અવસાન નોંધ
નિરૂભા ઝાલા
રાજકોટઃ દશરથસિંહ પ્રવીણસિંહ ઝાલા તથા ભુપતસિંહ પ્રવીણસિંહ ઝાલાના ભાઈ નિરૂભા પ્રવીણસિંહ ઝાલાનું સોમવાર તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ના શુક્રવારના રોજ પારસ સોસાયટી, ડોડીયા પાર્ક, પડધરી તા.પડૅધરી જી.રાજકોટ ખાતે રાખેલ છે.
હારૂનભાઈ સમા
રાજકોટઃ પૂર્વ ફાયર બ્રિગેડના ચેરમેન બીબીબેન હબીબભાઈ સમાના દિયર અને હબીબભાઈ ખમીશાભાઈ સમાના ભાઈ હારૂનભાઈ ખમીશભાઇ સમા તા.૭ને બુધવારના રોજ અલ્લાતાલ્લાની બારગાહમાં જન્નત નસીન થયેલ છે. તેમની જીયારત તા.૯ને શુક્રવારે જંગલેશ્વર ગોશીયા મસ્જીદ, રાજકોટમાં સવારે ૯ કલાકે રાખેલ છે. તેવુ હબીબભાઇ સમાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
સંજયભાઇ મકવાણા
જેતપુરઃ સ્વ.વેલજીભાઇ ગોવિંદભાઇ મકવાણાના પુત્ર સંજયભાઇ (ઉ.વ.૩પ)તે અશોકભાઇ (મોમાઇ પાન) હરેશભાઇના લઘુબંધુ તા. ૬ને મંગળવારના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ચાંપરાજની બારી ગોંદરા ખવાસ જ્ઞાતિની વાડી ખાતે રાખેલ છે.
ગોવિંદભાઇ રાઠોડ
આમરણઃ અંબાલા નિવાસી (હાલ આમરણ) મચ્છુ કઠિયા સઇ સુતાર ગોવિંદભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.વ.૭૯) તે ઘેલાભાઇ તથા હરેષભાઇના પિતાશ્રી તેમજ નરશીભાઇ (રાજકોટ) જીવરાજભાઇ (બાલંભા)ના મોટાભાઇનું તા.૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ થી પ, આમરણ મુકામે લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.
શારદાબેન પરમાર
રાજકોટઃ લુહાર મનસુખભાઇ પરમારના ધર્મપત્ની શારદાબેન (ઉ.વ.૭પ) તે સ્વ.અશોકભાઇ તથા પ્રવિણભાઇના માતુશ્રી તથા મેહુલ, પાર્થ તથા શુભમના દાદીમાનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬, બાલાજી પાર્ક શેરી નં.ર, મોરબી રોડ, નાગબાઇ પાનની સામેની શેરી, અમારા નિવાસ સ્થાને રાખેલ છે.
કાંતીલાલભાઇ મોદી
રાજકોટઃ કાન્તીલાલ ખીમજીભાઇ મોદી (ઉ.વ.૮૧) તે સ્વ.અનસુયાબેનના પતિ તેમજ કૌશીકકુમાર કે. મોદી, અતુલકુમાર કે. મોદી અને શ્રીમતિ રીટાબેન વિનોદરાય બથીયાના પિતાશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ના સાંજે ૪-૩૦ થી પ, જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, ખાતે (ભાઇઓ અને બહેનોને સાથે રાખેલ છે) તેમજ સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.
જીવીબેન વાઢેર
રાજકોટઃ વાંઝા દરજી ખડીયા-બીલખાઃ જીવીબેન કાનજીભાઇ વાઢેર (ઉ.વ.૧૦૯) તે સ્વ.ધનજીભાઇ, સ્વ.લીલાધરભાઇ તેમજ વ્રજલાલભાઇના માતુશ્રી અને મનસુખભાઇના દાદીમાનું તા.૭ના ખડીયા મુકામે અવસાન થયેલ છે. બેસણું બીલખા તા.૮ને ગુરૂવારે તેમજ ખડીયા મુકામે તા.૯ શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમજ ઉતરક્રિયા તા.૧પના ગુરૂવારે ખડીયા મુકામે રાખવામાં આવેલ છે.
ધર્મેન્દ્રસિંહ ચુડાસમા
રાજકોટઃ ધર્મેન્દ્રસિંહ ફતેહસિંહ ચુડાસમા (ઉ.વ.૬૭) તા.૭ના સ્વર્ગવાસ થયેલ છે. જેમનું બેસણું તા.૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬, શીવ મંદિર ગાયત્રીધામ ખાતે રાખેલ છે.
કિરીટસિંહ મોરી
રાજકોટ : કારડીયા રાજપુત અજીતભાઇ તથા સ્વ. બટુકભાઇ, દિલાભાઇ તથા હકાભાઇના મોટાભાઇ તેમજ જયેશભાઇ, પ્રકાશભાઇ (ટીન્કુ), વિજયભાઇ (સોની), ટીનાભાઇના મોટાબાપુ તેમજ સાગરભાઇ અને પરેશભાઇના પિતાશ્રી કિરીટસિંહ અમરસિંહ મોરી (કલાભાઇ ભુવા) નું તા. ૭ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું કાલે તા. ૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, સુર્યનગર શેરી નં.૩, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હારૂનભાઈ સમા
રાજકોટ : પૂર્વ ફાયર બ્રિગેડના ચેરમેન બીબીબેન હબીબભાઈ સમાના દિયર અને હબીબભાઈ ખમીશાભાઈ સમાના ભાઈ હારૂનભાઈ ખમીશાભાઈ સમા તા.૭ને બુધવારના રોજ અલ્લાતાલ્લાની બારગાહમાં જન્નતનશીન થયેલ છે. તેમની જીયારત તા.૯ને શુક્રવારે જંગલેશ્વર ગોશીયા મસ્જીદ, રાજકોટમાં સવારે ૯ કલાકે રાખેલ છે. તેવુ હબીબભાઈ સમાની યાદીમાં જણાવવામાં આવેલ છે.
રમેશભાઇ બગથરીયા
જામનગરઃ સ્વ. રમેશભાઇ પ્રાગજીભાઇ બગથરીયા (ઉ.વ.૬૭) તે આશીષભાઇ બગથરીયા, મનીષભાઇ બગથરીયા તથા નિલેશભાઇ બગથરીયાના પિતાશ્રી મનસુખભાઇ બગથરીયાના ભાઇનું તા.પ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૯ ને શુક્રવારે સાંજે ૪ થી પ ભાઇઓ-બહેનો માટે મુકતેશ્વર મહાદેવ મંદિર, મુરલીધરનગર શેરી નં. ૧ શિવમ પાનવાળી શેરી જામનગર ખાતે રાખેલ છે.
હર્ષવીણાબેન
ગોંડલ :. ઔદિચ્ય ખરેડી સમવાયી બ્રાહ્મણ હર્ષવીણાબેન (નાની બેન) (ઉ.૭૦) તે સ્વ. પ્રભાશંકર ડી. ભંડારીના પુત્રી તેમજ અવિનાશ ભંડારી (રાજકોટ ગોપાલ ડેરી), અરુણ ભંડારી (એ. જી. ઓફીસ રાજકોટ), અશોક ભંડારી (ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ રાજકોટ) ના મોટા બહેન તથા જયશ્રીબેન ભટ્ટના નાના બહેન તેમજ અર્જુન, અક્ષય, આદિત્ય, અંગદના ફાઇબા તથા મનીષ, મિલન, આશુતોષના માસીબાનું તા. પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ આજે ગુરૂવારે સાંજે ૪ થી પ, રામેશ્વર મંદિર મહાદેવવાડી, શેરી નં. ર, ગોંડલ ખાતે રાખેલ છે.
અબ્દુલહુશેન ત્રવાડી
જસદણઃ જામનગરના દાઉદી વ્હોરા અબ્દુલહુશેન તૈયબઅલી ત્રવાડી (ઉ.વ.૮પ) તે અબ્બાસભાઇ કલીમુદ્દીનભાઇના ભાઇ શબ્બીરભાઇ મુનીરાબેન, નફીસાબેન, રઝીયાબેન હબીબાબેનના પિતા તા.૭ના રોજ જામનગર ખાતે વફાત થયેલ છે. મર્હુમના જીયારતના સિપારા (કુઆર્નખ્વાની) તા.૮ને ગુરૂવારે જોહરની નમાઝ બાદ બાવાફળી બુરહાની મસ્જિદ સ્ત્રી-પુરૂષો સાથે જામનગરમાં રાખેલ છે.
હિનાબેન પંડયા
ગોંડલઃ વીરપુરના ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હિનાબેન (ઉ.વ.૩૧) તે મયંકભાઇ પંડયાના પત્ની તથા મુકુંદભાઇ દવે (શ્રી માનકેશ્વર મંદિર પૂજારી વીરપુર)ના પુત્રી, કપિલભાઇ તથા દર્શનભાઇ દવેના બહેનનું તા.૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી માનકેશ્વર મહાદેવ મંદીર, વીરપુર મુકામે રાખેલ છે.
ઇન્દુબેન રૂપારેલ
કોડીનારઃ સ્વ.જમનાદાસ વિઠ્ઠલદાસ રૂપારેલ (પણાંદર વાળા)ના ધર્મ પત્ની તેમજ ઉત્તમભાઇના માતુશ્રી ઇન્દુબેનનું તા.૬ના અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું આજે તા.૮ને ગુરૂવારે બપોરે ૪ કલાકે, સીધ્ધનાથ મંદિર, સરદારનગર, કોડીનાર ખાતે રાખેલ છે.
નરૂબેન કાત્રોડિયા
ગોંડલઃ મૂળ વાંકાનેર હાલ ગોંડલ નિવાસી પ્રવિણચંદ્ર ચતુરદાસ કાત્રોડિયાના ધર્મપત્ની નરૂબેન, તે મનીષભાઇ અનિલભાઇના માતા તેમજ અશોકભાઇ જયંતીલાલભાઇ, વિનોદભાઇના ભાભી તથા ઘનશ્યામભાઇના કાકીનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ ગુરૂવારે સાજંે ૪ થી ૫:૩૦, આશાપુરા સોસાયટી, જજ કોલોની આવાસ યોજના કવાર્ટર બિલ્ડીંગ નં.-૩, ગોંડલ ખાતે રાખેલ છે.
હુસેનભાઇ મલેક
કોડીનારઃ હુસેનભાઇ જહાંગીરભાઇ મલેક તે હારૂનભાઇ અને નઇમભાઇ (જી.એચ.સી.એલ. કાું. સુત્રાપાડા)નાં પિતાશ્રીનું તા.૭ને બુધવારે અવસાન થયેલ છે. જયારત તા.૯ને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે નઇ મસ્જીદ કોડીનાર ખાતે રાખવામાં આવેલ છે.
ચંદ્રીકાબેન રાજા
રાજકોટઃ દાળીયા નિવાસી ગોપાલભાઈ જમનાદાસભાઈ રાજા તથા બટુકભાઈ જમનાદાસભાઈ રાજાના ભાઈ સ્વ.વૃજલાલ જમનાદાસ રાજાના ધર્મપત્ની ચંદ્રીકાબેન વૃજલાલ રાજા (હાલ રાજકોટ) સુરેશભાઈ, કિશોરભાઈ, અલ્પેશભાઈના માતુશ્રીનું તા.૫ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ જૂના મોરબી રોડ, કચ્છી લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.
કાનજીભાઈ અમીપરા
રાજકોટઃ કાનજીભાઈ હંસરાજભાઈ અમીપરા (ઉ.વ.૬૦) તે ગોપાલભાઈ તથા મનોજભાઈના પિતાશ્રીનું તા.૭ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ શુક્રવારના રોજ સાંજે ૩ થી ૬ ગામ- મોટા ગુંદાળા, તા.જેતપુર, જી.રાજકોટ ખાતે રાખેલ છે.
અરજનગીરી પરસોતમગીરી
પોરબંદર : છાયા નિવાસી જુના જનસંઘી અને ભાજપના કાર્યકર અરજનગીરી પરસોતમગીરી તે ભીખુગીરી તથા મનસુખગીરીના પિતાશ્રી તથા છાયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેનના સસરા તથા ખંભાળીયાના વકિલ દિલિપગીરીના સસરા અને હુલાશબેનના પિતાશ્રીનું તા. ૬ને મંગળવારના રોજ કૈલાસગમન થયેલ છે. ઉઠમણું તા. ૮ને ગુરૂવારે સાંજના ૪થી ૫ અને શંખાઢોળ વીધી તા. ૧૮ને રવિવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
જલ્પાબેન રાચ્છ
રાજકોટઃ જલ્પાબેન ભાવિનભાઇ રાચ્છ (ઉ.વ.ર૯) તે જીતેન્દ્રભાઇ રતિલાલ નથવાણીના પુત્રી, સ્વ.નવનીતભાઇ, સ્વ.હસમુખભાઇ તથા વિજયભાઇ નથવાણીના ભત્રીજા તેમજ રિનાબેન તેજસકુમાર ખાખરીયા, શ્વેતાબેન સુમીતકુમાર વસાણીના નાની બહેનનું અવસાન થયેલ છે. તેની પિયર પક્ષની સાદડી પંચનાથ મંદિર ખાતે તા.૯ને શુક્રવારે સાંજે પ થી ૬ રાખેલ છે.
હેમકુંવરબેન વસવેલીયા
રાજકોટઃ મૂળ ગામ દહીંસરડા (આજી), હાલ રાજકોટ નિવાસી વરીયા વૈષ્ણવ પ્રજાપતિ હેમકુંવરબેન નારણભાઇ વસવેલીયા (ઉ.વ.૮ર) તેઓ સ્વ.નારણભાઇના ધર્મપત્ની તથા લાલજીભાઇના માતુશ્રી તેમજ હીરાભાઇ તથા કાંતિભાઇના કાકીશ્રી તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતના આત્માની શાંતિ અર્થે તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, જય મુરલીધર, રાણી પાર્ક સર્વે નં.૧૧, શેરી નં.૧, નંદનવન-૩ની બાજુમાં, રાધેક્રિષ્ના ડેરીની સામેની શેરી, મવડી ખાતે રાખેલ છે.
વાસુબેન ઝણકાટ
કોડીનારઃ મુળ પણાંદરના અને હાલ કોડીનાર નિવાસી કારડીયા રાજપુત સ્વ.વિરાભાઇ પરબતભાઇ ઝણકાટના પત્ની વાસુબેન (ઉ.વ.૯૪) તે.ડો. કિશોરભાઇ ઝણકાટ, કચરાભાઇ રણવીરભાઇ અમરસિંહભાઇ, તથા કેશુભાઇના માતુશ્રી તેમજ ડો.કિરણભાઇ અને ડો. મેહુલભાઇના દાદીમાં નુ તા.૭ના અવસાન થયુ છે સદગતનું બેસણુ તા.૯ને શુક્રવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી, ધોબી સમાજની વાડી પણાંદર રોડ, કોડીનાર ખાતે રાખેલ છે.