Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018
અવસાન નોંધ

કોડવાવના અરજણભાઇ મણવરનું દુઃખદ અવસાન

કોડવાવ : અરજણભાઇ ઠાકરશીભાઇ મણવરનું તા. ર-૧૧ ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૩-૧૧ ને શનિવારના રોજ પટેલ સમાજની વાડી ખાતે કોડવાવ ગામે રાખેલ છે.

મનોજભાઈ દવે

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ, મનોજભાઈ જયંતીલાલ દવે તે મુકેશભાઈ દવે, જયશ્રીબેન રાવલ તથા રીટાબેન દવેના ભાઈ તથા આનંદભાઈ દવે (યોગી એન્ટરપ્રાઈઝ)ના કાકા તથા હાર્દિકભાઈ રાવલના મામા તા.૨ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ના રોજ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી મેઈન રોડ, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ સુધી રાખવામાં આવેલ છે.

ચેતનભાઇ બાબુભાઇ સોલંકી

રાજકોટ : સ્વ. બાબુભાઇ રણછોડભાઇ સોલંકી તથા .સ્વ. પ્રભાબેન ના પુત્ર ચેતનભાઇ (ઉ.વ.૪૬) તે નિલાશ્રીબેનના પતિ, સ્વ. અતુલભાઇ તથા અંજનાબેન પારેખના નાના ભાઇઙ્ગ, અરિવંદભાઇ તથા  દિપકભાઇના સાળા, હાર્દિક તથા નિમિષભાઇના કાકાનું તા ૨ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૩ ને શનિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાક દરમિયાન રાધાક્રિષ્ના મંદિર રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનાબેન દોશી

મોરબી : મોરબી નિવાસી પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઇના પત્ની ભાવનાબેન (ઉ.પ૬) તે અશોકભાઇ, રાજેશભાઇ અને જયશ્રીબેન અશોકભાઇ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા તથા ધ્રાંગધ્રા નિવાસી શાંતિલાલ ગણેશભાઇ શેઠના દીકરીનું તા. ર ના અવસાન થયું છે. ઉઠમણું તા. ૪ ને રવિવારે સવારે ૧૦ કલાકે જૈન ઉપાશ્રય દરબારગઢ તથા પ્રાર્થના  સભા સવારે ૧૦.૩૦ કલાકે વિશાશ્રીમાળી વાડી નવાડેલા રોડ મોરબી ખાતે રાખેલ છે.

ચેતનભાઇ બાબુભાઇ સોલંકી

રાજકોટ : સ્વ. બાબુભાઇ રણછોડભાઇ સોલંકી તથા .સ્વ. પ્રભાબેન ના પુત્ર ચેતનભાઇ (ઉ.વ.૪૬) તે નિલાશ્રીબેનના પતિ, સ્વ. અતુલભાઇ તથા અંજનાબેન પારેખના નાના ભાઇઙ્ગ, અરિવંદભાઇ તથા  દિપકભાઇના સાળા, હાર્દિક તથા નિમિષભાઇના કાકાનું તા ૨ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૩ ને શનિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાક દરમિયાન રાધાક્રિષ્ના મંદિર રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન ચંદારાણા

વાંકાનેર : રાજકોટ : ગં.સ્વ. ચંદારાણા વિજયાબેન જયંતિલાલ (ઉ.વ.૮૩) તે ભરતભાઇ તથા હંસાબેન ઠક્કરના માતુશ્રી તથા ધ્રાંગધ્રાવાળા ક્રાંતિલાલ પુજારાના દિકરી તેમજ દિપેનભાઇ (દિવ્ય શકિત ફોનેસ), ધનેશભાઇ (એસ.બી.આઇ.) તથા નિશાબેન ઘેલાણીના મોટાબાનું તા. ર ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી તા. ૩ ને શનિવાર સાંજે ૪ થી ૬ શ્રી પંચનાથ મંદિર-રાજકોટ ખાતે રાખેલ છે.

ડો. ગિરધરભાઇ દિક્ષીત

બગસરાઃ ડો. ગિરધરભાઇ મૂળશંકરભાઇ દિક્ષિત(ઉ.૮૪)તે કનુભાઇ, કૃષ્ણકાંતભાઇના મોટાભાઇ જીતેન્દ્રભાઇ ઠાકરના સસરા તથા લલિતભાઇ, કિરીટભાઇ થયેલ છે. બેસણુ તા.૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર બગસરામાં રાખેલ છે.

ઉષાબેન મોદી

રાજકોટઃ મોઢ વણિક સ્વ.જમનાદાસ પરમાણંદદાસ મોદીના પત્ની ગ. સ્વ. ઉષાબેન જ. મોદી (ઉ.વ.૭૬) તે જતીનભાઇ મોદી (ઇન્સ્યુરન્સ એજન્ટ) તથા દિલીપભાઇ મોદીના માતુશ્રી અને દિપીકાબેન તથા પ્રતીક્ષાબેનના સાસુ તેમજ ચિંતન મોદી (દિવ્ય ભાસ્કર) વરીસા પાર્થ શાહ અમદાવાદ, માલવી જતીન મોદીના દાદી તા.રના શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવારે સાંજે પાંચ થી છ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ,રજપૂતપરા, ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રિયંકા બુંદેલા

રાજકોટઃ રાજેશભાઇ એ. બુંદેલા (એસ.બી.આઇ.)ની દિકરી સ્વ. પ્રિયંકા રાજેશભાઇ બુંદેલા સ્વર્ગવાસ થયેલ છે. જેમનું બેસણું તા.૩ના બુંદેલા સમાજની વાડી (રર, ન્યુ જાગનાથ) પ થી ૬ રાખેલ છે.

બટુકભાઇ રાઠોડ

રાજકોટઃ લુહાર જસદણવાળા (હાલ રાજકોટ) લુહાર બટુકભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ (ગીરનાર ટ્રેઇલર વાળા) (ઉ.વ.૭પ) તા.રના શ્રીરામ ચરણ પામેલ છે. તે નારાયણભાઇના નાનાભાઇ અને ચંદુભાઇના મોટાભાઇ અને પ્રકાશભાઇના બાપુજી અને પ્રદિપભાઇ તથા મેહુલભાઇના પિતાશ્રીનું બેસણું તા.૩ના બપોરે ૪-૩૦ થી ૬, શ્રી ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

કંચનબેન સુરેલિયા

 મોરબીઃ ગુર્જર સુથાર કંચનબેન માવજીભાઇ સુરેલિયા (ઉ.વ.૭૦) તે ગણેશભાઇ માવજીભાઇ, લીલાધરભાઇ માવજીભાઇ અને મનસુખભાઇ માવજીભાઇનાં માતાનું તા. ૨ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૫ને સોમવારે સવારે ૯ થી ૧૨ કલાકે ગામ નાનીબરાર તા. માળિયા (મિ.) જિલ્લો મોરબી મુકામે રાખેલ છે.