અવસાન નોંધ
પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાના સાસુ માનાબેન નારણભાઈ બોળીયાનું દુઃખદ અવસાન
ગુરૂવારે સોરઠીયા વાડી પવનપુત્ર ચોક ખાતે બેસણું
રાજકોટ : મૂળ ઢાંઢીયા નિવાસી ભરવાડ માનાબેન નારણભાઈ બોળીયા (ઉ.વ.૭૦) તે શહેરના પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયાના સાસુ, તેમજ ભાજપ અગ્રણી રઘુભાઈ બોળીયા, લાખાભાઈ તથા નાથાભાઈના માતૃશ્રી તેમજ પ્રશાંત, ભાવેશ, આયુષના દાદીમાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ દરમ્યાન તેમના નિવાસસ્થાન સોરઠીયા વાડી, શેરી નં.૧, પવનપુત્ર ચોક પાસે રાખેલ છે.
મર્હુમા આયેશામા બુખારીનું કાલે સવારે ચહેલુમ શરીફ
રાજકોટ તા. ર :.. રાજકોટ શહેરના પૌરણિક ઔલિયા અને લાલપરી નદીના કાંઠા પાસે આરામ ફરમાવતા હઝરત પીર સૈયદ જલાલુદદીનબાવા બુખારી (રહે.) ની દરગાહના ગાદિપતિ પરિવારના 'મા સાહેબા', મર્હુમા હાજીયાણી આયેશામા ઉમરમીંયાબાપુ બુખારીના ચહેલુમ શરીફ અને અગિયારમી શરીફનો કાર્યક્રમ કાલે બુધવારે યોજવામાં આવેલ છે.
જેમાં તા. ૩ ના સવારે ૯ વાગ્યે મીલાદ શરીફ, ૧૦ વાગ્યે ચહેલુમ શરીફ દરગાહ શરીફે રાખવામાં આવેલ છે. તેમ અસગર અલીબાપુ, હાજી ઇકબાલબાપુ, હાજી ઇમ્તિયાઝબાપુની યાદી જણાવે છે.
જેન્તીલાલ પીઠવા
પાટણવાવ : જેન્તીલાલ મોરારજીભાઇ પીઠવા (ઉ.પ૯), (નિવૃત એસ.ટી.કર્મચારી) તે રસિકભાઇ તથા રમણીકભાઇ તથા ભરતભાઇના મોટાભાઇ તથા રાકેશભાઇ તથા ભાવેશભાઇ પીઠવાના પિતાશ્રીનું તા. ૧ ના રોજ અવસાન પામેલ છે.
પ્રવિણચંદ્ર દેવમુરારી
માણાવદર : પ્રવિણચંદ્ર નાથાલાલ દેવમુરારી (ઉ.૬૬) તે વિનુભાઇ, રાજુભાઇ ના મોટાભાઇ તથા ભાર્ગવના પિતાશ્રીનું તા. ૩૧ ના અવસાન થયું છે.બેસણું તા. ૪ ગુરૂવાર ૪ થી ૬, શ્રીરામ મંદિર ખાતે રાખેલ છે.
સારબાઇબેન
જસદણ : સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી સારબાઇબેન (ઉ.૯૦) તે મર્હુમ અબ્દુલભાઇ મુસાભાઇ ડેરૈયા (નિવૃત પોલીસ જમાદાર) ના પત્ની ઇસ્માઇલભાઇ, (જસદણ) હસીનાબેન (રાજકોટ)ના માતા તા. ૩૧ ના રોજ જસદણ મુકામે વફાત થયેલ છે. મર્હુમાની જીયારત (કુઆર્ન ખ્વાની) તા. ૩ ને બુધવારના રોજ સવારે ૧૦ કલાકે પુરૂષો માટે નગીના મસ્જિદે સ્ત્રીઓ માટે ઘાંચી જમાતખાના જસદણ ખાતે રાખેલ છે.
મનીષ ગણાત્રા
મોરબી : મનીષ જયંતીલાલ ગણાત્રા (ઉ.ર૦) તે જયંતીલાલ હરીલાલ ગણાત્રાના પુત્ર તથા રાજેશભાઇના નાનાભાઇ તેમજ સુમિતાબેન મુકેશકુમાર બુધ્ધદેવ અને નેહાબેન કેતનકુમાર પીઠડીયાના નાનાભાઇનું તા. ૩૧ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે પ કલાકે દરિયાલાલ પ્રભુનું મંદિર, નહેરુ ગેઇટ નજીક મોરબી રાખેલ છે.
રસીલાબેન ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ રસીલાબેન ગિરજાશંકર ભટ્ટ (ઉ.વ.૭૧) તે સ્વ. ભીષ્મકભાઇ અને ભરતભાઇના બહેન તે વિશ્વેશભાઇ અને યજ્ઞેશભાઇના ફૈબાનું તા. ૧ ને સોમવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી આશાપુરા માતાજી મંદિર કંપાઉન્ડમાં, પેલેસ રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.
ઘનશ્યામભાઇ જાની
વાસાવડ : ઘનશ્યામભાઇ કેશવલાલ જાની (ઉ.વ.પપ) તે જસવંત રાય કેશવલાલ જાની તથા રસીકલાલ કેશવ જાનીના લઘુબંધુ તથા વાસાવડના એન પી. જોષી (અકિલા પ્રેસ પ્રતિનિધિ) ના મામાનું અવસાન તા. ૩૧ ના થયેલ છે બેસણુ તા. ૪ ના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
વિજયસિંહ પઢીયાર
રાજકોટ : સ્વ.પંચાણજી જેમલજી પઢિયારના પુત્ર વિજયસિંહ પઢિયાર તે ભાવેશસિંહ પઢિયારના પિતાનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાન લક્ષ્મીનગર શેરી નં.૭, નોબલ સ્કૂલની બાજુમાં, સાંજે ૪ થી ૬ કલાકે તા.૪ને ગુરૂવારે રાખેલ છે.
ઉજીબેન તળાવીયા
રાજકોટ : વેલજીભાઈ રામજીભાઈ તળાવીયા, મગનભાઈ રામજીભાઈ તળાવીયા, (આરએસએસ રણછોડભાગ કાર્યવાહ, - રામકૃષ્ણ ઈલેકટ્રીકલ), હિરજીભાઈ રામજીભાઇ તળાવીયા, ભીમજીભાઈ રામજીભાઈ તળાવીયાના માતુશ્રી ઉજીબેન રામજીભાઈ તળાવીયા (ઉ.વ.૯૨) તા.૧ના રોજ વૈકુઠવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૪ ગુરૂવારના રોજ ૩ થી ૫ કલાકે મગનભાઇ રામજીભાઈ તળાવીયા વાત્સલ્ય, ૨-ગાંધી સ્મૃતિ સોસાયટી, શેરીનં.૨ મારૂતિનગર ૫૦ફુટ રોડ, કુવાડવા રોડ રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.(મો.૯૪૨૮૨ ૦૨૩૮૩)
અનંતરાયભાઇ રાવલ
ભાણવડ :. અનંતરાયભાઇ શાંતિલાલ રાવલ(ઉ.૭૦) (નિવૃત શિક્ષક ભોમીયાવદર સીમશાળા) તે કિરીટભાઇ તથા જીતુભાઇના પિતાજી તેમજ સ્વ. પ્રવિણભાઇ (કુતીયાણા) તથા હસમુખભાઇ (રાજકોટ)ના મોટાભાઇનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૪ ગુરૂવારના સાંજના ૪ થી ૪.૩૦ કલાક શ્રી વિશ્વકર્મા મંદિર, જુના સીનેમા રોડ, રણજીતપરા ખાતે રાખેલ છે.
ઉષાબેન દવે
જૂનાગઢ : ઉષાબેન (ઉ.પ૭) (શિક્ષકા મેંદપરા પ્રાથમિક શાળા) તે જયેશકુમાર મુગટલાલ દવે (પુરવઠા નિગમ) ના ધર્મપત્ની, તથા સીમા, વિશાલકુમાર તેમજ સ્વ. વિવેકનાં માતુશ્રી અને સ્વ. ભીખાલાલ પોપટલાલ વ્યાસ (ઢસા) નાં પુત્રીનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.
મર્સીબેન ઝાલા
રાજકોટ : સ્વ. રણજીતસિંહ ઝાલાના ધર્મપત્નિ સેલીના રોબીન ચંદાણી, વેલેન્ટીના, માર્ટીનના માતુશ્રી મર્સીબેન આર. ઝાલા (ઈ.એસ.આઈ.એસ. - કામદાર વિમા યોજના રીટાયર્ડ નર્સ)નું દુઃખદ અવસાન આજરોજ તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમક્રિયા સાંજે ૫ વાગ્યે જી. પી.ઓ. સામેના કબ્રસ્તાનમાં રાખેલ છે. તેમજ તા.૪ના ગુરૂવારે સાંજે ૫ વાગ્યે સી. એન. આઈ. ચર્ચ, મોચી બજાર, આઈ. પી. મિશન સ્કુલની બાજુમાં, પ્રાર્થનાસભા - શ્રદ્ધાસુમન રાખેલ છે.
મોનજીભાઈ ઘોરેચા
રાજકોટ : ગુર્જર સુતાર મોનજીભાઈ મુળજીભાઈ ઘોરેચા (ઉપલેટાવાળા) (ઉ.વ.૯૪) તે ચમનભાઈ, હસુભાઈ તથા મનોજભાઈના પિતાશ્રી અને પ્રદિપ, અમિત, પ્રણવ, હેતલએ પેશાવરીયા, ભાવિકા એ. વીસરોલીયા, વિભા પી. જાદવાણીના દાદાનું તા.૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સોમનાથ મહાદેવ મંદિર, કિશન પાર્ક, રાધે હોટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રવિતાબેન કુકરવાડીયા
રાજકોટ : મુળ ગામ જીવાપર (ટંકારા) હાલ રાજકોટ રવિતાબેન પાનાચંદભાઈ કુકરવાડીયા (વ્યાસ) (ઉ.વ.૯૨) તે ભીખાભાઈ પાનાચંદભાઈ કુકરવાડીયાના માતુશ્રી તથા હસમુખભાઈ, જયેશભાઈના દાદીમાંનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને શુક્રવારના સાંજે ૪ થી ૬ ભીડભંજન મહાદેવનું મંદિર, સાગર ચોક, દૂધ સાગર રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. મો. ૯૮૨૫૭ ૧૮૦૫૩.
જયાબેન ચૌહાણ
રાજકોટ : મુળગામ નિકાવા હાલ રાજકોટ નિવાસી નટવરલાલ નાથાલાલ ચૌહાણના ધર્મપત્નિ જયાબેન (ઉ.વ.૭૩) તે દેવજીભાઈ ચૌહાણના લઘુબંધુના પત્નિ સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. દિનેશભાઈના ભાભી તથા ભરતભાઈ, રાજેશભાઈ, ચંદ્રેશભાઈ, મીનાબેન તેમજ જયશ્રીબેનના માતુશ્રી તથા સ્વ. મોનજી ભવાનભાઈ વાજાર (ધ્રોલ)ના દિકરી તા.૩૧ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મોચી સમાજની વાડી, મોચી મંદિર, બંગડી બજાર રાજકોટ મુકામે રાખેલ છે.
સામાબેન ભારવાણી
રાજકોટઃ પોરબંદર લીલાબેન રામચંદ્ર માણેક ઝુલેલાલ મંદિરના પુજારી જામનભાઇ ત્રિકમદાસ ભારવાણીના માતા સામાબેન ભારવાણી (ઉ.૮૫)નું અવસાન થયેલ છે નેત્ર દાન કરેલ છે ન્યુ મહાવીરનગર-ર, ગોપાલ ચોક ગાંધીગ્રામ રાજકોટ.
ભગવાનજીભાઇ જાવિયા
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા ભગવાનજીભાઇ એમ. જાવીયાનું બેસણુ તા. ૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને 'ધર્મ ભકિત' હસનવાડી શેરી નં.ર, સહકાર મેઇન રોડ ખાતે રાખેલ છે.
નાગજીભાઇ બજાણીયા
રાજકોટઃ સ્વ.નાગજીભાઇ ધનજીભાઇ બજાણીયા(વાણંદ) (ઉ.વ.૭૪)નુ તા. ૩૧ના અવસાન થયેલ છે. તે ચતુરભાઇના મોટાભાઇ, જયેશભાઇ તથા નિતીનભાઇના પિતાશ્રી તથા વાઘેલા ભાણજીભાઇ કરમશીભાઇ તથા જગદીશભાઇ અને હરખજીભાઇના બનેવી તથા જીતેન્દ્રકુમાર બગથરીયા અને કિશોરભાઇ લાંધણોજાના સસરાનુ બેસણુ તા. ૪ના ગુરૂવારે બપોરે ૩ થી ૫ જનકલ્યાણ નગર-રપ, નિવાસ સ્થાને મોરબી ખાતે રાખેલ છે.
જસવંતિબેન અવલાણી
રાજકોટઃ જેતપુરઃ જસવંતિબેન પ્રાણલાલ અવલાણી (ઉ.વ.૮૪) તે જયશ્રીબેન કીરીટભાઇ મહેતા તથા શોભનાબેન શરદભાઇ શાહના માતુશ્રી તે રમણીકભાઇ પાનાચંદ અવલાણીના ભાભી તે લંડનવાળા બાલાચંદ આણંદજી બાવીસીના બેનનું તા. ૧ના રાજકોટ મુકામે અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ તથા પ્રાર્થના સભા તા.૪ના ગુરૂવારે સવારે ૧૦ કલાકે જેતપુર શ્રી દશાશ્રી માળી વણિક વાડીમાં રાખેલ છે.
બાબુભાઇ ગોદડકા
શાપર(વેરાવળ): વરીયા વંશ પ્રજાપતિ બાબુભાઇ પ્રેમજીભાઇ ગોદડકા તે કાન્તિભાઇ તથા મનસુખભાઇના પિતાશ્રી તા. ૧ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મનસુખભાઇ બાબુભાઇ ગોદરડકાના નિવાસ સ્થાને રાખેલ છે. મોવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.પ હિરેન હોલની સામે 'ચાંમુડા નિવાસ' ખાતે રાખેલ છે.
કિશનભાઈ દેવગણીયા
રાજકોટ : કિશનભાઈ નાનજીભાઈ દેવગણીયા (પ્રજાપતિ) તે ભાઈલાલભાઈના નાનાભાઈ અને દિનેશભાઈના મોટાભાઈ, તે લાભુબેન, સવિતાબેન અને કાંતાબેનના નાનાભાઈ, તે નિલેશભાઈ, નિરવભાઈ, હેતલબેન, મીતલબેનના પિતાશ્રીનું તા.૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના ગુરૂવારના રોજ વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ઉદયનગર - ૧, મવડી ચોકડી પાસે, ગોરાકુંભાર ચોક, ઈન્દ્રપ્રસ્થ હોલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.
લેઉવા પટેલ ગજેરા અને ડોબરીયા પરિવારમાં દુઃખદ અવસાનઃગુરૂવારે બેસણું
રાજકોટ : સ્વ.નિધીબેન રાજનભાઈ ગજેરા, સ્વ.રીટાબેન નિલેશભાઈ ડોબરીયા અને સ્વ.ત્રિશા નિલેશભાઈ ડોબરીયાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના ગુરૂવારે શ્યામ હોલની સામે, શ્રધ્ધા, ૪૦ ફૂટ રીંગ રોડ, પુરૂષાર્થ મહાદેવ મંદિરે રાખેલ છે.