અવસાન નોંધ
હરેશભાઇ ગજેરા
ગોંડલઃ હરેશભાઇ મોહનભાઇ ગજેરા (ઉ.વ.૫૫) તે સ્વ.મોહનભાઇ રવજીભાઇ ગજેરાના પુત્ર કિશોરભાઇ, રાજેશભાઇ, રમેશભાઇના ભાઇ, રમણિકભાઇ રવજીભાઇ ગજેરાના ભત્રીજા તથા સાગર , હેતલબેનના પિતાનુ તા. ૧૧ રોજ અવસાન થયેલ છે.
સંકેત ટાંક
રાજકોટઃ સ્વ. વાઘજીભાઇ હરીભાઇ ટાંક (મીલન કોલ્ડ્રીકસ વાળા)ના પૌત્રઙ્ગ તે કિરીટભાઇ વાઘજીભાઇ ટાંકના પુત્ર સ્વ. સંકેત તે દિલીપભાઇ વાઘજીભાઇ ટાંક (મીલન કઠોળ)ના ભત્રીજા તથા મોહીતકુમાર ચોટલીયા (પીજીવીસીએલ) ના સાળા તથા સતીષભાઇ ધીરજલાલ રાઠોડ (મોર્ડન સ્ટુડીયો)ના ભાણેજ નું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ અમરનાથ મહાદેવ મંદિર બીગ બજાર પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
લાભશંકરભાઇ મહેતા
રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી નથુતુલસી લાભશંકરભાઇ મોનજીભાઇ મહેતા (ઉ.વ.૭૯) મુળ ગામ મોટા વડાળા હાલ રાજકોટ જે સ્વ. યોગેશભાઇના પિતા સાગરભાઇ મહેતાના દાદા તથા અરવિંદભાઇ, ભરતભાઇ અને કિરીટભાઇના કાકાનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું માધાપર ગામથી નિલકંઠ મહાદેવના મંદિરે તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
ભાનુબેન પરમાર
રાજકોટઃ ભાડવા નિવાસી મચ્છુ કઠીયા સઇ સુથાર સ્વ. લીલાધર દુર્લભજીભાઇ પરમારના ધર્મપત્નિ તેમજ અલ્પેશભાઇ તથા ડિમ્પલબેન અને પારૂલબેનના માતુશ્રી તેમજ રસીકભાઇ, કિશોરભાઇ ગુણવંતભાઇ, ભુપતભાઇ તથા વિનોદભાઇના ભાઇના પત્નિ તેમજ કાગદડીવાળા સ્વ. રતિલાલ ભનુભાઇ પીઠડીયાના દિકરી તથા સ્વ. ભીખુભાઇના બહેેન ભાનુબેન (ઉ.વ.૬૫) નું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ ભાડવા મુકામે સાંજે ૪ થી૬ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
મુકુન્દરાય ચરાડવા
રાજકોટઃ મુળ ગોંડલ હાલ રાજકોટ સોની મુકુન્દરાય જેઠાલાલ ચરાડવા (મહેતાજી) (ઉ.વ.૮૨) તે અરૂણભાઈ, સ્વ.ત્રિવેણીબેન, ગં.સ્વ.અન્નપુર્ણાબેનના મોટાભાઈ, તે રાજેશભાઈ (ચોકસીભાઈ), નયનાબેન, કનકબેન તથા જાગૃતિબેનના પિતાશ્રી તે પોપટલાલ જીવણલાલ લાઠીગરાના જમાઈ તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ તેમના નિવાસસ્થાન ગુંદાવાડી ૯/૧૨, પલંગ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.(લૌકિક વહેવાર બંધ છે.)
અનિલકુમાર વર્મા
રાજકોટઃ અનિલકુમાર રામસિંહ વર્મા (એચ.જે.સ્ટીલ), તે ઈન્દીરાબેન તથા રામસિંહ વર્મા (રેલ્વે)ના પુત્ર, પુનિતાબેન અનિલકુમાર વર્માના પતિ, પ્રીતિ નિલય પંડ્યાના પિતા અને ડો.વિજેતા નિલય પંડ્યા તથા ડો.પ્રિયંકા રાજકુમાર વર્માના કાકાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૩ના સાંજે ૪ થી૬ દરમ્યાન વાંકાનેર કો.ઓપ.હા.સોસાયટી કોમ્યુનિટી હોલ, કોપર સીટી ફલેટસની સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
બાવજીભાઇ વરમોરા
રાજકોટ વરિયા વંશ પ્રજાપતી બાવનજીભાઇ ગોકળભાઇ વરમોરા (ઉ.૭ર) (અનીડા વાછરા-હાલ રાજકોટ) ઉમેશભાઇના પિતાશ્રીનું બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ લક્ષ્મીનગર મેઇન રોડ, પ્રજાપતી જ્ઞાતિની વાડી રાજકોટ ખાતે રાખેલ છે.
નવીનચંદ્ર ભૂત
ગોંડલઃ નવીનચંદ્ર હીરજીભાઇ ભૂત (ઉ. ૭પ) તે સ્વ. લક્ષ્મીદાસ પોપટલાલ છાટબાર (ગોંડલ)ના જમાઇ તથા નટવરલાલ, સ્વ. ચમનલાલ, કિરીટભાઇ, અશોકભાઇના બનેવી તથા પ્રભુદાસ લવજીભાઇ જોગી, નારણદાસ લવજીભાઇ જોગી (ગોંડલ)ના ભાણેજનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, હવેલી શેરી ગોંડલ મુકામે રાખેલ છે.
ચંદ્રીકાબેન ઠાકર
જુનાગઢઃ ઔદિચ ખરેડી બ્રાહ્મણ ચંદ્રીકાબેન દીનેશભાઈ ઠાકર (નિવૃત્ત્। જી.ઈ.બી.) (ઊ.વ.૭૯) તે રાજેશ ડી.ઠાકર એડવોકેટ તથા પારૂલબેન વિરલભાઈ વ્યાસના માતૃશ્રીનું તા.-૧૦/૦૨/૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે સદગતનું ઉઠમણું તૉં-૧૩ને ગુરુવાર ના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ ભુતનાથ સતસંગ હોલ, ભુતનાથ મંદીર જુનાગઢ ખાતે રાખેલ છે.
સહદેવસિંહ જાડેજા
રાજકોટઃ નાનામવા નિવાસી સહદેવસિંહ ધીરૂભા જાડેજા (ઉ.વ.૬૨)નું તા.૯ રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન- બ્લોક નં.ઈ- ૧૬૭, શાસ્ત્રીનગર (અજમેરા) ખાતે રાખેલ છે. તેમજ તેમની ઉત્તરક્રિયા તા.૧૫ શનિવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
પ્રવિણસિંહ ઝનકાર
રાજકોટઃ ઉનાના અંજાર નિવાસી પ્રવિણસિંહ બાલુભાઇ ઝનકાર (ઉ.વ૪૦) તે યુવરાજસિંહ અને ઋત્વાના પિતાશ્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે.
પુષ્પાબેન ભટ્ટ
ગોંડલઃઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ ધોરાજી નિવાસી સ્વ મહીપતરાય છગનલાલ મહેતા ના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન પીતામ્બર ભટ્ટ (ઉમર વરસ ૮૩) તે કપિલાબેન મહેતા ધોરાજી, મીરાબેન નવનીતભાઈ ભટ્ટ મુંબઈ, સુધાબેન મુકેશભાઈ વાગડીયા રાજકોટ, ભાવનાબેન ધીરેનભાઈ પંડ્યા રાજકોટ, અને પ્રજ્ઞાબેન અલ્કેશભાઈ દવે ધોરાજી ના માતુશ્રીનુ અવસાન તા. ૦૯ રવિવારના રોજ થયેલ છે તેમનું ઉઠમણું તા. ૧૩ના ગુરુવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાને સ્ટેશન પ્લોટ, રેલ્વે સ્ટેશન પાસે, ધોરાજી રાખેલ છે.
મુકતાબેન નીમાવત
ફલ્લાઃ વાંકીયા નીવાસી સ્વ.અમૃતલાલ કાશીરામ નીમાવતના ધર્મપત્ની મુકતાબેન (જયાબેન) અમૃતલાલ નીમાવત (ઉ.વ.૮ર) તે કાંતિલાલ, સ્વ.દિલીપભાઇ, વિજયભાઇ, પ્રવિણભાઇ તથા વિનોદભાઇ (મુનાભાઇ - કલાકાર)ના માતુશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના રોજ તેમનાં નિવાસસ્થાને વાંકીયા મુકામે સાંજે ૪ થી પ દરમિયાન રાખેલ છે.
શારદાબેન ઠાકર
રાજકોટઃ ઔ. સ. ચિભડીયા બ્રહ્મસમાજના સ્વ.શશીકાંત પોપટલાલ ઠાકરના પત્ની શારદાબેન ઠાકર (ઉ.વ.૮૩) તે શૈલેષભાઇ, મીનાક્ષીબેન, અલ્કાબેન તથા વંદનાબેનના માતુશ્રી તથા પ્રિતમભાઇ, અનંતભાઇ, સગુણાબેનના ભાભીશ્રી તથા સ્વ.મોહનલાલ દામજીભાઇ પંડયાના પુત્રી તા.૯ના સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ના ગુરૂવારે શિવ કૃપા, ૧પ-અ, મેહુલનગર નિલકંઠ સિનેમાની પાછળ, સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે.
દયાબેન ડોડીયા
ધુનડા (સજજનપર): કારડીયા રાજપુત દયાબેન દામજીભાઇ ડોડીયા (ઉ.વ.૮પ) તે ભાવસિંહજી તથા રમેશભાઇ તથા રણજીતભાઇ તથા અજીતભાઇના માતુશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને ગુરૂવારે ધારેશ્વર મંદિરે (ભકિતનગર સર્કલ) ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે અને તેમની ઉતરક્રિયા તા.૧૭ને સોમવારે ધુનડા (સ.) મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
નંદલાલભાઇ મહેતા
રાજકોટ : બારડીયા : રાજગોર બ્રાહ્મણ નંદલાલભાઇ છગનભાઇ મહેતા (ઉ.વ.૬૧) તે છગનભાઇ નાથાભાઇના પુત્ર પ્રવીણભાઇ તથા ગિરધરભાઇના મોટા ભાઇ તથા રામજીભાઇ નાથાભાઇ મહેતાના ભત્રીજાનું દુઃખદ અવસાન ૯ને રવિવારના રોજ થયેલ છે.
નિરૂપમાબેન મહેતા
રાજકોટ : ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. જનાર્દન ગીરધરલાલ મહેતાના પુત્રી તે કિરીટભાઇ તથા ભરતભાઇ મહેતાના બહેન તે કપિલના માતુશ્રી નિરૂપમાબેન મહેતા (એ.જી ઓફિસવાળા)નું તા. ૯ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી ભીડ ભંજન મહાદેવનું મંદિર, તિરૂપતિનગર મેઇન રોડ શેરી નં. ૪ના ખૂણે, નવી કેન્સર હોસ્પિટલ પાસે, રૈયારોડ ખાતે રાખેલ છે.
મોતીબેન પરમાર
ધોરાજીઃ મોતીબેન દેવરાજભાઇ પરમાર તા. ૯ ને રવીવારના રોજ રામચરણ પામેલ છે. ઉતરક્રિયા તા.૧૯ ને બુધવારે બપોરે ૧૧.૩૦ કલાકે મુ.કોયલાણા (ઘેડ)તા. માણાવદર રાખેલ છે.
સવિતાબેન ગુજરાતી
ગોંડલઃ ખાંટ સવિતાબેન વાઘજીભાઇ ગુજરાતી (ઉ.વ.૮ર) તે પ્રવીણભાઇ તથા દિનેશભાઇના માતુશ્રીનું તા.૯ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન આશાપુરા ચોકડી સિધ્ધાર્થ નગર ગોંડલ ખાતે રાખેલ છે.
સુભાષભાઇ રાયચુરા
જુનાગઢઃ તાલાલા નીવાસી સુભાષભાઇ પરસોતમદાસ રાયચુરા (ઉ.૮૩ ) સ્વ.ઠા. હરજીવનભાઇ પરસોતમભાઇ રાયચુરાના ભાઇ તે ભરતભાઇ શૈલેષભાઇ, નીતાબેન વીરેનકુમાર દુવાણીના પીતાશ્રી તથા પ્રતીક, પ્રીયેશ (ગોટી) અને યશના દાદા તે ડોકટર દિલીપભાઇ રાયચુરા કાંદીવલી, પનુભાઇ તાલાલાવાળાના કાકા તથા પરેસભાઇ રાયચુરા તાલાલા વાળાના મોટા બાપા તે મેઘજીભાઇ માધવજી સોનપાલ પ્રાસલી વાળાના જમાઇનું તા.૧૦ના જુનાગઢમાં અવસાન થયેલ છે.ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૩ના ગુરૂવારે બપોરે ૪ થી પ જાગનાથ મહાદેવ મંદિરે તળાવ દરવાજે રાખેલ છેતેમજ બેસણું પ્રાર્થના સભા તા.૧૪ના લોહાણા મહાજન વાડી તાલાલા મુકામે સાંજે પ થી ૬ રાખેલ છે.
મોતીબેન વરઘાણી
ગોંડલઃ સ્વ. મોતીબેન ભેરૂમલ વરઘાણી તે લક્ષ્મણદાસ અને અશોકભાઇ તથા વિજયભાઇના માતૃશ્રી તથા કમલેશભાઇ તથા પ્રકાશભાઇ, દિનેશભાઇ, ભાવિનભાઇ, યશભાઇના મોટાબાનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ને મંગળવારે સાંજે પ કલાકે ''ઓમ શાંતિ'' પંચનાથ પ્લોટ કોલેજ ચોક પાસે ગોંડલમાં રાખેલ છે.
નયનાબેન આડેસરા
રાજકોટઃ સોની સ્વ. પરસોતમભાઇ જીવાભાઇ આડેસરા (મુળ મોરબી-હાલ રાજકોટ) ના પૌત્રી તે વનેચંદભાઇના દિકરી તથા રાજેશભાઇના મોટાબેન નયનાબેન (ઉ.વ.૪૮) તે ઝવેેરી પોપટલાલ પ્રાગજીભાઇ વારા પરસોતમભાઇ ગીરધરલાલની ભાણેજનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છેે. તેમનું બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી સોની વાઘેશ્વરીની વાડી યુનિટ નં.૩ રામનાથપરા રાજકોટ ખાતે રાખેલ છે.
ભારતીબેન મહેતા
રાજકોટઃ સાવરકુંડલા નિવાસી (હાલ વસઇ, મુંબઇ) ભારતીબેન લલીતકુમાર મહેતા (ઉ.વ.૭૪) તે સ્વ. લલીતકુમાર ભગવાનજી મહેતાના ધર્મપત્નિ, દિપકભાઇ, સ્વ. મનીષભાઇ, જીજ્ઞેશભાઇ તથા તુષારભાઇના માતુશ્રી તે ધ્રોલ નિવાસી ડો. સ્વ. વૃજલાલ ચુનીલાલ શેઠના પુત્રી તે ડો. ગુણવંત વી. શેઠ, મહેન્દ્રભાઇ વી. શેઠ (એફસીઆઇ), જીતેન શેઠ (વડોદરા), કિર્ર્તી શેઠ (મેનેજર, આજકાલ અમદાવાદ), મીના જીતેન્દ્રકુમાર પતીરા (કોટા), જયોતિબેન નરેન્દ્રકુમાર દોશી, રસીલાબેન શેઠ, જયશ્રીબેન ઉમેશકુમાર ગાઠાણીના મોટા બહેનનું તા.૧૦ને સોમવારના રોજ અરિહંત શરણ થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧૩નેે ગુરૂવારના રોજ વસઇ ખાતે રાખેલ છેે.