Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021
અવસાન નોંધ

જયરાજભાઈ બારડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.વાલજીભાઈ અરજણભાઈ બારડ, સ્વ.ગોદાવરીબેન વાલજીભાઈ બારડના નાના પુત્ર જયરાજભાઈ વાલજીભાઈ બારડ (ઉ.વ.૫૪), તેઓ ગજેન્દ્રસિંહ, અશોકભાઈ, સ્વ.રમેશભાઈ બારડના નાનાભાઈ તેમજ ધાર્મિકના પિતા તથા ભરતભાઈ (ટીનો), નિલેશભાઈ, સંદીપભાઈ બારડના કાકાનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ ગુરૂવારના રોજ ટેલીફોનીક ૪ થી ૬ નિવાસસ્થળઃ અક્ષરનગર મેઈન રોડ ૨૫ ચો.મી. શેરીનં.૫, ગાંધીગ્રામ રાજકોટ, ગજેન્દ્રભાઈ મો.૯૯૭૯૬ ૦૫૦૧૬, અશોકભાઈ મો.૯૫૮૬૫ ૩૦૦૪૫, ધાર્મિક મો.૯૯૨૫૦ ૮૪૦૮૯

શ્રીકાંતભાઇ દેસાઇ

ગોંડલઃ સ્વ.છગનલાલ વિઠલજી શેઠ (એડવોકેટ)ના જમાઇ શ્રીકાંતભાઇ પાનાચંદભાઇ દેસાઇ તે સ્વ.કાંતિલાલ છગનલાલ શેઠ (એડવોકેટ) તથા અશ્વિનભાઇ શેઠ (યુ.એસ.એ) ના બનેવી તે સ્વ. મુકુલભાઇ શેઠ, કેતનભાઇ શેઠ (યુ.એસ.એ.) તથા દેવાશુંભાઇ શેઠ (એડવોકેટ) ના ફુવા તા.૨૭ (યુ.એસ.એ.)માં અહીહંત શરણ પામેલ છે

મંજુલાબેન શેઠ

રાજકોટઃ દશા સોરઠિયા વણિક રાવણાવાળા હાલ રાજકોટ હર્ષદરાય વ્રજલાલ શેઠના ધર્મપત્નિ મંજુલાબેન હર્ષદરાય શેઠ (ઉ.વ.૭૪) તે દિલીપભાઈ, પ્રવીણભાઈ તથા મુકેશભાઈ ગાદોયા, સ્વ.ભાનુબેન કઢી, ઈન્દુબેન આણંદપરા, નયનાબેન મુંજીયાસરાના બેન, મહેન્દ્રભાઈ શેઠના ભાભી તથા મીનાબેન છબીલલાલ સાંગાણી, ભાવેશભાઈ શેઠ તથા ચેતનભાઈ શેઠના માતુશ્રી, અ.સો.નીતાબેન શેઠ તથા જાગૃતિબેન (રૂપાબેન)ના સાસુ તથા જય, પાર્થ, માનસી, હિરલના દાદીમાનું તા.૧ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

વિપુલભાઈ એરડા

રાજકોટઃ વિપુલભાઈ કનકસિંહ એરડા (હિન્દુસ્તાન ટ્રાવેલ્સ) તે સ્વ.રમાબેન કનકસિંહ એરડાનાં મોટા પુત્ર તથા ઉષાબેન એરડાનાં પતિ તથા સ્વ.નિતીનભાઈ અને ધવલભાઈ એરડાનાં મોટાભાઈ અને ચિરાગ એરડા અને ઉષ્માબેનનાં પિતાશ્રી અને હાર્દિકભાઈ એરડા અને મિનલબેનનાં ભાઈજીનું તા.૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રાજેશ્વરીબેન ભટ્ટ

રાજકોટઃ કાન્યકુબ્જ બ્રાહ્મણ રાજેશ્વરીબેન કુમુદરાય ભટ્ટ (ઉ.વ.૬૨) (રાજકોટ નિવાસી) જે કુમુદરાય ચુનીલાલ ભટ્ટના ધર્મપત્નિ, શ્યામ કે. ભટ્ટ અને ધર્મેશ કે. ભટ્ટના માતુશ્રીનું તા.૨૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કુમુદભાઈ મો.૯૯૨૫૩ ૨૦૦૯૧, શ્યામભાઈ મો.૯૮૭૯૨ ૪૩૧૫૧, ધર્મેશભાઈ મો.૯૬૩૮૯ ૬૨૫૨૫

મુલચંદભાઇ તુલસીયાણી

મોરબી : હાલ રાજકોટ મુલચંદભાઇ ગાગનદાસ તુલસીયાણી તે રાજેશભાઇ તુલસીયાણી અને કમલેશભાઇ તુલસીયાણીના પિતાનું તા. ૨૮ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણુ અને પઘડી તા.૨ ના રોજ સાંજે ૫ કલાકે નિવાસસ્થાન 'રાજકમલ', ૧ પરસાણાનગર મેઇન રોડ રાજકોટ ૧ ખાતે રાખેલ છે.

ગોૈરીબેન રાઠોડ

ધ્રોલઃ ગોૈરીબેન પરષોત્તમભાઇ રાઠોડ (વાળંદ) તે સ્વ. પરષોત્તમભાઇ આણંદભાઇ રાઠોડના ધર્મપત્નિ, જીજ્ઞેશભાઇ, પ્રકાશભાઇ અને બાબાભાઇના માતુશ્રીનું તા. ૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વાળંદ શેરી, ધ્રોલ ખાતે રાખેલ છે. ટેલિફોનીક બેસણું (જીજ્ઞેશભાઇ-૯૮૭૯૭ ૮૨૨૪૪) રાખેલ છે.