Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017
અવસાન નોંધ

બાલાંભડીવાળા વાટલિયા પ્રજાપતિ દામજીભાઈ ગોંડલિયાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ : વાટલિયા પ્રજાપતિ દામજીભાઈ વીરજીભાઈ બાલાંભડીવાળા (ઉ.વ. ૭૫) તે હરીશભાઈ દામજીભાઈ ગોંડલિયા, પ્રકાશભાઈ દામજીભાઈ ગોંડલિયા, અરવિંદભાઈ દામજીભાઈ ગોંડલિયા અને રાજુભાઈ દામજીભાઈ ગોંડલિયાના પિતાશ્રીનું આજે તા. ૯-૧૨-૧૭ શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું સોમવારે તા. ૧૧-૧૨-૧૭ના સાંજે ૪ થી ૬,  ગિરનાર સોસાયટી, શેરી નં. ૧, ૪૦ ફૂટનો ખોડલ હોટલવાળો રોડ, મવડી પ્લોટ તેમના નિવાસ સ્થાને રાજકોટ ખાતે રાખેલ છે.(૨-૨૦)

વિજયાબા પરમાર

રાજકોટઃ ગુર્જર રાજપુત ગં. સ્વ. વિજયાબા (જામબા) જીલુભા પરમાર (ઉ.વ.૭પ) તે સ્વ.જીલુભા ગગજીભાઇ પરમાર (જુનાગઢનાં ઉતારાવાળા, દાણાપીઠ પાસે)ના ધર્મપત્ની તથા ભરતસિંહના માતુશ્રી તા.૮ના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ જુનાગઢ ઉતારો, ભીડભંજન શેરી નં.૬, સટ્ટાબજાર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

મુસ્તનશીરભાઇ ગારીયાધારવાલા

રાજકોટ : મુસ્તનશીરભાઇ મનસુરભાઇ ગારીયાધારવાલા તે હુસેનાબેનના શોહર તેમજ કુલસુમબેનનાં દિકરા તેમજ ફિરોઝભાઇ, શમીમબેન તથા રૂકશાનબેનના ભાઇ તેમજ અબ્દુલ તૈયબ તથા સકીનના બાવાજી તેમજ મુ.શાકીરભાઇ રાજપરાવાલાના સાળાનું અવસાન થયેલ છે. જયારતના સીપારા તા.૧૧ના સોમવારે બપોરે ૧:૩૦ કલાકે મરદો-બૈરાઓના સાથે મવાઇદ, રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ લખધીર

રાજકોટ : નટવરલાલ ભીમજીભાઇ લખધીરનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્ગતની ઉતરક્રિયા તા.૧૫ના શુક્રવારે તેમના નિવાસ સ્થાન ભગવતી પરા શેરી નં.૧૧, રાધેકૃષ્ણ મંદિર પાસે, સ્વામીનારાયણ ડેરી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

સરસ્વતીબેન વ્યાસ

રાજકોટ : સરસ્વતીબેન પ્રભુલાલ વ્યાસ તે હર્ષદભાઇ તથા કિરીટભાઇનાં માતુશ્રી તેમજ મૌલિક, સાગર તથા દર્પણનાં દાદીનું તા.૮ના અવસાન છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૫ થી ૬ સુધી નિવાસ સ્થાન વિષ્ણુ, લોર્ડ ક્રિષ્ના સીટી શેરી નં.૧, પોપટપરા પાછળ, રેલનગર સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતસિંહ ગોહેલ

રાજકોટ : કારડીયા રાજપુત ભરતસિંહ રામસિંહ ગોહેલ (ઉ.વ.૭૦) તે મંગલસિંહ તથા અતુલસિંહના પિતા તેમજ મહેક, યશરાજ, કૃનાલ તથા માનવના દાદા તેમજ અજીતસિંહ ડાભીના બનેવીનું તા.૮નાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ સુધી તેમના નિવાસ સ્થાન સતનામ સોસા. મેઇન રોડ, પુનિતનગર, ૧૫૦ રીંગ રોડ ખાતે રાખેલ છે.

વિનોદગીરી ગોસ્વામી

રાજકોટ : મૂળ ખળખંભાળીયા હાલ નવાગામ શિવાશ્રમ નિવાસી ગોસ્વામી વિનોદગીરી ઝવેરગીરી (ઉ.વ.૬૩) તે ભીખનગીરીનાં ભાઇ તેમજ જીતેન્દ્રગીરી, સંદીપગીરી અને નયનાબેનનાં પિતાશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧૧ના સોમવારે સાંજે ૩ થી ૫ દરમ્યાન તથા શંખાઢોળવિધિ તા.૧૬ના શનિવારે સાંજે તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે.

સુરેશભાઇ કલોલા

રાજકોટઃ વાંકાનેર (લાકડધાર) કલોલા (વાણંદ) સુરેશભાઇ વિરજીભાઇ (ઉ.વ.૪૦) તે જયસુખભાઇ, વસંતભાઇના નાનાભાઇ તથા પ્રતીકના પિતાશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને શનીવારે વાંકાનેર વાણંદ જ્ઞાતી મંદિર, દેના ેંક સામે ૪ થી ૬ રાખેલ છે.

સુધાબેન મહેતા

કાલાવડઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સુધાબેન યોગેન્દ્રભાઇ મહેતા (ઉ.વ.૬પ) તે સ્વ.હરીલાલભાઇ વિઠલજીભાઇ પંડયાની પુત્રી તેમજ બિનાબેન હિતેષભાઇ બધેકા (ભુજ), ઉર્મીબેન મહેતા (રાજકોટ), તથા સ્વ.હાર્દિકના માતા તેમજ હર્ષભાઇ તથા ખ્યાતીબેનના નાનીબાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૧મીએ સોમવારે સાંજે ૪ થી પ વાગ્યે પીપળેશ્વર મહાદેવ મંદિર કાલાવડ મુકામે રાખેલ છે.

બાબુભાઇ કોટડીયા

ગોંડલઃ બાબુભાઇ ભીમજીભાઇ કોટડીયા (ઉ.વ.૭પ) તે સ્વ.પરસોત્તમભાઇ, મગનભાઇ, મણિલાલના ભાઇ તથા ચેતનભાઇ (હાથી સિમેન્ટ વાળા)ના પિતાશ્રીનું તા.૮ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૩ થી પ નિવાસ સ્થાન પટેલ કોલોની, ગુંદાળા રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

પારૂલબેન ત્રિવેદી

રાજકોટ : ચલાલા નિવાસી હાલ રાજકોટ, ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કિશોરભાઈ પ્રહલાદભાઈ ત્રિવેદીના પુત્રી પારૂલબેન (ઉ.વ.૩૨), તે પંકજભાઈ (રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી.) સોનલબેન બકુલકુમાર ત્રિવેદી (ભાવનગર), રૂપલબેન કેતનકુમાર રાણા (ભાવનગર), તૃપ્તિબેનના બહેનનું તા.૮ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન, એ-૧૦૧, મીરેકલ ફલેટ, એફસીઆઈ ગોડાઉન રોડ, શેઠનગરની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયેન્દ્રભાઇ કુંડલીયા

રાજકોટ : ઠા.છોટાલાલ મંગલજી કુંડલીયાના સુપુત્ર જયેન્દ્રભાઇ તે સ્વ.કિશોરભાઇ, શરદભાઇ, સુરેશભાઇ, ચંન્દ્રકાન્તભાઇ, ભરતભાઇ, હરીશભાઇ તથા કુંદનબેન જોબનપુત્રાના ભાઇ તેમજ મીલાપ, પીયુષ તથા રૂપલબેન પ્રશાંતકુમાર ખાખપાડાના પિતાશ્રી તેમજ જગજીવનભાઇ જીવરાજભાઇ તન્નાના જમાઇનું તા.૮નાં અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૯ના શનિવારે સાંજે ૫ કલાકે ભીડભંજન મહાદેવનું મંદિર સટ્ટાબજાર પાસે રાખેલ છે.

સુરેશભાઇ કલોલા

રાજકોટ : વાંકાનેર (લાકડધાર) કલોલા (વાણંદ) સુરેશભાઇ વિરજીભાઇ (ઉ.વ.૪૦) તે જયસુખભાઇ તથા વસંતભાઇના ભાઇ તેમજ પ્રતિકનાં પીતાશ્રીનું તા.૮નાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ના શનિવારે સાંજે ૪ થી ૬ વાંકાનેર વાણંદ જ્ઞાતિ મંદિર, દેના બેંક સામે રાખેલ છે

રાજેશ અસ્વાર

રાજકોટ : રાજેશ વજેસિંહ અસ્વાર તે દિલીપસિંહ ટપુભાઈ અસ્વારના ભત્રીજા, સ્વ. અશોકભાઈના મોટાભાઈ, જયરાજના મોટાબાપુનું તા.૭ના અવસાન થયું છે. બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ લક્ષ્મીવાડી, ફુલવાળી ખોડીયાર મંદિરે રાખેલ છે

અનુબેન ખંઢેરીયા

રાજકોટ : ગોંડલ નિવાસી અનુબેન રણછોડભાઈ ખંઢેરીયા તે રણછોડભાઈ ગોવિંદભાઈ ખંઢેરીયાના પત્નિ તથા સ્વ. કનુભાઈ તથા હરિભાઈના માતુશ્રી તેમજ નવીનભાઈ (પ્રફુલભાઈ), શ્રી રાજકોટ જીલ્લા ઔદ્યોગિક સહકારી સંઘ લી. સૌરાષ્ટ્ર એમ્પોરીયમનાં પ્રમુખ અશ્વિનભાઈ તથા અનિલભાઈ, ભાવેશભાઈ (રજપૂત બંધુના તંત્રી), રાજેશભાઈ, પંકજભાઈના દાદીનું તા.૭ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને સુખનાથ નગર, સરકારી હોસ્પિટલ પાછળ, ગોંડલ ખાતે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૧૫ને શુક્રવારના રોજ રાખેલ છે. મો. ૯૮૭૯૫ ૭૪૯૭૩.

સ્મિતાબેન ધુલીયા

રાજકોટ : રાજકોટ નિવાસી મુકેશભાઈ ચંદુલાલ ધુલીયા (એસબીઆઈ)ના ધર્મપત્ની સ્મિતાબેન (ઉ.વ.૫૮) તે વિરલભાઈ(કશીશ હોલીડેઝ) અને ધવલભાઈના માતુશ્રી તે હરીલાલ કમળશી ભીમાણીના પુત્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧૧ને સોમવારે સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.