Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018
જામનગર જીલ્લા પંચાયત આરોગ્ય સમીતીના પુર્વ ચેરમેન લખધીરસિંહ જાડેજાના માતુશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

જામનગરઃ  ધ્રોલ તાલુકાના રોઝીયા ગામ નિવાસી રાજકુંંવરબા રતુભા જાડેજા (ઉ.વ.૭પ) તે જામનગર જીલ્લા પંચાયત આરોગ્ય સમીતીના પુર્વ ચેરમેન લખધીરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા દશરથસિંહ જાડેજાના માતુશ્રીનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા. ૮ ને સોમવારે ૪ થી ૬ તેમના રોઝીયા સ્થિત નિવાસસ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

મંગળદાસ પલાણનું ૧૦૩ વર્ષની વયે દુઃખદ નિધનઃ સાંજે પ્રાર્થનાસભા

રાજકોટઃ કચ્છી લોહાણા ગામ નખત્રાણા હાલ રાજકોટ મંગલદાશભાઇ નારણજીભાઇ પલાણ (ઉ.વ.૧૦૩) તે પ્રભાબેનના પતિ જેન્તીલાલ રસીકભાઇ રાજુભાઇ કિરીટભાઇ સ્વ. કિશોરભાઇ પુષ્પાબેન કિશોરભાઇ ગણાત્રા પદમાબેન અનિલભાઇ મીરાણી અરૂણાબેન કમલેશભાઇ માણેકના પિતાશ્રી સ્વ. સુપ્રીમ વારા ગંગાબેન ધનજીભાઇ તન્નાભાઇ તે સ્વ. જમનાદાસ નારણજીના મોટાભાઇ દિપક, મયુર, ધવલ, અશોક, સાગર, સચીન, જયોતિ રમેશભાઇ પુના, શીતલ વિશાલભાઇ મુલુન, જાગૃતિબેન માધાપર ભુજ નિલમ, લતા, ઉર્વશી, કાનોના દાદા તે રામજીભાઇ કોટક વાકાનેરના બનેવી તા.૩ના અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૫ શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે કચ્છી લોહાણા મહાજનવાડી, મોરબી રોડ, ધોળકીયા સ્કુલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

 તરૂણાબેન રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ. તરૂણાબેન કેશવલાલ રાઠોડ તે સંજયભાઇ કે. રાઠોડ, સંગીતાબેન પરેશકુમાર પરમાર, જીજ્ઞાબેન કિશોરકુમાર ટાંકના માતુશ્રી તે બોડકા નિવાસી સ્વ. લાલજી હરજી ચૌહાણના પુત્રીનું (ઉ.વ.૬૬) ના તા.૪ના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૬- ગુંદાવાડી લક્ષ્મી વાડી મેઇન રોડ જગદીશકુંજ  ખાતે રાખેલ છે.

કુસુમબેન પારેખ

રાજકોટઃ નિવાસી સ્વ. અજરામર અભેચંદ દોશીના પુત્રી શ્રીમતી કુસુમબેન ચંદ્રકાંત પારેખ (ઉ.વ.૭૮) તે સ્વ.   ચંદ્રકાંતભાઇ પારેખ (પૂર્વ આસી. કમિશ્નર જામનગર) ના ધર્મપત્નિ, સ્વ. જેન્તીભાઇ તથા બકુલભાઇ દોશી, સ્વ. તારાબેન ભુપતલાલ શાહ, મંજુલાબેનના બહેન તા.૩ને બુધવારના રોજ મુંબઇ મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્ગતની સાદડી તા.૬ ને શનિવારના રોજ, સાંજે ૫ થી ૬ બકુલભાઇ દોશી, મહાવીર ૨૬-૪૩, પ્રહલાદ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન સોલંકી

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિના દુર્ગ નિવાસી નર્મદાબેન મુળજીભાઈ સોલંકી (ઉ.વ.૯૪) તે સ્વ.ધનસુખભાઈ, શ્યામુભાઈના પિતા, સ્વ. મગનલાલ રવજીભાઈ ચાવડા (રાજકોટ), સ્વ.જયાબેન શામજીભાઈ વાઘેલા (બાંટવા) ના બેન, મહેશભાઈ, અશ્વીનભાઈના ફૈબા તા.૫ને ગુરૂવાર રોજ દુર્ગ મુકામે અવસાન પામેલા છે. પિયર પક્ષનું બેસણું તા.૬ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬, દરજીની વાડી, સાગંણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ધીણોજા

રાજકોટઃ ગોંડલ નિવાસી સોની રસીકલાલ દયાળજી ધીણોજાના ધર્મપત્નિ પુષ્પાબેન (ઉ.વ.૮૫) તે અરવિંદકુમાર, પ્રફુલચંદ, શશીકાંત, શ્રીકાન્ત તથા મધુબેન, નયનાબેન, માલતીબેનના માતુશ્રી તા.૫ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું શનિવાર તા.૬ના સાંજે ૪ :૩૦ થી ૬ વાગે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે રામેશ્વરચોક પાસે સુભાષનગર મેઈન રોડ આમ્રપાલી સિનેમા પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. બંને પક્ષની સાથે રાખેલ છે.

હરિહરરાય મારૂ

રાજકોટઃ હરિહરરાય કાન્તિલાલ મારૂ (ઉ.વ.૮૪) રીટાયર્ડ ડેપ્યુટી કલેકટર, તે જાગૃતિ ચિરંતન બુચ, આરતી જીતેશ ઓઝા અને ભકિત નિકુંજ બુચના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૬ શનિવારના રોજ સાંજે ૫ થી ૬, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે.

પ્રેમીલાબા જાડેજા

કેશોદ :  સ્વ. પ્રેમીલાબા જીલુભા જાડેજા (ખીમાણી સણોસરા હાલ કેશોદ), તે વિક્રમસિંહ (જામનગર) અને મહીદીપસિંહ (કેશોદ)ના માતુશ્રીનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૬ શનિવારે સાંજે ૪થી ૬, તેમજ ઉત્તરક્રિયા તા. ૧૦ બુધવારના રોજ કેશોદ રાખેલ છે.

જયંતીભાઇ પ્રજાપતિ

જેતપુર : વરીયા વૈશ્નવ પ્રજાપતિ જયંતીભાઇ રવજીભાઇ ચાચાપરા (ઉ.વ.૭પ) તે બાલાભાઇ, વિનોદભાઇ, હરસુખભાઇ, સ્વ. જગદીશભાઇના વડીલ બંધુ તેમજ ચંદ્રેશભાઇ, ચેતનભાઇના પિતાશ્રી તા. ૪ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૬ શનિવારે સાંજે ૪થી ૬, તેમના નિવાસ સ્થાન જનતાનગર, રામદેવપીરના મંદિર પાસે-જેતપુર ખાતે રાખેલ છે.

રતીભાઇ સંચાણીયા

જેતપુર : વરિયા વૈશ્નવ પ્રજાપતિ કોઠારીયા (માણાવદર) નિવાસી રતીભાઇ કાનજીભાઇ સંચાણીયા (ઉ.વ.૭૪) તે સ્વ.મનુભાઇ હરીભાઇ (ઝાપોદળ), હરસુખભાઇ, વસંતભાઇ (અમદાવાદ)ના વડીલબંધુ તેમજ દિનેશભાઇ, મહેન્દ્રભાઇના પિતાશ્રી તા. ૪ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૬ શનિવારના રોજ ૩ થી ૬, તેમના નિવાસ સ્થાન કોઠારીયા તા. માણાવદર ખાતે રાખેલ છે.

વનીતાબેન ગોહેલ

જેતપુર : સોરઠીયા ધોબી હરીભાઇ નારણભાઇ ગોહેલના પુત્ર ડાપેન્દ્રભાઇના ધર્મપત્ની વનીતાબેન (ઉ.વ.પર) તે જગદીશભાઇના નાનાભાઇના પત્ની, પ્રવિણભાઇ, ચંદુભાઇ (ઉત્સવ મ્યુમેેક) ના ભાભી તેમજ ઉમંગ, હાર્દિક, જાનુના માતુશ્રી તા. પના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા. ૮ સોમવારના સાંજે ૪થી ૬, તેમના નિવાસ સ્થાનઃ વિશાલ નગર, નકલંક આશ્રમ રોડ, ભવાની ફલેટ પાસે તેમજ પિયર પક્ષનું બેસણુ તા. ૧૧ ગુરૂવારના રોજ ૪થી ૬ કલાકે, ૬-ગોપાલ નગર, 'બ્રહ્માણી કૃપા' રાજકોટ રાખેલ છે.

 રસીલાબેન લશ્કરી

રાજકોટઃ નિવાસી ચતુરદાસ ગોરધનદાસ લશ્કરીના ધર્મપત્નિ તેમજ વિજયભાઇ ચતુરદાસ તથા અજય ચતુરદાસ લશ્કરીનું તા.૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમજ તેમની ઉત્તરક્રિયા તા.૧૨ને શુક્રવારના રોજ મનેશ્વર મહાદેવ મંદીર રાજકોટ ખાતે રાખેલ છે.

લખધીરભાઇ બારોટ

ગોંડલ : બીલડી (તા. ગોંડલ) બારોટ લખધીરભાઇ નાથાભાઇ બારોટ (નિવૃત ખેતીવાડી અધિકારી)) તે બટુકભાઇ સ્વ. બાબુભાઇ, પ્રવિણભાઇના નાનાભાઇ તથા સ્વ. ગૌરવના પિતાશ્રીનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૬ સવારે ૮ થી પ દરમિયાન બીલડી  મુકામે રોખલ છે.

ગિરીશભાઇ રાજયગુરૂ

ગોંડલ : ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ, મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના ગોંડલ નિવાસી ગિરીશભાઇ વ. રાજયગુરૂ જે ડો. નિરંજન રાજયગુરૂ (આનંદ આશ્રમ, ઘોઘાવદર)ના મોટાભાઇ અને આનંદભાઇ શાસ્ત્રી, ઉદયભાઇ (રિધમ આર્ટિસ્ટ), વિમલભાઇ (રેઇનબો કાસ્ટિંગ, શાપર), કુ. નિલંતાબેન (કલાપી સ્કુલ) ના પિતાજી, ભુવેશ્વરી પીઠના હિસાબનીશનું અવસાન તા. ૧ના રોજ થયું છે. ઉઠમણું તા. પ શુક્રવારે સાંજે પાંચ વાગ્યે કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, શ્રી રામ હોસ્પિટલની બાજુમાં, શ્રી રામ દ્વાર ગોંડલ તથા ઉત્તરક્રિયા અને સરવણી ગુરૂવાર તા. ૧૧ અને શુક્રવાર તા. ૧ર ના રોજ નિવાસસ્થાન શિવાશ્રય કાશીવિશ્વનાથ રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

છગનભાઇ દેકિવાડિયા

માણાવદરઃ છગનભાઇ ભોજાભાઇ દેકિવાડિયા (ઉ.વ.૮૪) તે નાનજીભાઇ, કાન્તીભાઇ તથા શાંન્તીભાઇના પિતાશ્રીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પ શુક્રવારે સાંજે પ-૩૦ સુધી, બાલકૃષ્ણ કોમ્યુનીટી હોલ પાવર હાઉસ પાછળ, માણાવદર રાખેલ છે.

પરસોતમભાઇ કાનાબાર

કુકસવાડાઃ (માળિયા હાટીના) પરસોતમભાઇ મગનલાલ કાનાબાર (ઉ.વ.૮પ) તે પ્રવિણભાઇ, જગદીશભાઇ, ભરતભાઇ તેમજ નયનાબેન મુકેશકુમાર ચાંદ્રાણી, કિરણબેન શૈલેષકુમાર ચાંદ્રાણી  અમરેલીના પિતાશ્રી  સોમજીભાઇ ઓધવજીભાઇ ધનેશા (જુથળ)ના જમાઇનું તા.૪ના રોજ કુકસવાડા ખાતે અવસાન થયુ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.પને શુક્રવારે સાંજે ૪ થી પ, લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

મોહનભાઇ રાઠોડ

માળિયા હાટીનાઃ ભંડુરી નિવાસી મોહનભાઇ વશરામભાઇ રાઠોડ (ઉ.વ.૮૩) તે હસમુખભાઇ, હેમતભાઇ, રમેશભાઇ તથા મનહરભાઇના પિતાશ્રીનું તા.રના રોજ અવસાન થયેલ છે.

રણજીતસિંહ વેદ

રાજકોટઃ નવગામ ભાટીયા હાલ રાજકોટ રણજીતસિંહ (નાનાભાઇ) (ઉ.વ.૮૩) તે સ્વ.જમનાદાસ બીરજી વેદના પુત્ર, ઇન્દુબેનના પતિ તે સ્વ.નરોતમદાસ દામોદરદાસના જમાઇ તે સ્વ.ભીખુભાઇ તથા સ્વ.ભાનુબેન જેન્તિલાલ ઉદેશીના ભાઇ તે ભરત, સ્વ.જનક તથા અ.સૌ. ભારતી ભરતભાઇ ઉદેશીના કાકા તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું શનિવાર તા. ૬ના સાંજે પ-૩૦ કલાકે ભાટીયા બોર્ડિંગ, રેલ્વે જંકશન સામે રાખેલ છે.

શાંતાબેન રાઠોડ

રાજકોટઃ રાઠોડ શાંતાબેન છગનભાઇ તે રમેશભાઇ, રસીકભાઇ, કિશોરભાઇ, ભૂપતભાઇના માતુશ્રી મુળ દાદર બરડીયા હાલ રાજકોટનું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૬ના શનિવારે ૪ થી ૬, હુડકો કવાટર સી-૩૧૦, કોઠારીયા મેઇન રોડ ખાતે  રાખેલ છે.

લખધીરભાઇ બારોટ

ગોંડલઃ બારોટ લખધીરભાઇ નાથાભાઇ ઉ.વ. ૫૯ નિવૃત ખેતીવાડી અધિકારી, તે બટુકભાઇ, બાબુભાઇ, પ્રવીણભાઇના નાનાભાઇ સ્વ ગૌરવના પિતા તથા ભરતભાઇ બારોટ મહેશભાઇ, શુભમના કાકાનું તારીખ ૪ના અવસાન થયેલ છે. બેસણું તા.૬ શનિવારના સવારના આઠથી ૫ વાગ્યા સુધી રાખેલ છે.