Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018
સાહિત્યકાર - નાટ્યકાર અઝીઝ જુણેજાના ધર્મપત્નિ જન્નતનશીન : સાંજે બેસણું

રાજકોટ : સાહિત્યકાર તથા નાટ્યકાર અઝીઝ ઈબ્રાહીમ જુણેજાના ધર્મપત્નિ શ્રીમતી રહેમતબેન તે કોંગ્રેસ મીડીયા સેલના કોર્ડીનેટર જાવેદભાઈ જુણેજાના માતુશ્રીનું જન્નતનશીન (દુઃખદ અવસાન) તા.૧ને ગુરૂવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને સોમવારના સાંજે ૫ થી ૭ સુધી રાજકોટ ખાતે ''ભારત સેવક સમાજ'' બાલભવન સામે, રેસકોર્ષ રાજકોટ ખાતે રાખેલ છે. (શ્રી અઝીઝ ઈબ્રાહીમ જુણેજા - મો. ૯૮૨૫૩ ૩૯૧૬૪)

ટંકારા- મોરબી પંથકના બહાદૂરસિંહ ડોડીયાનું આવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ ટંકારા- મોરબી પંથકમાં ચાહક વર્ગ ધરાવતાં હડમતીયા પાલનપીરના કારડીયા રાજપુત બહાદુરસિંહ અમરસિંહ ડોડીયા (ઉ.વ.૫૮) તેઓ વિજયસિંહ ડોડીયા, સ્‍વ.ઉદેસિંહ ડોડીયા તથા લાલસિંહ ડોડીયાનાં  નાનાભાઈ થાય. રજનીકાન્‍ત, મહેન્‍દ્ર (વિપુલ) અને ચેતનનાં પિતાશ્રીનું તા.૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતના મોક્ષાર્થે તા.૯ને શુક્રવારે તેમના નિવાસસ્‍થાને શાંતિહવન રાખેલ છે. બોરવેલના બીઝનેસ સાથે સંકળાયેલ કારડીયા રાજપુત અગ્રણીના નિધનથી લજાઈ ચોકડી વિસ્‍તારમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. અંતિમ યાત્રામાં ટંકારા પંથકનાં સંખ્‍યાબંધ લોકો જોડાયા હતા. તેમનુ બેસણું તા.૫ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવસસ્‍થાન હડમતીયા ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

કલ્પનાબેન જાંગીયાણી

રાજકોટઃ નિવાસી કલ્પનાબેન ગુલાબરાય જાંગીયાણી તે ઈન્દીરાબેન ગુલાબરાય જાંગયાણીના પુત્રી તથા કિશોરભાઈ, નરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, કમલેશભાઇના બેનનું તા.૪ રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમણું ઉઠમણું તા.૬ને મંગળવારે સ્થળઃ ડી- ૧૦૩,ગર્વમેન્ટ કવાર્ટર, શાસ્ત્રીનગર, રાજકોટ ખાતે સાંજે ૫:૩૦ વાગ્યે રાખેલ છે.

નર્મદાબેન પરમાર

રાજકોટઃ ખવાસ રજપૂત જીણાભાઈ રામજીભાઈ પરમારના ધર્મપત્નિ નર્મદાબેન (ઉ.વ.૭૯)તે સ્વ. રમેશભાઈ, દિપકભાઈ તથા ભરતભાઈના માતુશ્રી તા.૩ને શનિવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે કોઠારીયા કોલોની કવાર્ટર નં.૫૨૭, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે નિવાસસ્થાને રાખેલ છે.

ધનગૌરીબેન ત્રિવેદી

રાજકોટ : રાજપર (મોરબી) ચાતુર્વેદીય મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ, હાલ રાજકોટ ગં.સ્વ. ધનગૌરીબેન (શાંતાબેન) દુર્ગાશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૬) તે સ્વ. દુર્ગાશંકરભાઈ ચકુભાઈ ત્રિવેદીના ધર્મપત્નિ, રજનીકાંતભાઈ, સ્વ.હરકાંતભાઈ, યશવંતરાય (શછત શનાળા), મહેશભાઈ તેમજ ધર્મેન્દ્રભાઈ, દિવ્યેશભાઈ, ભાસ્કરભાઈના દાદીમા તેમજ સ્વ. ભવાનીશંકર પોપટલાલ દવે (ટીંબડી)ના પુત્રી તા.૩ને શનિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૮ને ગુરૂવારના સાંજે ૪ થી ૫, મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ, સાવસર પ્લોટ - ૧૦/૧૧ મોરબી ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન મણીઆર

રાજકોટ : મોઢ વણીક રાજકોટ નિવાસી ગં. સ્વ. લીલાવંતીબેન ચંપકલાલ મણીઆર તે મહેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, વિજયભાઈ તથા સ્મિતાબેન પ્રવિણકુમાર વજરીયાના માતુશ્રીનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

છગનભાઈ ચૌહાણ

રાજકોટ : છગનભાઈ ઘુઘાભાઈ ચૌહાણ (ઉ.વ.૮૨) મુળ સાવરકુંડલા હાલ રાજકોટ તે પ્રકાશભાઈ, ચેતનભાઈ તથા અરૂણાબેનના પિતાનું તા.૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કોઠારીયા રોડ, બ્રહ્માણી હોલની સામે રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૬૬૯૨૫૭.

દિપકભાઇ પ્રાણજીવન વખારીયા

રાજકોટ : રાજકોટ નિવાસી દશા સોરઠીયા વણિક દિપકભાઇ વખારિયા (ઉ.વ.૬૭), તે પ્રભુદાસ પ્રાણજીવન વખારિયાના પુત્ર અને ઇલાબેનના પતિ, હેતલ સાગરકુમાર મણિયારના પિતા તેમજ અશોકભાઇ, સ્વ.રાજેનભાઇ, હેમા કિરીટ ધોળકીયા, મોના ભરત વૈદ્યના ભાઇ, સ્વ.જમનાદાસ પ્રાણજીવન વખારિયાના ભત્રીજા, સ્વ.નટવરલાલ વસંતરાય ઝવેરીના જમાઇ તથા અશોકભાઇ આર. મણિયારના વેવાઇ તા.૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌક્કિ પ્રથા બંધ રાખેલ છે.

આકાશવાણીના કાર્યક્રમ  અધિકારી રામભાઇના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટ : આકાશવાણી રાજકોટના કાર્યક્રમ અધિકારી રામભાઇ રાબાના માતુશ્રી કુંવરબેન (ઉ.વ.૮૮)નું તા. રના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. પ સોમવારે ભવનાથ મંદિર, શિવમ પાર્ક, ૩-નાગરિક બેંક પાસે ૧પ૦ રીંગ રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નિર્મળાબેન રાવલ

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.જનકરાય રાવલના પત્ની નિર્મળાબેન તે દિપકભાઇ (સૌરાષ્ટ્ર યુનિવર્સીટી), બિંદુબેન (પી.જી.વી.સી.એલ.) ભાવેશભાઇ, હિનાબેન (ગાંધીનગરાના માતુશ્રી તથા ભૂષણભાઇ, ચિંતનભાઇ, અને પૂજાબેન રોહનભાઇ વૈદ્યના દાદીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.પને સોમવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦, શિવમ, ૧-ભકિતનગર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

મનુભાઇ તેરૈયા

જસદણઃ મનુભાઇ લક્ષ્મણભાઇ તેરૈયા ગોખલાણા વાળા હાલ જસદણ તે વિજયભાઇ તેમજ ડિમ્પલબેનના પિતાશ્રી તથા ભુપતભાઇ તેમજ હરિશંકરભાઇ ના ભાઇ નું તા.૩ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૫ ને સોમવારે તેમના નિવાસ સ્થાન આનંદ ધામ વીંછીયા રોડ જસદણ મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઇ શુકલ

મોરબીઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ કિશોરભાઇ લક્ષ્મીશંકર શુકલ (ઉ.વ.૬૫) તે સંદીપભાઇ શુકલ (નીશીત-એન્ટરપ્રાઇઝ) વાળાના પિતા શ્રી તેમજ જગદીશભાઇના નાનાભાઇ તેમજ કનૈયાલાલ અને સ્વ.ગીરીશભાઇ શુકલના મોટાભાઇનું તા.૪ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાણંદજ્ઞાતીની વાડી, ઝવેરી શેરી ગ્રીનચોક મોરબી મુકામે રાખેલ છે.

પ્રભાબેન બહરાણીયા

મોરબી( ગુર્જર સુતાર સ્વ.રવજીભાઇ ગંગારામભાઇ બહરાણીયા (બગથળા વારા)ના પત્ની પ્રભાબેન રવજીભાઇ બહરાણીયા (ઉ.વ.૯૧) તે વિનોદભાઇ, સ્વ. લલિતભાઇ, કિરીટભાઇ, સ્વ.યશંવતભાઇના માતૃશ્રી તે મિતલ કપીલભાઇ પીલોજપરા, દેવન, જયેશના દાદીનું તા.૩જીએ શનિવારના રોજ અવસાન પામ્યા છે. બેસણુ તા.૫મીએ સોમવાર સાંજે ૪ થી ૬ એ.કે. કોમ્યુનીટી હોલ હાઉસીંગ બોર્ડ શનાળા રોડ ખાતે રાખેલ છે.

ચોથીબેન તાળા

ઉપલેટાઃ જામજોધપુર તાલુકાના બુટાવદર નિવાસી ચોથીબેન આંબાભાઇ તાળા ઉ.વ.૧૦૫ તે કરશનભાઇ, બાવનજીભાઇ નરશીભાઇ, ઓધવભાઇ, ડો.ધીરજલાલ ના માતુશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે.

નરેન્દ્રભાઈ ચાવડા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા મુળ ધોરાજી નીવાસી હાલ રાજકોટ સ્વ.કેશવજી મુળજી ચાવડાના નાના પુત્ર નરેન્દ્રભાઈ કેશવજીભાઈ ચાવડા (જીઈબી)વાળા તે સ્વ.પ્રવિણચંદ્ર દેવચંદ કક્કડના જમાઈ ઈલાબેનના પતિ તથા નિલમ અને કીંજલના પિતાશ્રી જે સ્વ.દામજીભાઈ (જુનાગઢ), દિનેશભાઈ (જીઈબી), શાંતીભાઈ (અમદાવાદ), જશુબેન ધનજીભાઈ ટાંક (પોરબંદર), ચંદ્રીકાબેન કિશોરભાઈ સોલંકી (જુનાગઢ), હસુબેન મનસુખભાઈ કાચા (બીએસએનએલ) (શાપુર)ના નાનાભાઈ તથા ચંદુભાઈ, જગદીશભાઈ, રોહીતભાઈ, વિરલભાઈ, સમીરભાઈ, કૌશલભાઈના કાકાનું દુઃખદ અવસાન તા.૪ શનિવારના રોજ થયેલ છે. જેમનું બેસણું તા.૫ સોમવાર રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને શાંતીનીકેતનપાર્ક- ૨, બ્લોક- બી- ૧૦, રામદેવપીર ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ રાખેલ છે.

સુરેશભાઈ રાવલ

રાજકોટઃ મૂળ મોવિયાવાળા હાલ મોટા દેવળીયા સુરેશભાઈ મગનલાલ રાવલ (ઉ.વ.૭૧) તે કથાકાર કમલેશભાઈ રાવલ, શાસ્ત્રી મયૂરભાઈ, પિયૂષભાઈ તથા નિલાબેન સુધીરકુમારના પિતાશ્રી કનૈયાલાલભાઈ રાવલ મોવિયાનાં મોટાભાઈ, આશિષભાઈ રાવલ તથા આરતીબેન અમીતકુમારનાં મોટાબાપુજી, સ્વ.ઈન્દુબેન રાવલ, સ્વ.હંસાબેન જોષી, મધુબેન જોષીનાં નાનાભાઈ કૈલાસવાસ પામ્યા છે. તેમનું બેસણું તા.૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દેવળીયા મુકામે રાખેલ છે. તેમજ તેમની ઉત્તરકિયા તા.૧૨ દેવળીયા મુકામે રાખેલ છે.

ભીખુભાઇ સુંબર

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ ભીખુભાઇ વાલજીભાઇ સુંબર (ઉ.વ.૭૦) તે શાંતાબેન રામજીભાઇ શિહોરાના પતિ અને સોનલબેન, રૂપાબેન ગીતાબેન શીતલબેનના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પ સોમવારે સાંજે પ થી ૬ ફળેશ્વર મહાદેવ, ર બજરંગવાડી જામનગર રોડ ખાતે રાખેલ છે.

શારદાબેન પંચાસરા

રાજકોટઃ રમેશભાઇ કચરાભાઇ પંચાસરા મુળગામ મોરઝર હાલ રાજકોટના પત્ની સ્વ.શારદાબેન રમેશભાઇ પંચાસરા તે હેમાંશુના માતુશ્રી તથા ચંદ્રેશકુમાર, દિલીપકુમારના સાસુ તા.૪ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.પના સોમવારે સાંજે ૪ થી ૬, ઇશ્વરીયા પાર્ક સોસાયટી દ્વારકાધીશ પેટ્રોલ પંપ પાછળ જામનગર રોડ, માધાપર પાસે રાખેલ છે.

કમળાબેન દંગી

રાજકોટઃ રાજકોટ નિવાસી કંસારા ભુદરભાઇ આણંદજીભાઇ દંગીના ધર્મપત્ની કમળાબેન (ઉ.વ.૭૭)ના તા.૪ના રોજ ઠાકોરજી ચરણ પામેલ છે. તેઓ રસિકભાઇના ભાભી તથા ધર્મેન્દ્રભાઇ તેમજ રમેશભાઇના માતુશ્રીનું બેસણું તા.પના સોમવારે સાંજના પ થી ૬ વાગ્યા સુધી કંસારા મહાજનવાડી લોહાણાપરા ખાતે રાખેલ છે.

કમળાબેન પુજારા

રાજકોટઃ સ્વ. નાનાલાલ સવજીભાઇ પુજારા બેડલાવાળાના પત્ની કમળાબેન (ઉ.વ.૮પ) તે સ્વ.ગુણવંતભાઇ, સ્વ.મહેન્દ્રભાઇના માતુશ્રી તથા ધીરજલાલ, નંદલાલભાઇ તથા નટુભાઇ, ભગવાનભાઇ મણીયારના બહેનનું તા.રના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે સોમવારે સાંજે પ-૩૦ કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

ઝેહરાબેન ગાંધી

રાજકોટઃ મરહુમ ઝેહરાબેન ઝ. મુ અકબરઅલી ગાંધી યુસુફીભાઇ - અબ્દુલ્લાભાઇ - મહંમદહુશેનભાઇ તથા મેમુનાબહેન, રશીદાબેન, ફરીદાબેન (કલકતાવાળા)ના માતાજી રાજકોટ મુકામે વફાત થયા છે. તેમના જયારતના સિપારા તા.૬ મંગળવારના ઝોહર અસરની નમાઝ બાદ (કુત્બી મહોલ્લા) મવાઇદમાં રાખેલ છે.

મનસુખભાઇ કલોલા

રાજકોટઃ મુળ ગાંગીયાવદર વાળા હાલ રાજકોટ વાણંદ મનસુખભાઇ પરસોતમભાઇ કલોલા (બાલાભાઇ) તે શાંીતલાલ (બામણબોર) કાંતિભાઇ (વડોદરા) હસમુખભાઇ, જયેશભાઇ, વસંતભાઇ તથા જયદીપભાઇના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧રને સોમવારે ગાંગીયાવદરમાં રાખેલ છે.

અવસાન નોંધ - 1

દિલીપભાઈ તન્‍નાનું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણું- સાદડી

રાજકોટ : બેડીનાકા નિવાસી સ્‍વ. શિવલાલ રણછોડદાસ તન્‍નાના પુત્ર તે દિલીપભાઈ શિવલાલભાઈ તન્‍ના (ઉ.વ.૪૯) તે જયશ્રીબેન સંધ્‍યાબેન તેમજ હિતેષભાઈ તન્‍નાના વડીલબંધુ, તે મુકેશભાઈ ચંદ્રકાંતભાઈ ગઢીયાના બનેવી તેમજ જયદીપભાઈ વિક્રમભાઈ છાંટબારના સાળાનું તા.૪ના રવિવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી આજે તા.૫ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાજરાજેશ્વર મંદિર, સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ, સંતોષ પાર્ક, તેમના નિવાસસ્‍થાનની બાજુમાં રાખેલ છે.

સરલાબેન મોનાણી

રાજકોટઃ પોરબંદર નિવાસી સરલાબેન જગદીશ મોનાણી તે ઉષાબેન જીતેન્‍દ્રકુમાર કારીયા (કેશોદ) તે ફાલ્‍ગુનીબેન પારસભાઈ સોઢા (રાજકોટ) સપનાબેન હાર્દિકભાઈ ત્રિવેદી (રાજકોટ)ના માતુશ્રી તથા નયનાબેન પ્રકાશભાઈ રાજદેવના ભાભી શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્‍યાન આદીનાથ એપાર્ટમેન્‍ટ- ૨, નાગેશ્વર જૈન દેરાસર આગળ, પટેલ ચોક, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ᅠᅠમોહિનીબેન શર્મા

રાજકોટઃ મુળ ભાવનગર નિવાસી હાલ રાજકોટ મોહિનીબેન (ઉ.વ.૫૮) તે સ્‍વ.રઘુનાથ શર્માના ધર્મપત્‍ની તથા અરવિંદ (રજની હેન્‍લુમ), અશોકભાઈ (પ્રકાશ સ્‍ટોર્સ) તથા રવિભાઈ શર્મા (અમદાવાદવાળા)ના સાસુનું દુઃખદ અવસાન થયેલ છે. ર્સ્‍વગસ્‍થનું (પઘડીયું) ઉઠમણું તા.૫ ને સોમવારે સાંજે ૬ કલાકે તેમના નિવાસ સ્‍થાને પરસાણાનગર, શેરીનં-૩, રેલ્‍વેટ્રેક પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશચંદ્ર આશર

રાજકોટઃ મોરબી નિવાસી દીવાન ભાટીયા સુરેશચંદ્ર કાનજીભાઈ આશર (ઉ.વ.૭૭) (નિવૃત રેલ્‍વે) તે ગૌરવ, બિમલ આશર તથા હીનાબેન સંજયભાઈ ધમાણી (સુરત)ના પિતાશ્રી તથા સ્‍વ.મુલચંદભાઈ સરૈયા જામકંડોરણાનાં જમાઈ તથા સ્‍વ.અશ્વિનભાઈ આશર (પા. મોરબી) તા.સ્‍વ. ઈન્‍દુબેન બાલકૃષ્‍ણભાઈ આશરના ભાઈ તા.૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને સોમવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્‍થાને પારેખ શેરી સોની જ્ઞાતિની વાડી પાસે મોરબી ખાતે રાખેલ છે.

પ્રભાબેન આહયા

રાજકોટઃ પ્રભાબેન હરસુખલાલ આહયા તે હરસુખલાલ કાલીદાસ આહયાનાં ધર્મપત્‍નિ તે રાજેશભાઈ, ધર્મેશભાઈ, તથા કલ્‍પેશભાઈ આહયાના માતુશ્રી તથા નિતાબેન પંકજભાઈ તન્‍નાનાં માતુશ્રીનું તેમજ વૈદરાજ હરજીવનદાસ સુંદરજી હીરાણીના પુત્રીનું દુઃખદ અવસાન તા.૫ સોમવારનાં રોજ સવારે ૬ કલાકે થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા તા.૬નાં રોજ સવારે ૮ કલાકે ‘‘પૂર્ણીમા'', અલ્‍કાપુરી શેરી નં.૩/૧૧, રૈયા રોડ, રાજકોટથી નીકળી હતી.

અરવિંદભાઇ રાજા

અમરેલીઃ સ્‍વ. અરવિંદભાઇ માધવજીભાઇ રાજા (ઉ.વ.૭૮) તે રાજુભાઇ (અમદાવાદ), યતિનભાઇ (આફ્રીકા), બિમલભાઇના પિતાશ્રી તથા અમન, શૈલીમ, કુંજના દાદા તથા વિનુભાઇ રાજાના મોટાભાઇ તેમજ વિરલભાઇના મોટાબાપુજીનું તા. ૨ને શુક્રવારે અવસાન થયેલ છે. ઉઠમણુ અને બેસણુ તા. ૫ને સોમવારે સાંજે ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી ગર્લ્‍સ સ્‍કુલ પાસે, અમરેલી રાખેલ છે.