Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019
હિતેશભાઈ નથવાણીનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : સ્વ. અરવિંદભાઈ લક્ષ્મીદાસ નથવાણી તેમજ જયશ્રીબેન અરવિંદભાઈ નથવાણી ના મોટા પુત્ર શ્રી હિતેશભાઈ (ઉં.વ.૪૨) તે શ્રી મેહુલભાઈ (કામધેનુ પ્રોપર્ટીઝના) મોટાભાઈ તથા જૈમિત તથા યુગના પિતાશ્રી અને પ્રવિણચંદ્ર મોતીલાલ ઠક્કર ના જમાઈ તા. ૧૦ના શ્રીજી ચરણ પામેલ છે. જેમની પ્રાર્થના સભા તા. ૧૧ના શનિવાર ના રોજ સાંજે ૫ કલાક થી ૬:૩૦ કલાક સુધી સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપ નગર મેઇન રોડ, ઈનોવેટીવ સ્કુલ સામે, પંચાયત ચોક પાસે, રાજકોટ મુકામે રાખેલ છે. સદ્દગતના ચક્ષુ નું દાન કરેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

નીતિ વિજય હોટલવાળા ગંગદાસભાઈ ડોડીયાના ધર્મપત્નિ ધનલક્ષ્મીબેનનું અવસાન : આવતીકાલે શનિવારે સાંજે રાજકોટમાં બેસણું

રાજકોટ : ધનલક્ષ્મીબેન ડોડીયા તે ગંગદાસભાઈ ડોડીયા (નિતિ વિજય હોટલવાળા)ના ધર્મપત્નિ તથા રમેશભાઈ, દિનેશભાઈ અને જગદીશભાઈ તથા મંજુલાબેન, અજીતભાઈ, ઈલાબેન નરેન્દ્રભાઈ, વીણાબેન અનિલભાઈ તથા ભાવનાબેન દિનેશભાઈના માતુશ્રી અને સ્વ. પરસોતમભાઈ રણજીતભાઈ અને મહેન્દ્રભાઈના મોટા ભાભીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૧૧ના શનિવારે સાંજે :૩૦ થી :૩૦ સુધી રાજપૂત વાડી, રણછોડનગર શેરી નં.૧૫  રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

સવિતાબેન દેવમુરારી

રાજકોટઃ મુળ ગામ સુમરા હાલ રાજકોટ નિવાસી સ્વ.સવિતાબેન હેમતરામ દેવમુરારી રામાનંદી સાધુ (ઉ.વ.૮૨) તે જયસુખભાઈ એસ.ટી. તથા હર્ષદભાઈ તથા રાજેશભાઈ તથા હંસાબેનના માતુશ્રીનું તા.૮ને બુધવારના રોજ તા.૮ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ને શનિવારના  સાંજે ૫ થી ૭ રાજુભાઈ નિવાસ સ્થાન ''મારૂતી નંદન'' ગણેશપાર્ક-૧, કોઠારીયા સોલવન્ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પુનિતાબેન કોટક

રાજકોટઃ સ્વ. શ્રી ભગવાનજી પોપટલાલ કોટકનાં પુત્રવધુ તે મનુભાઈ ભગવાનજીભાઈ કોટક (મનુમામા) નાં ધર્મપત્નિ, પુનીતાબહેન મનુભાઈ કોટક (ઉં.વ. ૭૦) તે ભાવિનીબહેન દિપકકુમાર (પુના), નિષાબહેન તથા વિવેકભાઈનાં માતુશ્રી, પ્રવિણભાઈ તથા બિપિનભાઈનાં ભાભી તથા સ્વ. શ્રી ગોપાલદાસ તુલસીદાસ નંદાણીનાં સુપુત્રી તેમજ ઉપેન્દ્રભાઈ તથા ભુપેન્દ્રભાઈનાં બહેનનું તા. ૯ ને ગુરૂવારનાં રોજ, દુઃખદ અવસાન થયેલ છે. જેમની પ્રાર્થનાસભા બંને પક્ષની તા.૧૧ ને શનિવારનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ મધ્યે રાખવામાં આવેલ છે.

કેશોદના મારૂતી અન્નક્ષેત્રના ટ્રસ્ટી પુનાભાઈ ચોથાણીનું દુઃખદ અવસાન

કેશોદઃ પુનાભાઈ ઘેલાભાઈ ચોથાણી (ઉ.વ. ૯૭) તે કાંતિભાઈ, પોપટભાઈ તથા કેશુભાઈના પિતાશ્રીનું તા. ૫ના અવસાન થયેલ છે. સદ્ગત પુનાભાઈ મારૂતી અન્નક્ષેત્રના ટ્રસ્ટી અને સુંદરકાંડ સત્સંગ મંડળના મુખ્ય સંચાલક તરીકે વર્ષોથી સેવા આપી રહેલ હતા તથા તેઓ અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા અને લોકોમાં તેમણે સારી ચાહના મેળવેલ હતી.

પાર્વતીબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય ચીમનભાઇ નાનાલાલ જોષીના ધર્મપત્નિ તેમજ ગૌતમભાઇ, પંકજભાઇના માતુશ્રી પાર્વતીબેન (ચંપાબેન)નું તા.૯ના રોજ બનારસ ખાતે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે જાગનાથ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

જયસુખલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જયસુખલાલ નાનજીભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૫) તે શાસ્ત્રી વ્રજલાલભાઇ, રસિકભાઇ તથા સ્વ. પ્રભાબેન હિંમતલાલ ભટ્ટના લધુબંધુ તથા યોગેશભાઇ, કે.જે.  ત્રિવેદી (એડવોકેટ), મુકેશભાઇ તથા જયોતિબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીના પિતાશ્રી તથા સ્વ. શાંતિલાલ કાલીદાસ ભટ્ટના જમાઇ તથા કાંતિભાઇ, રસિકભાઇ તથા કેશવલાલના બનેવીનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલુ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા.૧૧ શનિવારના રોજ સાંજે ૬ કલાકે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી શેરી નં.૯, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ઉર્મિલાબેન મજીઠીયા

રાજકોટઃ ઉર્મિલાબેન (વિજયાબેન) નલીનકાંત મજીઠીયા (અમદાવાદ) તે સ્વ. પોપટલાલ ત્રિકમલાલ ગણાત્રાના સુપુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ.શાંતિલાલ, સ્વ. નારણભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ તથા મનોરમાબેન જોબનપુત્રા (રાયચુરા)ના બહેન તા.૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે સ્વસ્તિક હોલ, ડ્રાઇવ-ઇન સિનેમા, પાસે ડ્રાઇવ - ઇન રોડ, રીલાયન્સ માર્ટ સામે, થલતેજ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રભુદાસ દેવમુરારી

રાજકોટ : મૂળ પાનેલી મોટી નિવાસી (હાલ વેરાવળ - શાપર)ના રહેવાસી શ્રી પ્રભુદાસ લક્ષ્મણદાસ દેવમુરારી (ઉ.૭૮) તેઓ શ્રી જગદીશભાઇના મોટાભાઇ, રાજેશભાઇ, નિલેશભાઇ તથા જયેશભાઇ (જે.પી.)ના પિતાશ્રીનું તા.૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૧૧ને શનિવારે સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

ચંદનબેન મહેતા

લાલપુરઃ સ્વ.કાન્તીલાલ જેસંગભાઇ મહેતાના ધર્મપત્ની ચંદનબેન (ઉ.વ.૮પ) તે સુરેશભાઇ, પ્રકાશભાઇ, રાજુભાઇના માતુશ્રી તા.૬ના રોજ અરીહંત શરણ પામેલ છે. બેસણું તા.૧૧ શનીવારે બપોર ૪ થી પ નવી જૈન સમાજ વાડી લાલપુર રાખેલ છે.

પુષ્પાબેન પડધરીયા

પડધરીઃ કંદોઈ વેલજી જગજીવનભાઈ પડધરીયાના પત્નિ સ્વ. પુષ્પાબેન વેલજીભાઈ તે શાંતિભાઈ (મહારાષ્ટ્ર), નગીનભાઈ, મધુભાઈ, રમેશભાઈ (રાજકોટ), રાજેશભાઈ (અમદાવાદ), દિપકભાઈ તથા રંજનબેન તેજસ્વીભાઈ (ઉપલેટા)ના માતુશ્રીનું અવસાન તા. ૯ને ગુરૂવારે થયેલ છે. ઉઠમણુ તા. ૧૦ને શુક્રવારે સાંજે ૫.૦૦ કલાકે ધારશકિતમાતાની વાડી-પડધરી રાખેલ છે.

રણજીતસિંહ રાઠોડ

ગોંડલઃ રોહિશા (ગરાળ)ના વતની હાલ ગોંડલ સ્વ. રણજીતસિંહ રવિસિંહ રાઠોડ તે પ્રદ્યુમનસિંહ તથા અનિરૂદ્ધસિંહના પિતા તથા ભરતસિંહ તેમજ નરેન્દ્રસિંહના કાકા તથા વિજયસિંહના મામાનું અવસાન થયુ છે. બેસણુ તા. ૧૦ને શુક્રવારે ભગવતપરા રાજેશ હોલ ખાતે રાખવામાં આવેલ છે તથા ઉતરક્રિયા તા. ૧૬ ગુરૂવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

દેવેન્દ્રભાઈ પુરોહિત

જૂનાગઢઃ મૂળ આંકોલવાડી હાલ ગાંધીનગર દેવેન્દ્રભાઈ વિજયભાઈ રતિલાલ પુરોહિત તે સ્વ. બિન્દુકાંતભાઈ રતિલાલ પુરોહિત તેમજ સ્વ. કિશોરભાઈ રતિલાલ પુરોહીતના નાનાભાઈ તેમજ અર્પિતા તથા કિન્નરીના પિતાશ્રી તેમજ સ્વ. નટવરલાલ કાળીદાસ જોશી (કમી કેરાળા)ના જમાઈનું તા. ૮ ના રોજ અવસાન થયેલ. કુટુંબ પક્ષનું બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૧૧ને શનિવારે સમય સાંજે ૫ થી ૭ તેમના નિવાસ સ્થાન સેકટર-૪-એ, પ્લોટ નં. ૧૦૨૯/૧ ઓમકારેશ્વર મંદિર પાસે, ગાંધીનગર ખાતે રાખેલ છે.

હવ્વાબેન ચૌહાણ

કુતિયાણાઃ ધોરાજી નિવાસી ખાટકી હવ્વાબેન ઈકબાલભાઈ ચૌહાણ ત્રીજા રોઝાના દિવસે વફાત પામ્યા છે. તેઓની ઝીયારત તા. ૧૧ના રોજ સાંજે અસરની નમાઝ બાદ બાદલશાહબાપુની દરગાહમાં ધોરાજી ખાતે રાખેલ છે.

દિપકભાઈ મીરાણી

રાજકોટઃ દીપકભાઈ જયંતીલાલ મીરાણી (ઉ.વ. ૫૫) તે સ્વ. જયંતીલાલ રવજીભાઈ મીરાણીના સુપુત્ર તેમજ ધીરેનભાઈ તથા દિનેશભાઈના ભાઈ તેમજ રમેશભાઈ રાચ્છ તથા સ્વ. કિશોરભાઈ જયંતિલાલ રાચ્છ તેમજ ચમનભાઈ જયંતિલાલ રાચ્છના બનેવીનું તા. ૯ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૦ને શુક્રવારે પંચનાથ મહાદેવ મંદિરે સાંજે ૫ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

પ્રભુદાસભાઇ ભાડેશિયા

રાજકોટઃ ગુર્જર સુતાર, રામોદ નિવાસી હાલ રાજકોટ ભરતભાઇ તથા અતુલભાઇ અને હર્ષાબેન જે. મિસ્ત્રી (સાયન્ટીફીક કલોક-મોરબી)ના પિતાજી પ્રભુદાસ વિઠલદાસ ભાડેશિયા (ઉ.વ.૮૭) તા.૮ના ગૌલોકધામ પામેલ છે. બેસણું તા.૧૦ના શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન મજીઠીયા

રાજકોટઃ ચંદ્રિકાબેન પ્રાણલાલ મજીઠીયા (ઉ.વ.૭૪) તે પ્રાણલાલ કેશવલાલ મજીઠીયાના ધર્મપત્ની તેમજ જયેશભાઇ પ્રાણલાલ મજીઠીયા, ઇલાબેન હરેશકુમાર પોદા, કિર્તીબેન નિતીનકુમાર સૌમૈયા, ભાવનાબેન નિતીનકુમાર જોબનપુત્રા, મીનાબેન ગોપાલકુમાર દેવાણીના માતુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૦ને શુક્રવારે રાષ્ટ્રીયશાળા પ્રાર્થના હોલ સાંજે ૪ થી ૬ રાખેલ છે.મોસાળ પક્ષનું સાદળી સાથે રાખેલ છે.

ગુણવંતરાય ભટ્ટ

જુનાગઢઃ સોરઠીયા શ્રીગૌડ માળવીયા બ્રાહ્મણ મુળ જેતલસર જંકશન હાલ અમદાવાદ નિવાસી ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટ (ઉ.વ.૮૩) (નિવૃત નાયબ ખેતી નિયામક) તે દેવેનભાઇના પિતાશ્રી તથા ભૂપતભાઇ (એગ્રી.) શૈલેષભાઇ (રેલ્વે) લલીતભાઇ (ગોંડલ)ના મોટાભાઇનું તા.પના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૧૧ના સાંજે પ થી ૬ દૂધેશ્વર સોસાયટી કોમ્યુનીટી હોલ બસ સ્ટેશન પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન પડધરીયા

પડધરીઃ કંદોઇ વેલજીભાઇ જગજીવન પડધરીયાના ધર્મપત્ની પુષ્પાબેન, તે શાંતિભાઇ  (મહારાષ્ટ્ર), નગીનભાઇ, મધુભાઇ, રમેશભાઇ (રાજકોટ), રાજેશભાઇ (અમદાવાદ), દિપકભાઇ તથા રંજનબેન તેજસ્વીભાઇ (ઉપલેટા)ના માતુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૦ને શુક્રવારે સાંજે પ કલાકે, ધારશકિત માતાની વાડી, પડધરી ખાતે રાખેલ છે.

પુનિતાબેન કોટક

રાજકોટઉઃ સ્વ.શ્રી ભગવાનજીભાઇ પોપટલાલ કોટકના પુત્ર વધુ તે મનુભાઇ કોટક (મનુમામા)ના ધર્મપત્નિ પુનિતાબેન તે ભાવિન દિપકકુમાર (પુના) નિશા અને વિવેકના માતુશ્રી તે પ્રવિણભાઇ, બિપીનભાઇના ભાભી અને સ્વ. ગોપાલજીભાઇ તુલસીદાસ નંદાણીની પુત્રીનું ે દુઃખદ અવસાન થયું છે.

પ્રેમજીભાઈ ભટ્ટ

રાજકોટઃ મહાનક્ષેત્રા વિભાગ ઔદિચ્ય ગઢીયા રાજકોટ નિવાસી પ્રેમજીભાઈ કુરજીભાઈ ભટ્ટ (મ્યુ.કોર્પો.ના નિવૃત કર્મચારી) (ઉ.વ.૮૩) તે અશોકભાઈ ભટ્ટ તથા પ્રકાશભાઈ ભટ્ટ  આરએમસીના કર્મચારી  સીએસ શિવમ ભટ્ટના દાદા તથા ગૌરવ મહેતા જામનગરના મામા તથા ચંદ્રેશભાઈ જોશી જૂનાગઢના સસરાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું શનિવારે તા.૧૧ના સાંજે ૪ થી ૬ ગૌરેવશ્વર મહાદેવ મંદિર, જંકશન કો.ઓપ.સોસાયટી ખાતે રાખેલ છે.