Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018
અવસાન નોધ

કચનબન રાયઠઠ્ઠા

રાજકોટઃ સ્વ. જયંતિલાલ મથુરાદાસ રાયઠઠ્ઠાના પત્ની કંચબેન જયંતિલાલ રાયઠઠ્ઠા (ઉ.વ.૭પ) તે રીકેશભાઇ, મધુવનભાઇ (લાલાભાઇ) (ક્રિષ્ના સેલ્સ વાળા) તથા બિંદુબેનના માતુરી તેમજ વિમલભાઇ ખેતાણીના સાસુ તેમજ સ્વ.વલ્લભદાસ બેચરદાસ રાજવીરના પુત્રી, કાન્તીલાલ, છબીલદાસ, નટવરલાલ, જયંતીલાલ તથા કલ્પનાબેન સી. નંદાણીના બેન તા.૪ રવીવારે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા (બેસણું) તેમજ પિયર પક્ષની સાદડી આજે તા.પ સોમવારે સાંજે પ થી ૬, શ્રી અલકેશ્વર મહાદેવ, અલ્કાપુરી-૧ર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન ભટ્ટ

જામનગરઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનાં કાન્તાબેન જશવંતરાય ભટ્ટ (ઉ.વ.૮૪) તે પાનેલીવાળા સ્વ.જશવંતરાય હરિલાલ ભટ્ટના પત્ની, અને પ્રફુલ્લાબેન, ભાવનાબેન, કલ્પનાબેન, ડો.કૈલાસબેન, સ્વ.જયમનભાઇ અને સ્વ.હર્ષભાઇના માતા અને કેનેડા નિવાસી નરહરીપ્રસાદ નવલશંકર ત્રિવેદીના બહેનનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું સોમવાર તા.પના રોજ સાંજે પ થી પ-૩૦, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

રાજેન્દ્ર થાપા

રાજકોટઃ નિવાસી નેપાલી સ્વ.રૂદ્રબહાદુર ગગનબહાદુર થાપા, ગં. સ્વ. મંજુલાબેનના પુત્ર રાજેન્દ્ર થાપા (ઉ.વ.૬૦) તે એસ.આર.પી. ગ્રુપ-૧૩ના સેનાપતિ સ્વ.ધનબહાદુર ઓલીક્ષત્રીય તથા રેલવે લોકો પાયલોટ મનબહાદુર ઓલીક્ષત્રીયના ભાણેજ તથા રણજીતસિંહ વશિષ્ટ (ગજાનંદ ડેવલોપર્સવાળા) રાણાભાઇના સાળાનું તા.૩ના અવસાન થયેલ છે. જેનું બેસણું આજે તા.પ ના સોમવારે સાંજના પ થી ૬, મારૂતેશ્વર મહાદેવ મંદિર સદ્દગુરૂ વાટીકા સામે, એરપોર્ટ રોડ, ખાતે રાખેલ છે.

પ્રભાબેન પરમાર

રાજકોટઃ જુનાગઢ જીલ્લાનાં વંથલી નિવાસી વલ્લભદાસ રતનશીભાઇ રાઠોડની પુત્રી, ભૂપતભાઇ, વિનોદભાઇ, હરેશભાઇ, હેમંતભાઇ, ભરતભાઇ અને બિપીનભાઇના બહેન શ્રીમતિ પ્રભાબેન ધીરજલાલ પરમાર (ઉ.વ.૬૮)નું અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેમનું બેસણું-પ્રાર્થના સભા રાજકોટમાં આજે તા.પના સોમવો સાંજે ૪ થી ૬, સ્થાન સી-ર, બ્લોક નં.ર, વિતરાગ સોસાયટી, ૧પ૦ ફૂટ રીંગ રોડ, ગાંધીગ્રામ પાસે રાખેલ છે.

તારાબેન શામ

રાજકોટઃ તારાબેન હસનઅલી શામ (ઉ.વ.૬૬) તે શેખ અકબરઅલી ભારમલના બઇરો (બદરે મુનીર-તંત્રી / નિલમ ટ્રેડ લીંકસ), તે લમિયાબેન અદનાનભાઇ રસ્સીવાલા (મુંબઇ) તથા મુસ્તફાભાઇ (સુહેલભાઇ) ભારમલના માં સાહેબા વફાત થયા છે.

ધનસુખભાઇ મહેતા

રાજકોટઃ જુનાગઢ નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ધનસુખભાઇ મણીશંકર મહેતા (ઉ.વ.પ૬) જે ધર્મેન્દ્ર પોપટભાઇ દવે રાજકોટના બનેવી તથા નિરવ મહેતાના પિતાશ્રીનું તા.રના અવસાન થયેલ છે. તેમની પિયર પક્ષની સાદડી જુનાગઢ નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ વાડી ગાંધીગ્રામ ખાતે આજે તા.પના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મુસ્તુફાભાઇ ભારમાલ

ગોંડલ : મુસ્તુફાભાઇ મોહસીનઅલી ભારમલ તે રોહનાબેન (વિસાવદર) ના સોહર, ફરીદાબેન, હકીમુદિન (રાજકોટ), તથા જૈનબબેન મુસ્તુફાભાઇ (પોરબંદર) ના ભાઇનું તા. ૩ ના અવસાન થયેલ છે, તેમના શિયામુના શિયારા તા. પ સોમવારે સવારે ૧૧ કલાકે નવી મસ્જિદ, આંબલી શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.

કમળાબેન ચાવડા

ગોંડલ : કમળાબેન હિરજીભાઇ ચાવડા તે સ્વ. હીરજીભાઇ ગોવિંદભાઇ ચાવડાના પત્ની તે ભરતભાઇ, જયવંતભાઇના માતુશ્રી અનમોલ, જયોતના દાદીમાંનુ તા. ૪ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૧૬ યોગીનગર, મેઇન રોડ, ગુરૂકુળ પાછળ ગોંડલ મુકામે રાખેલ છે.

ધનજીભાઇ કારેલીયા

ગોંડલ : લુહાર ધનજીભાઇ ગીરધરલાલ કારેલીયા (ઉ.૭૬) તે ભરતભાઇ, સ્વ. દીપકભાઇ, પ્રકાશભાઇ, જયોતિબેન, પ્રજ્ઞાબેનના પિતાશ્રી તેમજ રાજેન તથા હિતાશ્રીના દાદાનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. પ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રાધા પાર્ક સોસાયટી, ચોકડી પાસે, કલબ હાઉસ, ગોંડલ ખાતે રાખેલ છે.

હિમ્મતગીરી  ગૌસ્વામી

મોરબી : હિમ્મતગીરી અમૃતગીરી ગૌસ્વામી (ઉ.૮૯) (શકિત પૂજનના આચાર્ય), તે સ્વ. અનિલગીરી તથા રાજુગીરી (આરટીઓ) અને શૈલેષગીરીના પિતાનું તા. ૩-૧૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગત બેસણું તા. પ ને સોમવારે સાંજે ૪ થી૬ પ્રેસ કોલોની, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ જાદવ

રાજકોટ : સ્વ. ધનજીભાઇ માવજીભાઇ જાદવના પુત્ર મનસુખભાઇ (પારૂલ મેન્સ વેર) ઉ.વ.૬ર, તે કિશોરભાઇના નાનાભાઇ તથા ઉદિતભાઇના પિતાશ્રી (મયુરભાઇ, ચેતનભાઇના કાકા)નું તા. પ ના અવસાન થયેલ છે. બેસણું તા. પ ને સોમવારે પ.૩૦ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રર/૩૯ ન્યુ જાગનાથ વિદ્યા ભવન ફલેટ પાસે, રાખેલ છે.

રઘુવીરસિંહ જાડેજા

રાજકોટઃ રઘુવીરસિંહ બહાદુરસિંહ જાડેજા તે ભીખુભા તથા સ્વ.જશુભા તથા સ્વ.રણજીતસિંહના ભાઈ તેમજ ક્રિપાલસિંહ, વિરપાલસિંહ, રવિરાજસિંહના કાકાશ્રીનું તા.૨ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૧૦ શનિવારના રોજ ગામ રાદડ, તા.પડધરી ખાતે રાખેલ છે.

હરજીવનદાસ લશ્કરી

રાજકોટઃ મુળગામ કાલાવડ (શીતલા) ગીતા સાઈકલ સ્ટોર્સવાળા હાલ ચારણ પીપળીયા નિવાસી રામાનંદી સાધુ સમાજના હરજીવનદાસ હિરાદાસ લશ્કરી (ઉ.વ.૮૪) તે સ્વ.જીવરામદાસ લશ્કરી (કાલાવડ)ના નાનાભાઈ, દલપતરામભાઈ લશ્કરી (રાજકોટ)ના મોટાભાઈ તેમજ સ્વ.કિશોરભાઈ, ધીરજલાલભાઈ (રાજકોટ)ના પિતાશ્રી મેહુલ, રાહુલ, મિલનના દાદાનું તા.૪ને રવિવારના રોજ ચારણ પીપળીયા ગામે અવશાન પામેલ છે.

જહરાબેન ભારમલ

રાજકોટ : દાઉદી વ્હોરા જહરાબેન અહેમદઅલી ભારમલ (પાયાવાલા) (ઉ.વ.૯૫) તે અલી અસગરભાઈ, શબ્બીરભાઈ, સારાબેન (જામનગર), શકીનાબેન (વઢવાણ), હસીનાબેન (ભાવનગર)ના માતાજી થાય, હોઝેફાભાઈ, અબ્દુલ કાદીરભાઈના દાદીમા, અસગરભાઈ (જામનગર), કુત્બુદ્દીનભાઈ (વઢવાણ), ખુર્શીદભાઈ (ભાવનગર)ના સાસુમા તા.૪ના ગુજરી ગયા છે. મરહુમના ઝિયારતના સીપારા તા.૬ના મંગળવારે સફર તા.૨૭મીના રોજ જોહરની નમાઝ બાદ સૈફી કોલોની (મવાઈદ) રાજકોટ મુકામે રાખેલ છે.

વિકાસકુમાર ધનેશા

વેરાવળ : ગડુ (શેરબાગ) નિવાસી સ્વ. નારણભાઇ મનજીભાઇ ધનેશાના પુત્ર વિકાસકુમાર (ભયાભાઇ) ઉ.૫૦ તે. સુરેશભાઇ, દીપકભાઇ,રીટાબેન રમેશકુમાર ગોટેચા (સુરત) ના ભાઇ તા. ૪ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૫ ને સોમવારે બપોરે ૪ થી પ લોહાણા મહાજન વીડી ગડુ (શેરબાગ)મુકામે રાખેલ છે.