Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018
રાજપરા(ગઢ)ના પૂર્વ સરપંચ ભીખુભા જાડેજાનું અવસાનઃ સોમવારે બેસણુ

રાજકોટ :. રાજપરાના પૂર્વ સરપંચ અને સમાજ અગ્રણી શ્રી ભીખુભા હરિસિંહ જાડેજા (ઉ.વ. ૭૪) તે શ્રી મુળરાજસિંહ તથા વિરેન્દ્રસિંહના પિતાજી તથા નરપતસિંહ અને વિજયસિંહના મોટાબાપુ તેમજ હાર્દિકસિંહ, અજયસિંહ, યશરાજસિંહ, ઋતુરાજસિંહ, પરિક્ષિતસિંહ તથા મૌર્યરાજસિંહના દાદાબાપુનું તા. ૫-૧-૧૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૮-૧-૧૮ને સોમવારના રોજ રાજપરા મુકામે સવારે ૮ થી સાંજના ૫ સુધી રાખેલ છે.

અવસાન નોંધ

જેતપુરના અગ્રણી કાંતીભાઇ  રાઠોડનું અવસાન

જેતપુરઃ શહેરના અગ્રણી આગેવાન અને વ્યાપારી કાંતીભાઇ રાઠોડ તા.૪ ગુરૂવારનાના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સામાજીક સંસ્થા ચેમ્બર્સ ઓફ કોમર્સ જેસીઆઇ તથા જીમખાના કલબ દ્વાર તા.૮-૧-૧૮ સોમવારના રોજ સાંજે ૪ થી પ વણીક જ્ઞાતીની વાડી કણકીયા પ્લોટ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ છે. કાંતીભાઇ રાઠોડે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક સેવાકિય સંસ્થાઓમાં સેવા બજાવેલ. જેમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ, જીમખાના  કલબના પ્રમુખ જેસીઆઇ કલબના ફાઉન્ડર પ્રમુખ મોઢવણીક જ્ઞાતિમાં ટ્રસ્ટી તરીકે સીટી કાઉન્સીલ સહીતની અનેક સંસ્થાઓમાં તન મન ધનથી સેવા બજાવેલ.

ડાયાભાઇ મુંગપરા

રાજકોટઃ ડાયાભાઇ રણછોડભાઇ મુંગપરા તેઓ (ઉ.વ.૭૪) જીતેન્દ્રભાઇ ડાયાભાઇ મુંગપરા, ભરતભાઇ ડાયાભાઇ મુંગપરા તથા ભાવનાબેન મુકેશભાઇ ચોવટીયા પિતાશ્રીનું અવસાન રાજકોટ મુકામે તા.૪ગુરૂવારના રોજ થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભાઃ તા.૮ સોમવારે સવારે ૮ થી ૯:૪૫, પટેલ વાડી ,૧/૧૦ દયાનંદનગર, વાણીયાવાડી રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન તથા દેહદાન કરેલ છે.

જમનભાઇ સુરાણી

રાજકોટઃ મુળગામ ખાનકોટડા વાણંદ સુરાણી જમનભાઇ કેશવજીભાઇ(ઉ.વ.૭૬) તે સ્વ. રામજીભાઇ, સ્વ. દયાળજીભાઇ, સ્વ. જયાબેન, સ્વ. શાન્તાબેનના ભાઇ તથા જયંતિભાઇ તથા ધીરૂભાઇ તથા દિનેશભાઇ તથા શોભનાબેનના પિતા  તથા પરષોતમભાઇ પાડલિયા રામપરવાળાના બનેવી તથા રાઠોડ પ્રવિણભાઇના સસરા તથા મોલિક-વિશાલ-પ્રતિક-જલ્પા-ખુશી-દર્શીતના દાદાનું તથા રમણીકભાઇ કનુભાઇ અમદાવાદ તથા વિજયભાઇ જામનગર વાળાના કાકાનું તા.૬ને શનિવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ મોરબી રોડ  શ્રી રામ પાર્ક  શેરી નં.૧ને સામે રાખેલ છે.

મંજુલાબેન પાનસુરીયા

રાજકોટ : મંજુલાબેન વલ્લભભાઇ પાનસુરીયા (ઉ.વ.૬૦)નું તા.૪ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૬નાં શનિવારે સાંજે ૪ થી ૬ જીથરીયા હનુમાન મંદિર, મવડી મેઇન રોડ, આર્શિવાદ હોસ્પીટલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

મધુકાંતાબેન વ્યાસ

રાજકોટ : મધુકાંતાબેન નટવરલાલ વ્યાસ તે સ્વ.નટવરલાલના ધર્મપત્નીનું તા.૫નાં અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૮નાં સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યે સોમનાથ સોસાયટી-૩, કાલીકૃપા નીલકંઠ ડેરી સામે, રૈયા એક્સચેîજ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિક્રમભાઇ યાદવ

રાજકોટ : કોઠારીયા સોલવન્ટના નિવાસી વિક્રમભાઇ વેલજીભાઇ યાદવ તે દિપેશભાઇ તથા ડોલીબેનનાં પિતા તેમજ બિપીનભાઇ મગનભાઇનાં સસરાનું તા.૫ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૮ના સોમવારે કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસીંગ બોર્ડ કો.નં.૫૭૫ ગોîડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતની પાણીઢોરની ક્રિયા તા.૧૨ના રાખેલ છે.

ગોવિંદભાઇ માઢક

રાજકોટ : બડોદર નિવાસી હાલ જુનાગઢ રાજગોર બ્રાહ્મણ માઢક ગોવિંદભાઇ વિઠ્ઠલભાઇ (ઉ.વ.૭પ), તે સ્વ.અશ્વિનભાઇ તથા ગીરીશભાઇ માઢક (રાજકોટ)ના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ બીલનાથ મહાદેવ, પ્રેમાનંદ વિદ્યાલય પાસે વંથલી રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે તેમની ઉત્તરક્રિયા તા.૧પને સોમવારે ત્રિવેણીનગર, સરકારી પ્રા.શાળા પાછળ ટીંબાવાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન રાઠોડ

રાજકોટ : દશામોઢ માંડલીયા વણીક મુળ જેતપુર નિવાસી જયોત્સનાબેન મહેન્દ્રભાઇ રાઠોડ તે મહેન્દ્રભાઇ ભુપતલાલ રાઠોડના ધર્મપત્નિ, મોહિતભાઇ રાઠોડ તથા કાજલબેન દેસાઇના માતુશ્રી, સેતુરભાઇ દેસાઇના સાસુ, પ્રવિણભાઇ રાણભણ, પંકજભાઇ રાણભણ, સુનિલભાઇ રાણભણના બહેન, ગં.સ્વ.ભાનુબેન કાંતિલાલ રાઠોડના દેરાણી તથા પંકજભાઇ તથા આશાબેન રાઠોડના ભાભી, ડિમ્પલબેન, વૈશાલીબેન, મનિષાબેનના કાકી તથા હર્ષ રાઠોડ અને યશ રાઠોડના ભાભુનું તા.૦પને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ શનિવારના રોજ સાંજે ૪ થી પ-૩૦ નિવાસસ્થાન શિલ્પન વિલા, ક્રિસ્ટલ મોલ પાછળ, આઇઓસી કોલોની સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન ભટ્ટી

રાજકોટ : ગં.સ્વ.વિજયાબેન ત્રિભોવનભાઇ ભટ્ટી જે ભરતભાઇ ત્રિભોવનભાઇ ભટ્ટીના માતુશ્રી તેમજ ભગીરથભાઇ (રોશની પાન) અને ભુષણભાઇ (વિશાલ ટ્રાવેલ્સ)ના દાદીમાંનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.૮ના સોમવારે ૪ થી પ-૩૦ પંચનાથ મંદિર ખાતે રાખેલ છે

ઘનશ્યામભાઇ ઠાકર

રાજકોટ : ઔ.સ.ચિ. બ્રહ્મસમાજના ઘનશ્યામભાઇ પ્રભાશંકર ઠાકર (ઉ.વ.૭૬) (નિવૃત એએસઆઇ) (મુળ કોટડાસાંગાણી), તે હેમશંકરભાઇ, સ્વ.કનૈયાલાલ, સ્વ.બાલાશંકરભાઇ, સ્વ.પરશુરામભાઇના ભાઇ તથા સ્વ.મયુરભાઇ, યોગેશભાઇ, કુંદનબેન ભટ્ટ, રસિલાબેન જાશી, વીણાબેન ભટ્ટ, આરતીબેન ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ.ગીરજાશંકરભાઇ, સ્વ.પ્રભાશંકરભાઇ, મગનભાઇ ત્રિવેદીના બનેવીનું તા.પના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૮ને સોમવારના સાંજે ૪ થી પ-૩૦ ‘ખોડિયાર નિવાસ’ સરકારી સ્કુલ સામે, રૈયાધાર ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર જાની

વાંકાનેર : ચા.મ.મોઢ બ્રાહ્મણ જાની પ્રવિણચંદ્ર હિંમતલાલ (ઉ.વર્ષ-૮૦), તે પરેશભાઇ તથા નિલાબેન નિકુંજકુમાર દવેના પિતાશ્રી તથા સ્વ.પ્રાણલાલ ચત્રભુજ પંડયાના જમાઇનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૮ને સોમવારે સાંજ ૪ થી પ ચા.મ.મોઢ બ્રાહ્મણની વાડી, ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.