અવસાન નોંધ
અમૃતાબેન કોશરા
ગોંડલ : અમૃતાબેન મનસુખભાઇ કોશરા તે મનસુખભાઇ (અમૃત સ્ટુડિયો) ના પત્ની, પ્રકાશભાઇના માતા, વકીલ એન કે પરમારના બહેનનું તા. ૮ના અવસાન થયેલ છે, ઉતરક્રિયા તા. ૧૦ બુધવાર સવારે ૧૦ કલાકે મેઘવાળ સમાજની વાડી, ગોંડલ ખાતે રાખેલ છે.
રંજનબેન ઠાકર
ગોંડલ :વાલમ બ્રાહ્મણ રંજનબેન રશ્મિકાંતભાઇ ઠાકર (ઉ.વ.૭૫) તે સ્વ. રશ્મિકાંતભાઇ બાવાલાલભાઇ ઠાકર (નિવૃત જીઇબી)ના પત્ની, આશિષભાઇ રશ્મિકાંતભાઇ ઠાકર (જીઇબી કોન્ટ્રાકટર) તથા સ્વ. ગીતાબેનના માતા તથા દિવાનભાઇ ઠાકર (નિવૃત જીઇબી), પંકજભાઇ ઠાકર (નિવૃત જીઇબી), નરેન્દ્રભાઇ ઠાકર (નિવૃત મોંઘીબા હાઇસ્કૂલ), યોગેશભાઇ ઠાકર (નિવૃત નાગરિક બેંક-ગોંડલ)ના ભાભીનું તા.૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ને ગુરૂવારે ૪ થી ૬ ‘હેમવાડી' ગોંડલ ખાતે રાખેલ છે.
જીલુભાઇ ખુમાણ
સાવરકુંડલાઃ હાડીડા નિવાસી કાઠી દરબાર જીલુભાઇ ડોસલભાઇ ખુમાણ (ઉ.વ.૬પ) તે નજુભાઇના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયું છે તેમની ઉતરક્રિયા તા.૧૪ને રવિવારે હાડીડા મુકામે રાખેલ છે.
વિપુલભાઇ સદાસીયા
રાજકોટઃ મુળ ગામ વેરતીયા-વિરપરના રહિશ હાલ બજરંગપુર ગામના ચુવાળીયા કોળી વિપુલભાઇ સવજીભાઇ સદાદીયા (ઉ.વ.૩ર) તે સવજીભાઇ મનજીભાઇ સદાદીયાના નાનોપુત્ર તેમજ જયસુખભાઇ સવજીભાઇ સદાદીયાના નાનાભાઇનું તા.૭ના બજરંગપુર ગામે અવસાન થયેલ છે.
દેવીબેન દવે
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં.સ્વ.દેવીબેન ભાઇશંકરભાઇ દવે (મૂળઃ કણકોટ)ઉ.વ.૮૪ તે ભારતીબેન દિનકરરાય દવે (રાજકોટ), સુધાબેન અંબરીષભાઇ દવે (ભાવનગર), કુસુમબેન હરીશકુમાર ભટ્ટ (રાજકોટ) તથા સ્વ.નીલાબેન સુકેતુભાઇ મહેતા (મુંબઇ)ના માતુશ્રી અને ભાટીયા બોર્ડિગ વાળા નિરંજનભાઇ મહેતા અને હર્ષદભાઇ મહેતાના મોટા બેનનું તા.૬ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ ધૂમકેતુ હોલ, ૪-રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
માંકુબેન લાંબા
રાજકોટઃ માકુબેન લાખાભાઇ લાંબા (ગઢવી) (ઉ.વ.૬૨) તે લાખાભાઇ વાલાભાઇ લાંબાના ધર્મપત્નિનું તા.૭ના રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા.૧૧ ગુરૂવારે ના રોજ હુડકો કર્વાટર બી-૯૨, જુનાબસ સ્ટોપની પાછળ કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.
હાર્મિશ પરમાર
રાજકોટઃ મુળ મોટા રામપર હાલ રાજકોટ ડોે . રાજેશ કરશનભાઇ પરમાર (વાણંદ) ના પુત્ર હાર્મિશ પરમાર (ઉ.વ.૧૭) તે દિલીપભાઇ, વિજયભાઇ, અશ્વીનભાઇના પૌત્રનું તથા મિત પરમારના નાનાભાઇનું તથા ત્રંબાવાળા કિશોરભાઇ મગનભાઇ ભટ્ટીના ભાણેજનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા.૧૧ ગુરુવારના રોજ રાજરામેશ્વર મંદીર રાજલક્ષ્મી સોસાયટી કોઠારીયા રોડ રાજકોટ ખાતે સમય ૪ થી ૬ રાખેલ છે.
પમીબેન લોંગાણી
રાજકોટઃ ગિરનાર પાન સેન્ટર ''ધનરંજની'', ડો. યાજ્ઞિક રોડ વાળા શ્રી દેવેન્દ્રકુમાર તેમજ કલાસીસ પાન એન્ડ કોલ્ડ્રીંક તથા કમલેશ જનરલ સ્ટોર્સ, રામકૃષ્ણ નગર મેઇન રોડ વાળા કમલેશભાઇ, ભરતભાઇ, ચંદ્રેશ (ચિરાગ), નરેશ અને જીતેન્દ્ર લોંગાણીના માતાશ્રી પમીબેન નારાયણદાસ લોંગાણીનું તા.૮ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું (પગડીયું) તા.૧૦ બુધવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ઝુલેલાર નગર, શેરી નં.૪/૮, ઝુલેલાલ મંદીર પાછળ રાખેલ છે.