Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021
સ્વાધ્યાય પરિવારનાં અગ્રણી કાર્યકર્તા લતાબેન પીલોજપરાનું અવસાન

રાજકોટ તા. ૭ :.. જાણીતા ફોટોગ્રાફર તથા નિખિલ ગેરેજના નિખિલભાઇ પીલોજપરાના પત્ની, સ્વાધ્યાય પરિવારના અગ્રણી કાર્યકતા લતાબેનનું તા. ૬ ના નિધન થયું છે. તેમની સ્મશાનયાત્રા આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. જેમાં સ્નેહીઓ, સ્વાધ્યાય પરિવારના સભ્યો જોડાયા હતાં.

સ્વ. લત્તાબેન નિખિલભાઇ પીલોજપરા (ગજજર) સ્વાધ્યાય પરિવારના સક્રિય સભ્ય હતાં તેઓ સ્વાધ્યાય પરિવારના દરેક કાર્યક્રમોમાં હાજરી આપતા હતાં.

અવસાન નોંધ

નિર્મળાબેન જોષી

જુનાગઢઃ મૂળ નાના કોટડા હાલ જુનાગઢ નિવાસી નિર્મળાબેન ફુલશંકરભાઇ જોષી (ઉ.વ.૬૬)નું તેઓ ગાયત્રી મંદિરના પુજારી ફુલશંકરભાઇ વિઠ્ઠલભાઇ જોષીના પત્ની તથા સંજયભાઇ અને મુકેશભાઇના માતુશ્રી તથા ઉર્વશીબેન, પ્રણવ, નીરજ, દિવ્યના દાદીમાં ગુણવંતરાય એન. મહેતા, જુનાગઢ, ધીરૂભાઇ વિ.મહેતા રાજકોટ તથા રમેશભાઇ જે.મહેતા જેતપુરના બહેનનું અવસાન થયું છે. બેસણું તા.૮ શુક્રવારના રોજ ૪ થી ૬ કલાકે ગાયત્રી મંદિર ગિરનાર દરવાજે રાખેલ છે જુનાગઢ ફુલશંકરભાઇ મો.૯પ૩૭૧ ર૯૬ર૮, સંજયભાઇ મો.૯૮૯૮૦ ૪૮૭૩ર, મુકેશભાઇ મો.૯૯રપર ૮ર૮૩૬.

દેવકુંવરબા જાડેજા

મોરબી : મુળ ગુંગણ હાલ મોરબી નિવાસી સ્વ. નટુભા કેશુભા જાડેજાના ધર્મપત્ની દેવકુંવરબા (ઉ.વ.૮૧) તે દિલાવરસિંહ (મોરબી) તથા રામદેવસિંહ (ભાવનગર-રેલ્વે) ના માતુશ્રી તેમજ ઇન્દ્રજીતસિંહ અને યોગરાજસિંહના દાદીમાનું તા. ૬, બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાજપૂત સમાજની વાડી, ભવાની ચોક, મોરબી ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૬ શનિવારે રાખેલ છે.

મુકેશભાઇ દેવમુરારી

રાજકોટ : મુળ ગામ વિરપર-વેરતીયા હાલ નંદપુર (ગાયત્રીનગર) ગામના રહિશ રામાનંદીય સાધુ સમાજના મુકેશભાઇ મોહનદાસ દેવમુરારી (ઉ.વ.પ૬) તે કિશોરભાઇ મોહનદાસ દેવમુરારી - નંદપુર તથા રમેશભાઇ મોહનદાસ દેવમુરારી -રાજકોટના નાના ભાઇ, જયેશ, વિમલ (પિન્ટુ), મૌલીક, પાર્થના કાકાનું તા. ર ના નંદપુર ગામે અવસાન પામેલ છે. કિશોરભાઇ મો. ૮પ૩૦૬ ૪૩૮૪૮, રમેશભાઇ મો. ૮૩૪૭ર ૬ર૪૩૦

પ્રવિણચંદ્ર જોષી

કાલાવડઃ ઔ.ખરેડી સમવાય બ્રાહ્મણ ખરેડી નિવાસી પ્રવિણચંદ્ર મુગટલાલ જોષી (ઉ.વ.૮૦) તે ડો.મનુભાઇ પ્રમોદભાઇ અને સ્વ.મુકેશભાઈ, હંસાબેન, સરોજબેન તથા હિનાબેનના મોટાભાઈ તે મંજુલાબેન પી. જોષી પુર્વ પ્રમુખ જીલ્લા પંચાયત-જામનગર)ના પતિ તથા કેતનભાઈ, મમતાબેન અને માયાબેનના પિતાશ્રી રાહૂલભાઈના સસરાનું તા.૦૬ના અવસાન થયેલ છે. સદગત ઉઠમણું તા.૦૮ના શુક્રવારે ાંજે ૪ થી ૬ અમરનાથ મહાદેવ મંદિર, બિગ બજાર પાછળ રાજકોટ ખાતે તથા બેસણું ૧૧ના સોમવાર ૪ થી ૬ કાલાવડ મુકામે બ્રહ્મસમાજની વાડી કાલાવડ શીતલા ખાતે રાખેલ છે.

વંદનાબેન દસાડીયા

રાજકોટઃ હાલ રાજકોટ મુળગામ કેશોદ વંદનાબેન ગિરધરલાલ દશાડીયા (ઉ.વ.૩૪) તે ગીરધરલાલ વલ્લભદાસ દશાડીયા તથા ઉષાબેન ગીરધરલાલ દશાડીયાની પુત્રી અલ્કેશભાઈ ગીરધરલાલ દશાડીયા, રીનાબેન મનોજકુમાર સીનરોજા, બિંદિયાબેન સંદીપકુમાર અનોવાડીયાની બહેન તથા સોનિયાબેન અલ્કેશભાઈ દશાડીયાના નણંદ તા.૫ને મંગળવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું હાલની પરિસ્થિતિને અનુરૂપ તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરધરલાલ વલ્લભદાસ દશાડીયા મો.૯૯૦૯૦ ૭૭૪૦૦, ઉષાબેન ગીરધરલાલ દશાડીયા મો.૯૫૫૮૨ ૭૬૭૦૯, અલ્કેશભાઈ ગીરધરલાલ દશાડીયા મો.૯૯૨૪૩ ૬૧૪૧૫, સોનીયાબેન અલ્કેશભાઈ દશાડીયા મો.૮૧૪૧૯ ૩૯૧૦૦, રીનાબેન મનોજકુમાર સિનરોજા મો.૯૪૨૬૮ ૫૪૭૦૫, બિંદીયાબેન સંદિપકુમાર અનોવાડિયા મો.૯૫૧૦૪ ૮૮૩૬૬

ગૌરવ જોબનપુત્રા

રાજકોટઃ ગૌરવ દિનેશભાઈ જોબનપુત્રા (એકસીસ બેન્ક- રાજકોટ) તે દિનેશભાઈ હીરાલાલ જોબનપુત્રા (વાંકાનેર વાળા)ના પુત્ર અને આશીની વિશાલકુમાર તન્ના (ગાંધીધામ)ના ભાઈ, તે ધ્યેયના પિતાશ્રી અને શૈલેષભાઈ પ્રાણજીવનભાઈ ચંદારાણાના જમાઈનું તા.૬ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૭ ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

હિંમતલાલ કવૈયા

રાજકોટઃ લુહાર મુંબઈ હિંમતલાલ ભવાનભાઈ કવૈયા તે (જીયાણાવાળા) મારૂ જેરામભાઈ લવજીભાઈના જમાઈ તથા ઠાકરશીભાઈ, કિશોરભાઈ, જેન્તિભાઈ મારૂના બનેવી તા.૩ના રામચરણ પામેલ છે. તેમનું પિયર પક્ષનું બેસણું તા.૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રણછોડનગર ૧૪, ૧૫ નંબરની સ્કુલની બાજુમાં મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિની વાડીએ રાખેલ છે.

પુષ્પાબેન ભિંડોરા

વાંકાનેર : મુળ જેતપુરના હાલ વાંકાનેર પુષ્પાબેન (ઉ.વ.૭૧) તે કરશનદાસ વલ્લભદાસ ભીંડોરાના દિકરી તથા ભગવાનજીભાઇ, રમેશભાઇ, લલીતભાઇ અને કાનાભાઇના બહેનનું તા. ૬ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૮ ને શુક્રવારે સાંજે ૪ થી પ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા સોસાયટી વાંકાનેર રાખેલ છે.