Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018
પડધરીવાળા મણીલાલ બુદ્ધદેવનું દુઃખદ અવસાન : કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : પડધરી નિવાસી મણીલાલ હરીલાલ બુદ્ધદેવ (ઉ.વ.૯૨) તે નવીનભાઈ (ધર્મેશ ટેકસટોરઈમ) નવનીતભાઈ (જીયાજી - પડધરી), કિરીટભાઈ (શ્રી ક્રિએશન), મહેશભાઈ (પાણી પુરવઠો), મુકેશભાઈ (શ્રીનાથજી કલોથ ટ્રેડર્સ) તેમજ ભાનુબેન, કનકબેન, ક્રિષ્નાબેનના પિતાશ્રી તેમજ જાજાસરવાળા રામજીભાઈ ગંગારામભાઈ રાચ્છના જમાઈ તથા જી. આર. રાચ્છ (ટેકસ કન્સલ્ટન્ટ)ના બનેવીનું અવસાન તા.૨ના રોજ થયેલ છે. સદ્દગતની બંને પક્ષની પ્રાર્થનાસભા આવતીકાલે તા.૪ શનિવારના સાંજે ૪ થી ૬ જનકલ્યાણ સોસાયટી હોલ રાજકોટ મુકામે રાખેલ છે.

અવસાન નોંધ

નરેન્દ્રભાઈ દોશી

રાજકોટ : નરેન્દ્રભાઈ વ્રજલાલ દોશી (ઉ.વ.૭૬), ગામ રાજકોટ કે જે સ્વ.તારાબેનના પુત્ર તથા જયેશભાઈ, સંજયભાઈ માલાબેનના પિતાશ્રી તથા સ્વ.દિનેશભાઈ, જગદીશભાઈના ભાઈ તેમજ નિલેશભાઈના કાકા અને દિપેશભાઈના ભાઈજીનું તા.૨ને ગુરૂવારના સુરત મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૬ને સોમવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાકે વિશાશ્રીમાળીની વાડી, પ્રહલાદ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

કિરીટકુમાર ચૌહાણ

રાજકોટ : શાપર વેરાવળ શાંતિધામ નિવાસી મુકબધિર કિરીટકુમાર બટુકભાઈ ચૌહાણ (ઉ.વ.૪૩) તે અંબાલાલ ગોવિંદભાઈના ભત્રીજા તથા આસ્થા એજ્યુકેશનવાળા નરેન્દ્રભાઈના નાનાભાઈ તથા ગ્રાહક સુરક્ષા કોર્ટવાળા મનીષભાઈ તથા વિજયભાઈ, રાજુભાઈના મોટાભાઈનું તા.૩ને શુક્રવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને સોમવારે સાંજે ૪ થી ૬ આઈશ્રી કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી કવાટર્સ, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન દેવળીયા

રાજકોટઃ નર્મદાબેન નાથાભાઈ દેવળીયા (ઉ.વ.૭૦) મુળ કેશોદ હાલ રાજકોટ તે નાથાભાઈ આંબાભાઈ દેવળીયાના પત્ની  તથા કિશોરભાઈ જગદીશભાઈના માતુશ્રી તથા યોગેશ, ધર્મેશના દાદીશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને ઉતરક્રિયા તા.૯ના રાખેલ છે

રાજેશભાઈ પરમાર

રાજકોટ : મુળ ગામ કુકમા (કચ્છ) રાજકોટ નિવાસી સ્વ. બાબુભાઈ રણછોડભાઈ પરમારના સુપુત્ર રાજેશભાઈ બાબુલાલ પરમાર તે સ્વ. પ્રફુલભાઈ બાબુલાલના ભાઈ, અલ્પેશ, મહેશ, મુકેશ પરમારના કાકા તથા કાંતિલાલ ચુનીલાલ કાચા, પરેશ શિવલાલ ગાંગાણીના સાળા, રજનીકાંત ધરમશીભાઈ સવાણી, સંદિપ જયંતિભાઈ ગોહેલના સસરા તથા નિખિલ રાજેશભાઈ પરમારના પિતાનું તા.૩ને શુક્રવારના અવસાન થયેલ છે. બેસણું તા.૬ને સોમવારે સાંજે ૪ થી ૬ જડેશ્વર મહાદેવ મંદિર, વિનોદનગર સોસાયટી, શેરી નં. ૩, ગરબી ચોક, રાજકોટ ખાત. રાખેલ છે.

મનહરદાસ નિમાવત

બાબરાઃ રાયપર નિવાસી બાવાજી મનહરદાસ જાનકીદાસ નિમાવત (ઉ.વ.૭૮), તેઓ શ્રી દીપકભાઇ તથા ધનશ્યામભાઇના પિતાશ્રી તથા વસનદાસ, નંદરામદાસના બંધુ રામચરણ પામેલ છે. તેઓ અચ્છા તબલા તથા નગારા વાદક હતા અને ભજનિક નારાયણસ્વામી વિગેરે સાથે તબલા ઉપર સંગત કરેલી. ભદ્રોત્સવ તા. ૧૧ અમાસ ને શનિવારના રોજ, રાયપર તથા ધર્મસભા સંત સામૈયા ભજનકિર્તન તથા મહાપ્રસાદ તથા સંતવાણીના કાર્યક્રમનું આયોજન થયેલ છે.

વલ્લભભાઇ કપુરીયા

ગોંડલ : ભુણાવા નિવાસી વલ્લભભાઇ મનજીભાઇ કપુરીયા (ઉ.વ.૭૫) તે સંજયભાઇ, ગોૈતમભાઇ ના પિતા રાજ ના દાદાનું તા. ૦૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ લેઉઆ પટેલ સમાજ ભુણાવા ગામ ખાતે રાખેલ છે.

મંગળાબેન છાંટબાર

વેરાવળઃ ગં.સ્વ. મંગળાબેન મનસુખભાઇ છાંટબાર (ઉ.વ.૮૩) તે સ્વ. મનસુખભાઇ છાંટબારના પત્ની અને વિજયભાઇ, ભરતભાઇ, પંકજભાઇના માતુશ્રીનું તા. ૩ ના સુરતમાં  અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૬ સોમવારે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ઘનશ્યામ પ્લોટ વેરાવળમાં રાખેલ છે.

ધીરજલાલ શાહ

કોટડાપીઠાઃ (તા. બાબરા) શાહ ધીરજલાલ અમૃતલાલ (ઉ.વ. ૬૫) તે વિનુભાઈ, બીપીનભાઈ તેમજ શૈલેષભાઈના મોટાભાઈ તા. ૩ શુક્રવારના રોજ અરહિંતશરણ પામેલ છે.

સ્વ.ચંદુભાઇ એ.શીંગાળા

રાજકોટઃ ચંદુભાઇ અરજણભાઇ શીંગાળા (ઉ.વ.૫૨) તે ધીરૂભાઇ અને ચતુરભાઇના ભાઇ તથા ભાવિનભાઇના પિતાજીનું તા.૨ના રોજ અવસાન થયેલ  છે તેમનું બેસણુ તા.૬ સોમવારે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ પટેલ વાડી, યુનિટ નં.૨, બેડીપરા, ભાવનગર રોડ ખાતે રાખેલ છે

પ્રભાબેન કોટેચા

રાજકોટઃ મુળ અલીયાબાડા નિવાસી હાલ રાજકોટ સ્વ.મનહરલાલ રામજી કોટેચાના ધર્મપત્ની તે પ્રભાબેન (ઉ.વ.૭પ) તે અલીયાબાડા નિવાસી સ્વ.રતિલાલ ખેરાજભાઇ સોનછાત્રાની પુત્રી તે અશોકભાઇ, નિતીન (પ્રા. શિક્ષક ટંકારા), પંકજભાઇ તેમજ રાજેશભાઇ તથા હંસાબેન કિશોરકુમાર ઠકરાર તથા સ્વ.નયનાબેન વિનેશકુમાર દતાણી (લંડન)ના માતુશ્રી થાય તેમજ શ્વેતા જીગરકુમાર રૂપારેલીયાના દાદીમા તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું (બન્ને પક્ષનું) તા.૪ના શનિવારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ ખાતે સાંજે પ-૦૦ કલાકે રાખેલ છે.