Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020
માંડવીના નાના રતડીયા ગામનાઃ આશાપુરા માતાજી મંદિરના મહંત ગીરજાદતગીરી મહારાજ બ્રહ્મલીન થયા

ભાવનગર તા. પ : કચ્છની ધીંગીધારા પર માંડવી તાલુકાના નાના રતડીયા ગામે માં આશાપુરાનું મુળભુત સ્થાન દર્શનીય છે શ્રી પીઠના ૧૧૧ વર્ષના આજીવન ઉપવાસી મહંત પ.પૂ. શ્રીગીરજાદત્ત ગીરીજા મહારાજ તા.ર મેના બ્રહ્મલીન થયા છે. તેઓ પંચ-દશનામ જુના અખાડાના યુગ પુરૂષ આંતરરાષ્ટ્રીય શ્રી મહંત સભાપતી પદે રહી સમગ્ર સાધુ સમાજનો અકલ્પનીય પ્રેમ સંપાદન કરેલ. શ્રી પીઠ માં પૂ. ગીરજાદત્ત ગીરીજા મહારાજ સંવત ર૦૧૪માં આ પાવક ધરતી પર સાધનાનો ધૂણો ધખાવીને વીસ એકરમાં વિરાટ સંકુલનુ નિર્માણ કરાવ્યું છે. સાથો સાથ અત્રેનું ચકાચક નમુનેદાર નીઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા કે જયાં બ્રહ્મવિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ.પૂ.શ્રી ગીરજાદત્તગીરીજા મહારાજને બોટાદ પાસે સમઢીયાળા-૧ ગામે આવેલ ''યોગીધામ''ના સંત યુગદીવાકર પૂ. નીર્મળ સ્વામી, ભાવનગરના પત્રકાર મનીષભાઇ પી.દવેએ શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.

અવસાન નોંધ

ધીરૂભાઇ પોરીયા

ગોંડલઃ ધીરૂભાઇ પરસોતમભાઇ પોરીયા તે મનીષભાઇના પિતાનું તા. પના રોજ અવસાન થયેલ છે.

રમણીકભાઇ પંડયા

ગોંડલઃ વાલમ બ્રાહ્મણ સાંણથલી પંડયા પરિવારના અને હાલ રાજકોટ નિવાસી (મૂળ ગોંડલ) રમણીકભાઇ હરજીવનભાઇ તથા સ્વ. રૂદ્રેશકુમાર, ઉજજવલભાઇ, રૂપાબેન અમિતકુમાર વ્યાસનાં પિતા તેમજ હેમાબેન, દેવ્યાનીબેનનાં સસરા તે નિરવભાઇ, શુભમભાઇ, વિનીતભાઇ, વિહાનભાઇનાં દાદા તે જાહનવીબેન, નિસર્ગભાઇના નાનાનું તા. પ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલનાં સંજોગોને આધીન ટેલીફોનીક સંપર્ક કરી દિલસોજી આપવો.

જમનાદાસ હિરાણી

ઉપલેટાઃ મુળ ભાડેર (વાઘેલાનું) હાલ ધોરાજી નિવાસી વાણંદ જમનાદાસ મોહનલાલ હિરાણી (ઉ.વ. ૭૭) તે સ્વ. લખમણભાઇ, સ્વ. જગજીવનભાઇના નાનાભાઇ તથા લલીતભાઇ (ભગત) ના પિતાશ્રી તથા તેજશના દાદા તા. ૩ રવિવારના રોજ અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

હરેશભાઇ વાઘેલા

રાજકોટ : હરેશભાઇ ધરમશીભાઇ વાઘેલા (ઉ.વ.૬૬) તે હિતેન્દ્રભાઇ, કવિતાબેન તથા કિર્તીબેનના પિતાશ્રીનું તા. ૪ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનને કારણે ટેલીફોનિક બેસણું તા. ૭ના રાખવામાં આવેલ છે. તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. (હિતેન્દ્રભાઇ મો.નં. ૭૭૭૭૯ ૭૦૪૮ર)

કિર્તીકુમાર શાહ

રાજકોટઃ હલેન્ડા નિવાસી હાલ રાજકોટ કીર્તીકુમાર દલસુખલાલ શાહ (કેડી) (ઉ.વ.૭૬) તે સ્વ. પુષ્પાબેન હરીલાલ મડીયા (રાજકોટ) અને નીતાબેન કીરીટભાઇ દોશી (ઘાટકોપર મુંબઇ)ના ભાઇ તેમજ ભાવેશભાઇ (એલ.આઇ.સી.), આનંદભાઇ, સંજયભાઇ અને નયનાબેન (નેહા) ના પિતા તે કાલાવડ વાળા મગનલાલ ધરમશી રવાણીના જમાઇ, પ્રફુલભાઇ, સુભાષભાઇ, શીરીષભાઇ રવાણીના બનેવી અને ધીમંતભાઇ અનંતરાય મહેતાના સસરા તા.૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતના ચક્ષુઓનું દાન કરેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

વિનુભાઇ અમરેલીયા

રાજકોટઃ મુળગામ સૂર્યપ્રતાપગઢ અનીડા હાલ રાજકોટ વાણંદ વિનુભાઇ છગનભાઇ અમરેલીયા તે સ્વ.ડાયાભાઇ, સ્વ.કેશુભાઇ, સ્વ.બાબુભાઇના ભાઇ તેમજ મયુરભાઇ, પિયુષભાઇના પિતાશ્રી તેમજ મહેશભાઇ રાઠોડ તથા નિલેશભાઇ ભટ્ટીના સસરાનું તા.૩ના અવસાન થયેલ છે. બેસણું ટેલિફોનિક રાખલ છે. મયુરભાઇનો મો. ૯૭૧૪૦ ૩પપ૩૪ ઉપર તથા મો. નં. ૮૩ર૦૬ ૧૯૩પ૦ ઉપર અને પિયુષભાઇનો મો. ૯૭૩૭૮ ૩૪પ૩૧ ઉપર સંપર્ક કરવો.

અશોકભાઇ અંકલેશ્વરીયા

રાજકોટ : મૂળ જામકંડોરણા હાલ રાજકોટ નિવાસી સોરઠીયા આહિરના બારોટ  અશોકભાઈ પોપટભાઈ અંકલેશ્વરિયા (ઉં.વ. ૬૨)  તે અરવિંદભાઈ અંકલેશ્વરિયા (તલાટી મંત્રી) ના નાનાભાઈ , રમેશભાઈ અંકલેશ્વરિયાના મોટાભાઈ તેમજ સુનિલ અંકલેશ્વરીયા (ABPઅસ્મિતા ન્યૂઝ ચેનલ),  વિમલ અને નેહાબહેન ના પિતાશ્રી તા. ૪ને સોમવારના રોજ રામચરણ પામેલ છે વર્તમાન કોરોના ની લોકડાઉન ની સ્થિતિ માં બેસણુ અને લૌકિક ક્રિયા બંધ રાખી છે.

સવિતાબેન ચિત્રોડા

ગોંડલઃ લુહાર સવિતાબેન વેલજીભાઈ ચિત્રોડા (ઉ.વ. ૯૨) તે સ્વ. ધનજીભાઈ, પ્રભુદાસભાઈ તથા શશીકાંતભાઈના માતુશ્રી તથા હર્ષદ, ધીરેન, હીરેન, પ્રતિકના દાદીમાનુ તા. ૩ ના અવસાન થયુ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૪ મંગળવારે રાખેલ છે. મો. ૯૮૭૯૩ ૭૭૪૨૪    

પ્રિતેશકુમાર ત્રાંબડીયા

રાજકોટઃ પ્રિતેશકુમાર શાન્તીલાલ ત્રાંબડીયા (ઉ.વ.૩૮) તા.૪ના રોજ અક્ષરવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે. બાબુભાઇ મો.૯૪૨૬૯ ૬૯૫૭૫/ ૬૩૫૩૪ ૪૫૭૩૧, હસુભાઇ મો.૯૬૨૪૬ ૯૪૨૬૪, સમીતભાઇ મો.૯૧૦૬૬૩ ૮૦૩૪૦

પુષ્પાબેન શેઠ

રાજકોટઃ જૈન વણિક મુળ લતીપુર નિવાસી ઝાંઝીબાર (આફ્રિકાવાળા) સ્વ. શિવલાલ સુંદરજી શેઠ પરિવારના સ્વ. મનસુખલાલ શિવલાલ શેઠના નાનાભાઇ પુષ્પા પેપર માર્ટ વાળા સ્વ. કનકકુમાર શિવલાલ શેઠના ધર્મપત્નિ ગં.સ્વ.પુષ્પાબેન તે પ્રતાપરાય મુલચંદ મહેતાના મોટા દિકરી અને રાકેશભાઇ, રાગિણી કેતનકુમાર મહેતા તથા સ્વ. રીનાના માતુશ્રી અને શૈલેષભાઇ તીરેનભાઇ, પ્રશાંતભાઇ તથા પરાગભાઇ ના કાકી તા.૪ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી કોઇ લૌકીક વ્યવહાર રાખેલ નથી. રાકેશભાઇ કે. શેઠ મો. ૯૯૦૯૦૨૦૦૦૨

શશીકાંતભાઇ સુતરીયા

રાજકોટઃ સુતરીયા શશીકાંતભાઇ છગનલાલ તે સુતરીયા મસાલાવાળા ડેલાવાળા (ઉ.વ.૮૨) તે ચંદ્રેશભાઇ, તુષારભાઇ અને રૂપલબેન મહેતાના પિતાશ્રીનું તા.૪ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. શોક સંદેશ માટે મો.૯૮૨૫૨ ૧૦૦૮૮/ ૯૮૯૮૪ ૨૩૫૨૩