Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019
જસદણના અગ્રણી વેપારી નીતીનભાઇ ભાડલીયાના પિતા શ્રી હરકિશનભાઇનુ અવસાન : સાંજે ઉઠમણુ

જસદણઃ દશા મોઢ માંડલિક વણિક હરકિશનભાઇ ભગવાનજીભાઇ ભાડલીયા(ઉ.વ.૮૦) તે નીતિનભાઇ તથા શૈલેષભાઇના પિતાશ્રી તેમજ પ્રતિકભાઇના દાદાનું તા. ૪-૮ના રોજ અવસાન થયુ છે. ઉઠમણુ તથા પ્રાર્થના સભા  આજે તા. ૬-૮ને મંગળવારે સાંજે ૪ થી ૫ મોઢ જ્ઞાતિ સમાજની વાડી શાકમાર્કેટ રોડ, જસદણ ખાતે રાખેલ છે.

એડવોકેટ રૂપરાજસિંહ પરમારના માતુશ્રીનું અવસાનઃ ૮મીએ બેસણું

રાજકોટ તા. ૬ :..  શ્રીમતી અન્નપુર્ણાદેવી રાજકુમારસિંહજી પરમાર તે રાજકોટના સીનીયર એડવોકેટ સ્વ. શ્રી રાજકુમાર ક્રિપાલસિંહ પરમારના ધર્મપત્ની તથા એડવોકેટ રૂપરાજસિંહ પરમાર (ભુતપુર્વ એજીપી તથા હાલ ભાજપ લીગલ સેલના મહામંત્રી) ના માતુશ્રીનું દુઃખદ અવસાન તા. ૪-૮-ર૦૧૯ ના રોજ થયેલ છે.

ર્સ્વગસ્થ સૌરાષ્ટ્રના સીનીયર એડવોકેટ સ્વ. શ્રી ક્રિપાલસિંહજીના પુત્રવધુ તથા અમલેટા - રતલામ ટેસ્ટના મહારાજ શંભુસિંહજી રાઠૌરના પુત્રી થતા હતાં.

સ્વ.નું બેસણું તા. ૮-૮-ર૦૧૯ ના ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાધે હોલ, પારીજાત સોસાયટી, ગીરીરાજ ડેરીવાળી શેરી, રૂડાનગર-ર, ની સામે, યુનિવર્સિટી રોડ, (પ્રેમ મંદિરથી યુનિ. જતા) રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જયાબેન મુરાશીયા

રાજકોટઃ વરિયા વંશ પ્રજાપતિ ગુંદાસરીવાળા હાલ રાજકોટ નિવાસી જયાબેન દિનેશભાઈ મુરાશિયા તે અશોકભાઈ દિનેશભાઈ મુરાશિયા તથા બિપીનભાઈ દિનેશભાઈ મુરાશિયાના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૫ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૯ના શુક્રવારના રોજ ૪ થી  ૬ પ્રજાપતિ કુમાર છાત્રાલય, ધરમનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

સરોજબેન પારેખ

રાજકોટઃ નિવાસી સરોજબેન (બચીબેન) પ્રવિણચંદ્ર જેચંદ પારેખ પુનાવાળા તે ધોરાજીવાળા નાનચંદ મોતીચંદ મહેતાના પુત્રી તથા અનિલાબેન અને તૃપ્તિબેનના માતુશ્રી તે હેમેન્દ્રભાઇ નંદલાલ શેઠ તથા ભરતભાઇ નવનીતલાલ શાહના સાસુજી શનિવાર તા.૩ના પાલીતાણા મુકામે અરિહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

દુર્લભજીભાઇ પરમાર

ધોરાજી : દુર્લભજીભાઇ રામજીભાઇ પરમાર તે સ્વ. અમુભાઇ પરમાર, ગોવિંદભાઇ પરમાર, ડો. જે.આર. પરમારના લઘુબંધુ, તેમજ સ્વ. ધર્મેશભાઇ તથા અતુલભાઇ, સોહિલભાઇના પિતાશ્રીનું તા. ૪ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ્થાન, બહુચરાજી પ્લોટ, માતાવાડી, ધોરાજી રાખેલ છે.

વિનોદભાઈ પંડ્યા

રાજકોટ : ઔ.ખરેડી બ્રાહ્મણ મુળ શ્રીનાથગઢ હાલ મુંબઈ વિનોદભાઈ રામશંકર પંડ્યા (ઉ.વ.૬૬) તે દિશાબેન - સ્વ.હરીશના પિતા તે સ્વ.બાલાશંકર મહેતા (ડોડીયાળા)ના ભાણેજ, સ્વ.અનુબેન, ઉર્મિલાબેન, મીનાબેન, જયસુખભાઈ પંડ્યા (શ્રીનાથજી), ગુણુભાઈ મહેતા, ચંદુભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈના ભાઈ તથા રાજુભાઈ ઠાકર, નિલેશભાઈ ઠાકરના મામાનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, યુનિ. રોડ સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી પાસે રાખેલ છે.

ગોરધનદાસ બગથરિયા

રાજકોટઃ દાત્રાણા નિવાસી હાલ રાજકોટ વાણંદ ગોરધનદાસ રણછોડભાઇ બગથરિયા (ઉ.વ.૯૬) તે શ્રીરામ ટેઇલર્સ વાળા વિનુભાઇ, રમેશભાઇતથા સ્વ.ભરતભાઇના પિતાશ્રી તથા ભાસ્કરભાઇ, જયદીપભાઇ તથા હાર્દીકભાઇના દાદા તા.પના શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે પ થી ૭, વાણંદ સેવા સમાજની વાડી, ર-લક્ષ્મીનગર, ખાતે રાખેલ છે.

રમેશકુમાર રૂપારેલ

અમરેલી : સાવરકુંડલા નિવાસી હાલ અમરેલીવાળા રમેશકુમાર છગનલાલ રૂપારેલ (ઉ.વ.૬૦) તે છગનલાલ નારણદાસ રૂપારેલ (રૂપારેલ જનરલ સ્ટોર્સ-સાવરકુંડલ વાળા) તે અલ્પેશભાઇ, આકાશભાઇ તથા આનંદભાઇના પિતાશ્રી તથા જયસુખભાઇ પોપટ પરિવાર-અમરેલીવાળા બનેવી આજે તા. ૬ મંગળવારે શ્રીજીચરણ પામેલ છે.