Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019
ભાવનગરનાં ખગોળવિદ પ્રો.સુભાષભાઇ મહેતાનું અવસાન

ભાવનગર : ખગોળવિદ પ્રો. સુભાષભાઇ મહેતાનું આજે ૭૬ વર્ષની વયે નિધન થતા ભાવનગરે ખગોળ વિજ્ઞાનનો એક તારલો ગુમાવ્યો છે. જીવનના ૭૬ પૈકી ૩૮ વર્ષ લોકો સુધી ખગોળને પહોંચાડવા કટિબધ્ધ કરેલા પ્રો. સુભાષભાઇએ સર પી. પી. ઇન્સ્ટિટયુટ ખાતે ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.

તેઓ સૌરાષ્ટ્ર સમાચારમાં વર્ષો સુધી ખગોળના લેખો લોકભોગ્ય ભાષામાં લખી જાગૃતિ ફેલાવતા રહ્યાં હતાં.

આજીવન યુવાન જેવી સ્ફૂર્તિથી તેઓ લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાયેલા રહી નિઃસ્વાર્થ ભાવે વિદ્યાર્થીઓને ખગોળનું જ્ઞાન આપતા રહ્યાં હતાં. તેઓને ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા  શુક્રવારે સાંજે ૬ થી ૮ દરમિયાન તેમના કાર્યક્ષેત્ર તખ્તેશ્વર મંદિર ખાતે શ્રધ્ધાંજલી આપવાામં આવશે. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ ખગોળના વિષયને રોચક બનાવવામાં કાર્યરત રહ્યા હતાં.

અવસાન નોંધ

મનુભાઇ પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર રાજકોટ નિવાસી મનુભાઇ પોપટભાઇ પરમાર (ઉ.વ.૬૨)  (કે.કે. મેન્સવેર) સ્વ. જમકુબેન પોપટભાઇ પરમારના દિકરા તથા અરવિંદભાઇ અને અશોકભાઇના મોટાભાઇ તથા નિરજભાઇ, મિતેશભાઇ અને ચેતનભાઇના પિતા અને સુજલ અને જેનીલના દાદા તે હડમતીયાવાળા વિનુભાઇ બાબુભાઇ પરમારના બનેવી તે તા.૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ સદ્ગતનું બેસણું તથા સસરાપક્ષની સાદડી તા.૫ને શનિવારના રોજ સમય ૪ થી ૫ રામનાથપરા મ.ક.સ.સુની જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

સરલાબેન રાનેરા

જુનાગઢ : કોળી સમાજના આગેવાન જીતેન્દ્રભાઇ રાનેરા તથા સંજય રાનેરા તથા મહેન્દ્ર રાનેરાના માતુશ્રી તથા ભાવિક રાનેરાના દાદી સરલાબેન મનસુખભાઇ રાનેરાનું (ઉ.વ.૭૦) તા. ૩-૧-ર૦૧૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. પ શનિવારે સાંજે ૪ થી ૬ આદિત્યેશ્વર મહાદેવ મંદિર આદિત્યનગર જોશીપરા જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

ચંદુલાલ મહેતા

જેતપુર : ચંદુલાલ કેશવલાલ મહેતા,તે નટુભાઇના વડીલ બંધુ તા.૪ શુક્રવાર ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા. ૫ ને શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી કણકીયા પ્લોટ જેતપુર ખાતે રાખેલ છે

છોટુલાલ લીંબડ

રાજકોટ : ગામ વીરપુર (જલારામ) હાલ રાજકોટના છોટુલાલ બચુભાઈ લીંબડ (ઉ.વ.૬૦) તે ભીખુભાઈ બચુભાઈ લીંબડના નાનાભાઈ, કેવલભાઈ લીંબડ (એરીસ્ટો ટેઈલર્સ)ના પિતાનું તા.૩ના ગુરૂવારે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને શનિવારે રામેશ્વર મંદિર, સુભાષનગર મેઈન રોડ, આમ્રપાલી પાછળ રાખવામાં આવેલ છે.

જીવાભાઈ ચાવડા

રાજકોટ : સિદ્ધપુરીયા રાજપૂત સ્વ.જીવાભાઈ હરીભાઈ ચાવડા (ઉ.વ.૮૫) (સરદારબાગ સર્કીટ હાઉસના) નિવૃત કર્મચારી તથા દિનેશભાઈ, કિશોરભાઈના પિતા, તથા મનીષભાઈ, કલ્પેશભાઈ તથા સતીષભાઈના દાદાનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ધરમ ટોકીઝ પાછળ, સરકારી કવાર્ટર નંબર ડી-૭૨ ખાતે રાખવામાં આવેલ છે.

સંદીપભાઇ પંડયા

પાંચપીપળા : ગુજરાતી શ્રીગોૈડ માઇવિયા બ્રાહ્મણ સ્વ. તુલજાશંકર પોપટલાલ પંડયાના પુત્ર સુરેશચંદ્ર (સંદીપભાઇ ઉ.વ.૬૦) જે મધુભાઇ, અશ્વિનભાઇ,કિશોરભાઇ અને હર્ષદભાઇના ભાઇ અને એકતાબેન, જલ્પાબેન, દિવ્યેશભાઇ અને યશભાઇના પિતાશ્રી, તેસ્વ. દિનુભાઇ શંભુશંકર જોષી (ગોંડલ) ના જમાઇનું તા. ૦૩/૦૧/૨૦૧૯ ના ગુરૂવારના રોજઅવસાન થયું છે. તેમની બન્ને પની પ્રાર્થના સભા તા. ૦૫/૦૧/૨૦૧૯ ના શનિવારે સાંજે ૩ થી૫ '' વલ્લભ સેવાસમાજ, કેરાળી રોડ, પાંપીપળા મુકામે રાખેલ છે.

રમેશભારથી ગોસ્વામી

મોરબી : ભાવપર (તા. માળીયા મી.) નિવાસી ગોસ્વામી રમેશભારથી નારણભારથી તે વસંતભારથી, હરેશભારથી, શીવભારથી, મનુભારથી, અરવિંદભારથી ના ભાઇનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું શકિતપૂજન તા. ૧૧ ને શુક્રવારે તેમના નિવાસસ્થાન ખાતે ભાવપર ખાતે રાખેલ છે.

જયોતિબેન પરમાર

ઉપલેટાઃ જયોતિબેન યશવંતભાઇ પરમાર (જેટકો)(ઉ.વ.૪૫) તે યશવંતભાઇ વીરજીભાઇ પરમારના ધર્મપત્ની તથા અમૃતલાલના નાનાભાઇના પત્ની તથા વલ્લભભાઇ સોનાગ્રા અને રમેશભાઇ (જીઇબી)ના બહેન પણ રજતભાઇના માતૃશ્રી તા.૩ના ગુરૂવારના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૫ના શનિવારે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રીય વાડી,નાગનાથ ચોક,ઉપલેટા રાખેલ છે.

રહીમાબેન ખોખર

હાજીયાણી મર્હુમા રહીમાબેન ખોૅખર જે કાશમશા જમાલશા ખોખરના ઔરત અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેઓની ઝયારત તા.૦૫ને શનીવારના રોજ મસ્જીદે ખદિજા બીડીકામદારમાં સવારે ૭:૩૦ થી ૧૦:૩૦ સમયે રાખેલ છે તથા ઓરતો માટે તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો. ૯૮૨૫૫ ૨૪૨૯૮

પ્રતાપભાઇ સુરેલીયા

રાજકોટઃ ગુર્જર સુથાર પ્રતાપભાઇ કેશવલાલ સુરેલીયા (ઉ.વ.૬૦) તે સુનીલ તથા રાજના પિતાશ્રી અને સુરેશભાઇ,  હસુભાઇ, શશીભાઇ તથા જયેશભાઇના ભાઇનું  દુઃખદ અવસાન તા.૪ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૫ શનિવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર, ગીતાનગર શેરી નં.૨, પીએનપી કોલોની  ની બાજુમાં, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન પટેલ

રાજકોટઃ પડધરી નિવાસી હાલ રાજકોટ મંજુલાબેન છોટાલાલ પટેલ (ઉ.વ.૮૮) તે ભાવેન્દ્રભાઇ, પરેશભાઇ સ્વ. મીનાબેન, સ્વ. રમીલાબેન, હર્ષિદાબેન, કોકીલાબેનના માતુશ્રી તેમજ કમલભાઇ તથા સાગરભાઇના દાદીમાં તે સ્વ. રમણીકલાલ ઝવેરચંદ શાહ (કોલકીવાળા) ના બહેનનું તા.૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનુ ઉઠમણું તા.૫ને શનિવાર સવારે ૧૦ કલાકે અને પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે વિશા શ્રીમાળી નવી વાડી, ૧૧ કરણપરા રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ચૌહાણ

રાજકોટઃ લીલાવંતીબેન આણંદજીભાઇ ચૌહાણ (ઉ.વ.૭૦) તે સ્વ. મગનભાઇ, નાથાલાલ, નટુભાઇ, સ્વ. બટુકભાઇ, કિશનભાઇ, સ્વ. જનકભાઇના બહેન તથા તારાબેન કિશોરભાઇ વોરાના બહેન તેમજ અંજુબેન બટુકભાઇ ચૌહાણના ફઇબાનું તા.૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૫ શનિવારે સાંજે ૩:૩૦ થી ૫:૩૦ મેઘાણી ભવન રંગભવન, ભકિતનગર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

પિયુષભાઇ શાહ

કોડીનારઃ મોઢ વણિક પીયૂષભાઇ મગનલાલ શાહ (ઉ.વ.૩૯) તે રાજુભાઇ (કે.કે. ગ્રુપ), મુકેશભાઇ, હર્ષદભાઇ, વિજયભાઇ, જીજ્ઞેશભાઇ, પરેશભાઇ તથા બકુલભાઇના ભાઇનું તા.૩ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું આજે શુક્રવારે સવારે ૧૦ વાગ્યે સોમનાથ મંદિર કોડીનાર ખાતે તેમજ પ્રાર્થનાસભા સાંજે ૪ થી ૬, મોઢ મહાજન વણિક જ્ઞાતિની વંડીમાં કોડીનાર ખાતે રાખી છે.

જાનકીદાસ દાણીધારીયા

રાજકોટઃ રંગપર નિવાસી દાણીધારીયા ગોવિંદરામ પ્રભુદાસના મોટાભાઇ તેમજ ઘનશ્યામભાઇ, રાજુભાઇ મનોજભાઇ, ગીરીશભાઇના પિતાશ્રી, જાનકીદાસ પ્રભુદાસ દાણીધારીયા તા.૩ના રામચરણ પામેલ છે.

મંજુલાબેન કારેલીયા

રાજકોટઃ સ્વ.લુહાર મનસુખભાઇ દામજીભાઇ કારેલીયાના ધર્મપત્ની તથા મનહર મનસુખભાઇ કારેલીયાના માતુશ્રી તથા રમણીકભાઇ, દિનેશભાઇ, પ્રવિણભાઇના ભાભી મંજુલાબેન મનસુખભાઇ કારેલીયાનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પના શનિવારે સાંજે ૪-૩૦ થી૬-૩૦, ૮૦ ફુટ રોડ પાસે, માસ્તર સોસાયટી ૯/૧૦ની શેરી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદીર, કસ્તુરબા વિદ્યાલયની બાજુમાં રાખેલ છે.

ખીમજીભાઇ ગઢીયા

રાજકોટઃ મેવાડા સુતાર મોવિયા ગામના ખીમજીભાઇ માવધજીભાઇ ગઢીયા (ઉ.૮૭) તે વ્રજલાલભાઇ ખીમજીભાઇ ગઢીયા, હરેશભાઇ ખીમજીભાઇ ગઢીયા અને પરેશભાઇ ખીમજીભાઇ ગઢીયાના પિતાશ્રી તથા સાગર વ્રજલાલભાઇ ગઢીયાના દાદાનું તા.રને બુધવારે અવસાન થયેલ છે.બેસણું તા.૭ ને સોમવારે તેમના નિવાસસ્થાન મોવિયા તા.ગોંડલ ખાતે સાંજે ૩ થી પ રાખેલ છે

જયોતિબેન પરમાર

ઉપલેટા : જયોતિબેન યશવંતભાઇ પરમાર (જેટકો) ઉ.૪પ તે યશવંતભાઇ વીરજીભાઇ પરમારના ધર્મપત્ની તથા અમૃતલાલ ના નાનાભાઇના પત્ની તથા વલ્લભભાઇ સોનાગ્રા અને રમેશભાઇ (જીઇબી) ના બહેન તથા રજતભાઇના માતુશ્રીનું તા. ૩ ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. પ ને શનિવારે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રીય વાડી, નાગનાથ ચોક, ઉપલેટા મુકામે રાખેલ છે.

હિરાબેન જોષી

રાજકોટઃ મુળ ધુનડા (આ) હાલ ટંકારા મા.મ. મોઢ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ વ્રજલાલ જોષીના ધર્મપત્નિ સ્વ. હિરાબેન (ઉ.વ.૭૪) તે જયેશભાઇ તથા સોનલબેનના માતુશ્રી તથા સ્વ. મનસુખભાઇ તથા  હસુભાઇ તથા હરેશભાઇ મોટા ભાભી સ્વ. અનંતરાય લક્ષ્મીશંકર દવે તથા સ્વ. મનહરલાલ લક્ષ્મીશંકર  દવેના બહેનનું તા.૩ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૫ કુબેરનાથ મહાદેવનું બસ સ્ટેશન પાસે ટંકારા મુકામે રાખેલ છે.

જયશ્રીબેન ધોળકીયા

રાજકોટઃ જયશ્રીબેન કિશોરભાઈ ધોળકિયા તે રાજુ (ઈનકમ ટેકસ), મેહુલ, હેમા જૈમીનભાઈ નાણાવટીના માતુશ્રી, સ્વ.શશીકાંતભાઈ, યોગેશભાઈ, દુષ્યંતભાઈ, રોહિતભાઈના ભાભી માઇશરણ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૬ને રવિવારે સાંજે ૫ થી ૬ શ્રી સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતે ચક્ષુદાન કરેલ છે.

કવિતાબેન વરંદાની

રાજકોટઃ વરંદાની કવિતાબેન (ઉ.વ.૭૪) તે જી.આર.વરંદાની (એલઆઈસી)ના પત્નિ, લલિતભાઈ (સીએ), નિતુબેન ભારાણી, ચિત્રાબેન સામતાણી અને બિનીતાબેન રંગવાનીના માતુશ્રીનું અવસાન તા.૩ના રોજ થયેલ છે. ઉઠમણું / પઘડી તા.૫ના શનિવારના રોજ શ્રી હરગંગેશ્વર મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના સામે, ટાગોરનગર મેઈન રોડ, કોટેચા ચોક,  કાલાવાડ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ કલાકે રાખેલ છે.