અવસાન નોંધ
જશવંતરાય જોષી
રાજકોટ : શ્રી સાતોદડ મેડતવાળ શ્રીગૌડ બ્રાહ્મણ સ્વ.લાભશંકર દુલર્ભજી જોષીના પુત્ર જશવંતરાય લાભશંકર જોષીનું તા.૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તે નિલેશભાઈના પિતા મીતના દાદા તથા સ્વ.કૃષ્ણકાંત જગન્નાથ જોષીના બનેવીનું બેસણું તા.૮ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
જયોતિન્દ્ર દવે
રાજકોટ : યજુર્વેદી શ્રીમાણી બ્રાહ્મણ જયોતિન્દ્ર વિષ્ણુપ્રસાદ દવે (ઉ.વ.૬૩) તે દક્ષાબેન દવેના પતિ અને વિજય, બિરેનના મોટાભાઈ તેમજ કુંતલ (વીકી) અને કૃપાના પિતાનું તા.૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ને સોમવારે સાંજે ૫ થી ૬ જલેશ્વર મહાદેવ મંદિર, પ્રશીલ પાર્ક, નીલસીટી કલબ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મુગટલાલ રાવલ
રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ માંડલીયા રાવલ સ્વ. મુગટલાલ પિતાંબર રાવલનું અવસાન તા.૬ને ગુરૂવારના સુરત મુકામે થયેલ છે. તે નરેશભાઈ, ભરતભાઈ તથા દેવેન્દ્રભાઈના પિતાશ્રી તથા મિલાપ અને નિરમ્યના દાદાનું બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી દર્શન એવન્યુ, રામેશ્વર પાર્ક, ૨ મેઈન રોડ, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
અરવિંદસિંહ સરવૈયા
રાજકોટ : સરવૈયા અરવિંદસિંહ (બાબુભા) કેશુભા (દાદા) હાલ રાજકોટ તે કુલદીપસિંહ અરવિંદસિંહ સરવૈયાના પિતાનું તા.૭ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તા.૧૦ને સોમવારે તેમના નિવાસસ્થાને અક્ષર માર્ગ, ૨, ગૌતમ નગર, માતૃકૃપા ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
લાભુબેન શાહ
રાજકોટ : મુળી નિવાસી હાલ રાજકોટ આઈડીયલ ટ્રાન્સપોર્ટવાળા શાહ હસમુખલાલ શાંતિલાલના ધર્મપત્નિ લાભુબેન (ઉ.વ.૮૫) તે સ્વ.રમણીકભાઈ, ચંદ્રકાંતભાઈ, દિલીપભાઈ, કિર્તીભાઈ, દિપકભાઈ તથા જયોતિબેન દિપકભાઈ મણીઆર (બોમ્બે)ના ભાભી તથા છાયાબેન જશ્મીનભાઈ વોરા તથા પારસ ટ્રેકટરવાળા વિપુલભાઈના માતુશ્રી તેમજ મોનીકા, આરતી તથા ભવ્યાના દાદીનું તા.૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.(
જીતભાઇ ચોલેરા
રાજકોટઃ ઠકકર રણછોડદાસ પ્રાગજી (દાણાપીઠ વાળા)ના પુત્ર સ્વ.શીવલાલભાઇના પૌત્ર તે જીત (ઉ.વ.ર૪) તે દિલીપભાઇ (કમલેશભાઇ)ના પુત્ર તે અમીના ભાઇનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૦ના સોમવારે સાંજે પાંચ વાગ્યે જાગનાથ મંદિરે, ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.
દિપકભાઇ બગથળીયા
રાજકોટઃ જેતપુર નિવાસી વાણંદ દિપકભાઇ જેન્તીભાઇ બગથળીયા (ઘડિયાળી) (ઉ.વ.પ૭) તે જયંત રેડિયો સર્વિસ ધોરાજી વાળા શાંતિભાઇના નાનાભાઇ તથા મિતેશ, નિશાના પિતાશ્રીનં તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના શનિવારે સાંજે ૪ થી ૬, ભદ્રેશ્વર મહાદેવ, પણીયારી શેરી, મોટો ચોક, જેતપુર ખાતે રાખેલ છે.
ભિખુભાઇ ઝાલા
રાજકોટઃ ભિખુભાઇ કાળાભાઇ ઝાલા (ઉ.વ.૮પ) મુ. ટિનમસના હાલ રાજકોટ નિવાસી તે વિનોદભાઇ, દિલિપભાઇ તથા ભગેસભાઇના પિતાશ્રી તેમજ રાજુભાઇ, જીતુભાઇ તથા મનિષભાઇના દાદા તા.૭ના રામચરણ પામેલ છે. તેનું બેસણું તા.૧૦ના સોમવારે સાંજે ૪ થી ૬, ગણેશપાર્ક શેરી નં.ર, કોઠારીયા સોલવન્ટ ખાતે રાખેલ છે.
મીનાબેન મારૂ
રાજકોટઃ મીનાબેન મારૂ (ઉ.વ.૬૬) તે વિનોદરાય ધિરજલાલ મારૂના ધર્મપત્ની તથા જલ્પેશભાઇ, વંદનાબેન ભાવેશકુમાર ટાંક, આરતીબેન નિખિલકુમાર રાઠોડના માતુશ્રી તા.૬ના અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારે સાંજના ૪ થી ૬, રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી, (સૂતેલા હનુમાનજી મંદિર રોડ) કોઠારીયા રોડ ટચ ખાતે રાખેલ છે.
કનકબેન શાહ
રાજકોટઃ જુનાગઢ નિવાસી (હાલ બેંગ્લોર) સ્વ.અનંતરાય લક્ષ્મીચંદ શાહનાં ધર્મપત્ની કનકબેન અનંતરાય શાહ (ઉ.વ.૭૪) તે પ્રમોદભાઇ શાહ (રાજકોટ), સંદીપભાઇ શાહ (જુનાગઢ)નાં ભાભી, તે ક્રિષ્નાબેન સુનીલભાઇ કોઠારી (જુનાગઢ), હિતેષ (ગોપુ), કેતન (ટીનુ), સોનાનાં માતુશ્રીનું તા.૬ના બેંગ્લોર અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શનીવારે બેંગ્લોર નિવાસે રાખેલ છે. સદ્દગતની સાદડી તા.૧૦ને સોમવારે જુનાગઢ મુકામે, ગંધરપ વાળા હાટકેશ્વર મહાદેવ મંદીર ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.
રમાબેન મહેતા
કોડીનારઃ કેશોદ નિવાસી નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ.વૃજલાલ રણછોડભાઇ મહેતાના પત્ની રમાબેન (ઉ.વ.૮પ) તે યોગેશભાઇ મહેતા (જુનાગઢ), જીજ્ઞેશભાઇ મહેતા (રાજકોટ), સ્વ.દક્ષાબેન જયાનંદ જાની (વેરાવળ જી.એચ.સી.એલ.), રેખાબેન હરેશભાઇ પાઠક (કોડીનાર) તથા આરતીબેન લલિતભાઇ ઉપાધ્યાય (જામનગર)ના માતુશ્રીનું તા.૭ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૯ને રવિવારે બપોરે ૩ થી પ કલાકે ગાયત્રી મંદિરે ટી.બી. હોસ્પિટલ રોડ કેશોદ ખાતેથી રાખ્યું છે.
જશુબેન ભાટુ
માણાવદરઃ આહિર જશુબેન ગોવિંદભાઇ ભાટુ (ઉ.વ.૪૯) તે ગોવિંદભાઇ દેવશીભાઇ ભાટુના પત્ની તથા જયકુમારના માતુશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.
મુકતાબેન વડેરીયા
વડીયા : વડિયા નિવાસી મુકતાબેન મગનભાઇ વડેરીયા (ઉ.વ.૮૫) તે સ્વ. મગનભાઇ નરભેરામભાઇ વડેરિયાના પત્ની તેમજ નવીનભાઇ (બાબભાઇ) હાલ જસદણ, સુરેશભાઇ (બાલાભાઇ) રમેશભાઇ, સતીશભાઇ, પ્રફુલભાઇ તેમજ સ્વ. રેખાબેન ચંદ્રકાન્ત સિંગાળા (રાજકોટ) ના માતુશ્રી તેમજ પરષોતમભાઇના ભાભીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું (ઉઠમણું) તા. ૮-૯-૨૦૧૮ શનિવારે બપોરે ૪ થી ૬ લોહાણાવાડી વડિયા ખાતે રાખેલ છે.
ચીમનલાલ કેશરીયા
ગોંડલ : ચીમનલા ગીરધરલાલ કેેસરિયા ઉ.વ.૮૭ તે કંચનબેન ના પતિ ,પંકજભાઇ, રાજુભાઇ, હિનાબેન, પન્નાબેન, જિજ્ઞાબેન, ના પિતા ગોંડલવાળા ગોકળદાસ ધનજીભાઇ ભીડા ના જમાઇનું તા. ૫ ને બુધવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૮ ને શનિવારે સાંજે પ થી ૬ જડેશ્વર મહદેવ મંદિર, પ્રશીલ પાર્ક, નીલસીટી પાસે યુનિ.રોડ રાજકોટ મુકામે રાખેલ છે.
મંજુલાબેન ચોટલીયા
જુનાગઢ : ગુર્જર ક્ષત્રિય કડિયા મંજુલાબેન છગનભાઇ ચોટલીયા ઉ.વ.૬૬ તે છગનભાઇ પ્રેમજીભાઇ ચોટલીયાના પત્ની તેમજ સંજય છગનભાઇ ચોટલીયાના માતુશ્રી નું તા. ૬ ને ગુરૂવારે અવસાન તયેલ છે. બેસણું તા.૮ ને શનિવારે ઓમકારેશ્વર મહાદેવ મંદિર દીપાંજલિ જુનાગઢ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
વિઠ્ઠલભાઇ મહેતા
જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ સ્વ. વિઠ્ઠલભાઇ પ્રભાશંકર મહેતા ઉ.વ.૮૧ તે ભાઇશંકરભાઇ મહેતાના મોટાભાઇ તથા પ્રવિણભાઇ તથા રાજુભાઇના પિતાશ્રી તથા મોહિતભાઇ તથા રોહિતભાઇના દાદા તથા કેશવભાઇ જ. પાઠક (અ.ફઅ.સ.આઇ) ના સસરા નું તા ૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને સોમવાર સાંજના ૪ થી ૬ ખાંટ રજપુત સમાજની વાડી આદિત્યેશ્વર મંદિર પાસે રાખેલ છે.
જનકભાઇ રાઠોડ
ટંકારા : મોચી ધીરજલાલ નટવરલાલ રાઠોડના પુત્ર જનકભાઇ ધીરજલાલ રાઠોડ (ઉ.વ.૨૫) તે રાજેશભાઇ,યોગેશભાઇ તથા જીજ્ઞાબેનના ભાઇનું તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૮ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
અશોકભાઈ મણીયાર
રાજકોટઃ મોઢ વણિક મધુબેન તથા પ્રવિણચંદ્ર નરોત્તમદાસ મણીઆરના પુત્ર અશોકભાઈ (હાલ મુંબઈ) તેઓ ચંદ્રેશ પ્રવિણચંદ્ર મણીઆર, નયનાબેન અશ્વિનકુમાર મહેતા તથા મીનાબેન હીતેષકુમાર પારેખના મોટાભાઈ તા.૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓની સાદડી તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે
સુરેશભાઈ જેઠવા
રાજકોટઃ સ્વ.સુરેશભાઈ માધુભાઈ જેઠવાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ''વિનોદ'' જય પાર્ક શેરી નંબર-૩ રાજકોટ મૂકામે રાખેલ છે.