Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018
કેશોદના જાણીતા વેપારી જગજીવનભાઈ સોઢાના ધર્મપત્નીનું નિધનઃ ગુરૂવારે ઉઠમણુ

રાજકોટ :. કેશોદ નિવાસી જાણીતા વેપારી જગજીવનભાઈ વશરામભાઈ સોઢાના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ. ૭૫) તે હરસુખભાઈ (જૂનાગઢ) અને દીપકભાઈ (ગાંધીનગર) તથા મનીષાબેન અભાણી અને નિરૂબેન કોટકના માતુશ્રી તેમજ ડો. સાગર અને કિશનના દાદીમાંનું તા. ૨ એપ્રિલ સોમવારે કેશોદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. અંતિમયાત્રા આજે સવારે નિવાસ સ્થાન મધુકુંજ આંબાવાડી ખાતેથી નીકળી હતી. તેમનું ઉઠમણુ તા. ૫ એપ્રિલ ગુરૂવારે સાંજે ૪ થી ૫ લોહાણા મહાજન વાડી, કેશોદ ખાતે રાખેલ છે.(હરસુખભાઈનો મો. ૯૮૨૫૨ ૭૩૬૧૧-કેશોદ)

પૂ. ગો. વૈષ્ણવાચાર્યનો મંગલ લીલા પ્રવેશ : પૂ. પા. ગો. ૧૦૦૮ વલ્લભલાલજી મહારાજ પંચનાથ પ્લોટના મદનમોહન કુંજ હવેલીમાં બિરાજતા : વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી

રાજકોટ : શ્રીમદ્દ વલ્લભકુલ શીરોમણી પૂ. પા. ગો. ૧૦૦૮ શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી શ્રીમદ્દ ગોકુલ, બોરીવલી, જામખંભાળીયા હાલ શ્રી મદન મોહન કુંજ (હવેલી) ૧૫, પંચનાથ પ્લોટ, રાજકોટ બિરાજતાનો આજે ચૈત્ર વદ - ૩, તા.૩ને મંગળવારના લીલા પ્રવેશ (શ્રી હરીચરણ) થયેલ છે. સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિના પુષ્ટિપથ દર્શકના પરમ આદરણીય હતા. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ સંપ્રદાયમાં અતિ દુઃખની લાગણી પ્રસરી છે.

અવસાન નોંધ

કાંતાબેન જોશી

રાજકોટઃ રાજકોટ સૌરાષ્ટ્રજ બાજ ખેડવાળ બ્રાહ્મણ ધીરજલાલ છોટાલાલ જોશી (નિવૃત શિક્ષક આલ્ફ્રેડ હાઇસ્કુલ રાજકોટ)ના  ધર્મપત્ની કાન્તાબેન (ઉ.વ.૮૬) તે ડાયાભાઇ તથા ગૌરીશંકર જોશીના ભાભી તથા મહેશભાઇ, ગીરીશભાઇ, ડો.વિવેક જોશી, કમલેશ જોશી, ડો.ભાવેશ જોશી, અતુલભાઇ જોશીનાં કાકી તા.રના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પને ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી રામ મંદિર, રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ, ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

નિલાબેન જોશી

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સ્વ.મગનલાલ પોપટલાલ જોષીના પુત્રવધૂ નીલાબેન (રાજુબેન) (ઉ.વ.૬૦) તે રમેશભાઇના પત્ની, ધર્મેન્દ્ર, ધીરેનભાઇ (બોમજીસ કુરીયર) તથા નેહાબેન (ત્રંબા)ના મમ્મી, સંજયકુમાર જોષી (ત્રંબા વાળા)ના સાસુ, દિનેશભાઇ એમ. જોષી (બીઓબી), બકુલભાઇ, નલિનીબેન, ઇન્દુબેન, તથા નીતાબેન (નાગપુર)ના ભાભી, પ્રવિણભાઇ, રમેશભાઇ, દિનેશભાઇ, તેમજ હર્ષાબેનના બેનનું તા.૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પને ગુરૂવારે સાંજે પ થી ૭, ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ બોર્ડીંગ, જયંત કે.જી. મેઇન રોડ મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

રામકુંવરબેન મેઘનાથી

ઢાંક : માંગરોળ નિવાસી રામકુવરબેન દુર્લભગીરી મેઘનાથી (ઉ.૯૪) તે કલ્યાણગીરી દુર્લભગીરી મેઘનાથી ના માતુશ્રી તે પ્રકાશગીરીના દાદીમાં તા. ર ના કૈલાસવાસ થયેલ છે. શંખઢોળ-પૂજન વિધી તા. ૧ર ને ગુરૂવારે માંગરોળ મુકામે રાખેલ છે.

માલદેભાઈ ઓડેદરા

રાજકોટ : સ્વ. કરશનભાઈ વીરમભાઈ ઓડેદરાના સુપુત્ર માલદેભાઈ કરશનભાઈ ઓડેદરા (ઉ.વ.૪૮)નું તા.૨ને સોમવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને દ્વારીકાપુરીમાં રાખેલ છે. તા.૬ને શુક્રવારે મું. ચીકાસા, તા.જી. પોરબંદર, ચીકાસા મહેર સમાજ સમય : બપોરે ૨ થી ૬ (ઉત્તરક્રિયા / દિવો તા.૮ને રવિવારના રોજ જૂનાગઢ મુકામે રાખેલ છે.)

ઇન્દુબેન જોષી

ઓૈદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ માંગનાથ પીપળી વાળા હાલ પ્રાચી તીર્થ તિર્થગોર ઇન્દ્રવદન પોપટલાલ જોષી ના પત્ની સ્વ. ઇન્દુબેન ઇન્દ્રવદન જોષી તેમજ તિર્થગોર ભીખુભાઇ,હર્ષદભાઇ(ભવાની શૈક્ષણિક સંકુલ વાળા) લક્ષેશભાઇ,રાજેશભાઇ(ભવાની પાનવાળા) ના માતુશ્રી તેમજ સ્વ.રસિકભાઇ અને પ્રવિણભાઇનાં ભાભી તેમજ જેન્તીભાઇ બી.ત્રિવેદી,સ્વવિનોદભાઇ બી.ત્રિવેદી,બટુકભાઇ બી.ત્રિવેદી જગદિશભાઇ બી.ત્રિવેદી ના બેન નું સોમવાર તા.૨ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૫ ને ગુરુવારે પ્રાચી સમસ્ત બ્રહ્મસમાાજ ની વાડી ખાતે સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રભાબેન ત્રિવેદી

રાજકોટ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.પ્રાણશંકર રેવાશંકર ત્રિવેદીના ધર્મપત્નિ ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ.૯૦) તે જયવંતભાઈ, મહેશભાઈ (નિવૃત કોર્ટ કર્મચારી)ના માતુશ્રી તથા જીજ્ઞેશ (કોર્ટ કર્મચારી), દિપેશ, ધર્મેશના દાદીનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ વાડી, કાશી વિશ્વનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયલક્ષ્મીબેન આચાર્ય

મોરબી : જયલક્ષ્મીબેન વેણીલાલ આચાર્ય (ઉ.૮૯) તે સ્વ. વેણીલાલ ટપુલાલ આચાર્યના પત્ની (આસનસોલ વાળા) હાલ અમદાવાદ તથા સ્વ. નટવરલાલ, સ્વ. રમેશચંદ્ર તેમજ કિશોરચંદ્ર અને કાન્તુભાઇના ભાભી તેમજ કલ્પેશભાઇ આચાર્ય (શિક્ષક) ના ભાભુનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણું તા. પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શકિત પ્લોટ, અમૃતકુંજ ખાતે રાખેલ છે.

ભાજપ અગ્રણી ભુપતભાઈ બોદરના માતુશ્રીનું દુઃખદ અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટઃ દુધીબેન જશમતભાઈ બોદર (દુધીમા), (ઉ.વ.૮૦) તે રામજીભાઈ જશમતભાઈ બોદર (શ્રી ખોડીયાર એન્‍ડ મેન્‍યુ.), ભુપતભાઈ જશમતભાઈ બોદર (ટ્રસ્‍ટી શ્રી સૌરાષ્‍ટ્ર લેઉવા પેટલ સમાજ, રાજકોટ- નાથદ્વારા), પૂર્વ કોર્પોરેટર, ભાજપ વોર્ડપ્રભારીશ્રી રાજકોટ, જગદીશભાઈ જશમતભાઈ બોદર (મહાદેવ જીનીંગ પ્રેસીંગ પ્રા.લી., શિવમ- જેમીન પેટ્રોલીયમ, રાજકોટ) જયાબેન જયંતીલભાઈ ઠુમ્‍મરના માતુશ્રીનું તા.૧ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે ગોવર્ધન સોસા.ની બાજુમાં, મયુરનગર- ૧, અમીન માર્ગ, સ્‍નોહીલ એપાર્ટમેન્‍ટ પાછળ, પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.