અવસાન નોંધ
હેમતસિંહ વાઘેલા
રાજકોટઃ હેમતસિંહ દોલતસિંહ વાઘેલા (ઉ.વ.૯૩) ઉપલેટા વાળા (વાઘેલા મંડપ સર્વિસ વાળા)નું તા.૩ના ભાવનગર મુકામે અવસાન થયેલ છે. તેઓ ઇન્દ્રવિજયસિંહ, જયદેવસિંહ, જશવંતસિંહનાં પિતાશ્રી તથા કીન્તુરાજ, અભિજીત (કેનેડા), યોગેન્દ્રસિંહ, જયરાજસિંહ, બ્રિજરાજસિંહનાં દાદાનું બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, જેરામભાઇ હોલ, આદર્શ સ્કૂલ પાસે, ઉપલેટા મુકામે રાખેલ છે.
નલીનભાઇ રાઠોડ
રાજકોટઃ સ્વ.નભુભાઇ વિરજીભાઇ રાઠોડના પુત્ર, તે કિશોરભાઇ, પ્રતાપભાઇના ભાઇ નલીનભાઇનું અવસાન થયેલ છે. જેમનું બેસણું દરબારગઢ ચોક રામજી મંદિર ખાતે તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
રમણીકભાઇ વડગામા
રાજકોટઃ ગુર્જર સુતાર, સણોસરાવાળા, હાલ રાજકોટ, રમણિકભાઇ (રમેશભાઇ) દામજીભાઇ વડગામા, તે પ્રાણલાલભાઇ, કિશોરભાઇ, વ્રજલાલભાઇ તથા સ્વ.જેન્તીભાઇ વડગામા તથા સ્વ.દયાબેન ધીરજલાલ ખંભાયતાના ભાઇ, રીના બિમલભાઇ બકરાણીયા (જામનગર)ના પિતાશ્રી, તથા રાજાવડલાવાળા ધીરૂભાઇ તલસાણીયાના બનેવી તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૦ના, ગુરૂવારે, સાંજે ૪-૩૦ થી ૬, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.
દીલીપભાઇ સુચક
રાજકોટઃ મુળ ગારીયાધાર નીવાસી હાલ રાજકોટ ઠા. દીલીપભાઇ દામોદરભાઇ સુચક (ઉ.વ.૬૪) જે આશીષભાઇ, હીરેનભાઇ, મયુરભાઇ તથા શીલ્પાબેન કેતનકુમાર કાનાબારના પિતાશ્રી અને જસુભાઇ, ઘનશ્યામભાઇ, ડો.નરેશભાઇ, ભરતભાઇ, અતુલભાઇના ભાઇ થાય વ્રૃજલાલભાઇ કાનજીભાઇ માનસેતાના ભાણેજ થાય તથા મોહનલાલ મેઘજીભાઇ સરૈયાના જમાઇનું અવસાન થયેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા (ઉઠમણું) તા.૮ને મંગળવારે સાંજે ૪ થી ૬, ૧૦ર, સ્વસ્તીક કોમ્પ્લેક્ષ, લાખનો બંગલો, રામાપીર ચોકડી પાસે, ૮૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.
મનહરલાલ અનડકટ
રાજકોટઃ કૃષ્ણ કેમીકલ્સ વાળા મનહરલાલ પ્રેમજીભાઇ અનડકટ તે મૌલીકભાઇ તથા વીરલભાઇના પિતાશ્રી અને આદીત્ય તથા જયદેવના દાદાશ્રી તેમજ સ્વ.કાંતીભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ, સ્વ.લલીતભાઇ, અરૂણભાઇ તથા સ્વ.રેવાબેન ચંદારાણાના ભાઇ અને સ્વ.ચત્રભુજભાઇ દેવચંદ કોટકના જમાઇનું તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા.૧૦ના નંદવાણા બોર્ડીંગ, ૩/પ જાગનાથ પ્લોટ ખાતે સાંજે પ-૩૦ કલાકે રાખેલ છે.