ્વ. ઉમેશભાઇ, રમેશભાઇ, દ્વિજેન્દ્રભાઇ, તેમજ નિતીનભાઇ, સુનીલભાઇ, મુકેશભાઇ તથા વંદનાબેન મહેન્દ્રકુમાર શુકલના પિતા અને સ્વ. ભાસ્કરભાઇ નાનાલાલ રાજગુરૂના બનેવી નું તા.૯ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦, નાગર બોર્ડિગ, ૧૦ રામકકૃષ્ણ નગર વિરાણી હાઇસ્કુલ સામે રાખેલ છે. મો. ૯૪૨૮૨૬૬૦૦૫

રમાબેન પારેખ

ગોંડલ : રમાબેન પારેખ ઉ.વ.૭૭ તે રસિકલાલ જી. પારેખ ના પત્ની, ભુપેન્દ્રભાઇ, ભોગીભાઇ, તથા સ્વ. ધનવંતરાય ના ભાભી, રાજેશ ના માતા તથા હરિચંદ  જે. અજમેરા પોરબંદર ના પુત્રી નું તા. ૯ ના અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા. ૧૩ શુક્રવાર સવારે ૧૦ કલાકે ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર, યોગીનગર શેરી નં.૧૪, ગોંડલ ખાતે રાખેલ છે.

મૂળશંકર પંડયા

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળશંકર ચત્રભુજ પંડયા (ઉ.વ.૮૮) તે સ્વ. કૌશિકભાઇ, રૂપાબેન, છાયાબેન તથા ભાવનાબેનના પિતાશ્રી તથા પાર્થ, ઝરણા અને અમીબેનના દાદાજી તેમજ સ્વ. ભાઇશંકર ઇશ્વરલાલ મહેતાના જમાઇનું તા. ૯ ને સોમવારે અવસાન થયું છે. સદ્ગતનું બન્ને પક્ષનું ઉઠમણું તેમજ બેસણું તા. ૧ર ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬, રંગ ઉપવન સોસાયટી, રંગનાથ મહાદેવ, હનુમાન મઢી પાસે રૈયા રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ચંદ્રમણી ત્રિવેદી

રાજકોટ : લાભશંકર ભાણજી ત્રિવેદીના ધર્મપત્નિ ચંદ્રમણી લાભશંકર ત્રિવેદી તે આશાબેન, પ્રજ્ઞાબેન, જીતેન્દ્રકુમાર (અમેરીકા) ના માતુશ્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. ૧૨ ના ગુરૂવારે સાંજે પ થી ૬ ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્ડ રેસીડેન્સીની બાજુમાં રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધર્મેશ તલસાણીયા

વાંકાનેર : રાજાવડલાવાળા ગુર્જર સુથાર તલસાણીયા રસીકભાઇ વાઘજીભાઇ ના પુત્ર ધર્મેશ (ઉ.વ.૨૩) તે જગદીશભાઇ, કુસુમબેન દિનેશકુમાર ના નાનાભાઇ તથા સાયલાવાળા ભાડેશીયા પરિવારના ભાણેજ નું તા ૯ ના અવસાન થયેલ છે. બેસણું તથા મોસાળ પક્ષનું બેસણું તા. ૧૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા મંદીર, ઁજીનપરા ચોક, વાંકાનેર રાખેલ છે.

કંચનબેન ચાવડા

પાનેલીમોટી : દરજી સુથાર અ.સૌ. કંચનબેન વૃજલાલ ચાવડા (ઉ.વ. ૮ર) તે શ્રી સ્વ. વૃજલાલ વિરજીભાઇ ચાવડાના ધર્મ પત્ની તથા રાજુભાઇ તેમજ હિતેષભાઇના માતુશ્રી નું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૨ ને ગુરૂવારના સાંજે ચાર થી પાંચ કલાક દરમ્યાન શ્રી લોહાણા મહાજન વાળી, મોટી પાનેલી ખાતે નિર્ધારીત કરેલ છે.

વિજયાબેન સોની

મોરબી : વિજયાબેન નીમચંદભાઇ સોની (ઉ.વ.૭૦) તે સોની નીમચંદભાઇ મોહનલાલ ના માતા તેમજ સોની મોહનલાલ માણંેકચંદભાઇ (ટંકારાવાળા) ના દીકરી તથા  જશવંતભાઇ અને  પ્રવીણભાઇના બહેનનું તા. ૧૦ ના રોજ અવસાન થયું છે બંને પક્ષનું બેસણું તા. ૧૨ ગરૂવારે સવારે ૧૦ થી ૧૨ કલાકે સોની જ્ઞાતિ વાડી, સોની બજાર, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.

રંભાબેન જોષી

જૂનાગઢઃ શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ખોખરડા અને હાલ જૂનાગઢ નિવાસી સ્વ. રંભાબેન ભાનુશંકરભાઈ જોષી (રમાબેન) (ઉ.વ.૭૦) તે મણીભાઈ, વ્રજલાલ, કિશોરભાઈ, ચેતનભાઈના મોટા બહેન તા. ૧૦મીએ કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. ૧૨ ને ગુરૂવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ ઓમ કારેશ્વર મહાદેવનું મંદિર, દિપાંજલી-૧ ટીંબાવાડી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

વાલીબેન હરીયાણી

જૂનાગઢઃ સવની-વેરાવળ નિવાસી વાલીબેન પુરૂષોતમદાસ હરીયાણી તે સાધુ પુરૂષોતમદાસ હરીયાણીના ધર્મપત્નિ તથા રઘુવીરદાસ, લક્ષ્મણદાસ અને અનિલકુમારના માતુશ્રી તથા ડો. વિનય હરીયાણી તથા વિજયભાઈ તથા ભાવેશભાઈના દાદીમાં તા. ૯ ને સોમવારના રોજ શ્રીરામચરણ થયેલ છે. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા જૂનાગઢ તા. ૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાક દરમ્યાન રાયજીનગર સત્સંગ હોલ   ખાતે રાખવામાં આવેલ છે.

મંજુલાબેન સવજાણી

જામખંભાળીયાઃ સ્વ.મગનલાલ કરશનદાસ સવજાણી (જામ ખીરસરા વાળા)ના ધર્મપત્ના મંજુલાબેન (ઉ.વ.૮૫)તે હિના પ્રોવિઝન વાળા કાંતિલાલ તથા ભરતભાઇના માતૃશ્રી તેમજ દ્વારકાધીશ ટ્રેડિંગ કં.વાળા હરીશભાઇના દાદીમાં તેમજ બુધિબેન શાંતિલાલ નથવાણી તથા કુસુમબેન જગદીશભાઇ ગઢીયા તથા ગીતાબેન નરેન્દ્રભાઇ ઝાખરીયાના માતૃશ્રીના તા.૧૦ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ ગુરૂવારે સાંજે ૫ થી ૫-૩૦ શ્રી જલારામ મંદિર, ખંભાળિયા ખાતે ભાઇઓ તથા બહનો માટે રાખેલ છે.

ચંદુભાઇ કોઠીયા

ગોંડલ ચંદુભાઇ રણછોડભાઇ કોઠીયા તે કેયુરભાઇ તથા જુલીબેન (ડીવાયએસપી)ના પિતાશ્રી તથા લાલજીભાઇ તથા નાનજીભાઇ (એવીએમસી ગોંડલ)ના ભાઇનુ તા.૯ના રોજ અવસાન થયેલ છે બેસણુ તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬ 'રાધેશ્યામ વાડી' યોગીનગર મેઇન રોડ ગોંડલ ખાતે રાખેલ છે.