Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018
અવસાન નોંધ

પ્રભાબેન વિસાવડીયા

રાજકોટઃ ગુર્જર સુથાર ગં.સ્વ. પ્રભાબેન મનસુખભાઇ વિસાવડીયા (ઉ.વ. ૭૮) તે મનસુખભાઇ જીવરાજભાઇ વિસાવડીયાના પત્નિ તથા રમેશભાઇ, રસિકભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇ, અશોકભાઇ, ભરતભાઇ, ભારતીબેન હરેશભાઇ પિલોજપરા, દક્ષાબેન મહેશભાઇ બદ્રકીયાના માતુશ્રી તથા વૃજલાલભાઇ, હરિભાઇ અને વસંતભાઇ ભેંસાણીયાના બહેનનું તા. ર૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૩ના સાંજે ૪ થી પ-૩૦ અને પિયર પક્ષનું બેસણું સાથે તેમના નિવાસસ્થાન બ્લોક નં.ફ ૬૪, લાલપરી પાર્ક, એચ. જે. સ્ટીલની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

બાબુલાલ ખીલોસીયા

રાજકોટઃ મહારાષ્ટ્રના આષ્ટી નિવાસી બાબુલાલ જેચંદભાઇ ખીલોસીયા (ઉ.૮ર) તે મનુભાઇ સુરેશભાઇ અને ચંદુભાઇના ભાઇનું તા. ર૯ના રોજ અવસાન થયેલ છે. સ્વનું બેસણું તા.૧ ને શનીવારે સાંજે ૪ થી પ શ્રી સુખડીયા કંદોઇ જ્ઞાતિનીવાડી-૧૦ દિવાનપરા રાજકોટ ખાતે રાખેલ છે.

દામજીભાઈ માંડવિયા

ચલાલાઃ દામજીભાઈ ધનજીભાઈ માંડવિયા (ઉ.વ. ૭૬) મિસ્ત્રી તે હસમુખભાઈ, કિશોરભાઈ, ચિમનભાઈ, અરવિંદભાઈ તથા લલીતભાઈ માંડવિયાના પિતાશ્રીનું અવસાન તા. ૩૦ને શુક્રવારે થયેલ છે. બેસણુ તા. ૧ને શનિવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન દાનેવ પ્લોટ ચલાલા રાખેલ છે. બેસણુ તા. ૩ને સોમવારે વિશ્વકર્માવાડી, લીલીયા રોડ અમરેલી રાખેલ છે.

ગજેન્દ્રસિંહ સોલંકી

રાજકોટઃ ગજેન્દ્ર સિંહ (ગોરધનભાઈ) રૂપસિંગભાઈ સોલંકી તે સ્વ.જોરસિંહભાઈ સોલંકીના નાનાભાઈ તેમજ કશ્યપભાઈ સોલંકીના કાકા તેમજ નિસીતભાઈ સોલંકીના દાદા તેમજ ભાવનાબેન (ભારતીબેન) સોલંકીના પતિનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ૨/૫ ગાયત્રીનગર, આદેશ એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

ધીરજબેન વાજા

વેરાવળ : ધીરજબેન દયાળજીભાઇ વાજા (ઉ.વ.૭૧) તે દીલીપભાઇ (ગાંધીધામ), વિનોદભાઇ (સુરત), મહેશભાઇ (સીઆરસી કો.ઓ. વેરાવળ) ના માતુશ્રી ના. ૩૦ ના રોજઅવસાન પામેલ છે. સદ્ગત નું બેસણું તા.૦૧ ને શનિવારે સાંજે૪ થી૬ કાશી વિશ્વનાથ મંદિર,, પોસ્ટ ઓફિસ રોડ વેરાવળ ખાતે રાખેલ છે.

અરૂણકુમાર શાહ

વેરાવળ : ખડાયતા વણીક અરૂણકુમાર જમનાદાસ શાહ (ઉ.વ.૬૧) તે સ્વ. ડાયાલાલ પરસોતમ શાહ વેરાવળવાળા ના જમાઇ તથા ધીરેન્દક્ષ્રભાઇ, રાકેશભાઇ, પ્રદિપભાઇ, પંકજભાઇ, જીતેન્દ્રભાઇ ના બનેવી તા. ૨૯ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૦૧ નેશનિવારે બપોરે ૩ થી ૫ શિવ સદન કોમ્પલેક્ષ, સટાબજાર ધીરેન્દ્રભાઇના નિવાસ સ્થાનેે રાખેલ છે

શશીકાંતભાઇ ચંદારાણા

વેરાવળ : શશીકાંતભાઇ બચુલાલ ચંદારાણા (ઉ.વ.૬૮) તે પ્રતિકભાઇ ચંદારાણાના પિતા તથા હરસુખભાઇ (નિવૃત કર્મચારી જી.ઇ.બી.) ધીરૂભાઇ (નિવૃત કર્મચારી બેન્ક ઓફ ઇન્ડીયા), રાજુભાઇ (પીપલ્સ બેંક વાળા) ના કાકા તા. ૨૭ ના રોજ જામનગરમાં અવસાન પામેલ છે.સદ્ગતનું બેસણું તા.૦૧ ના બપોરે ૪.૩૦ થી૬ લોહાણામહાજન વાડી વેરાવળ ખાતે રાખેલ છે.

રાજબારોટ પ્રતાપભાઇ

વેરાવળ :  પોરબંદર નિવાસી જેઠવા રાજશાખા મહેરના બારોટ પ્રતાપભાઇ બાબુભાઇ (ઉ.વ.૭૦) તે રમેશભાઇ, રસીકભાઇ, રાજુભાઇ,બકુલભાઇ, સકુબેન,સાવુબેન ના મોટાભાઇ તથા કુમારભાઇ, રણજીતભાલ, રાખીબેનના પિતાશ્રી તા. ૨૯ નારોજઅવસાન પામેલ છે. ઉઠમણું તા. ૦૧ ના રોજ સાંજ ે૫.૦૦ વાગ્યે જલારામનગર, રેલ્વે ફાટક પાસે તેમના નિવાસ સ્થાન વેરાવળ ખાતે રાખેલ છે.

વસંતબા ગોહિલ

રાજકોટ : મુળ ગામ ખીજડીયા (પાણખાણ) હાલ રાજકોટ ગં.સ્વ. વસંતબા કેશુભા ગોહિલ તે બટુકસિંહ, સ્વ.રાજેન્દ્રસિંહ, હસમુખસિંહ, શુભરાજસિંહ (ગુ.રા.બી. નિ.-રાજકોટ)ના માતુશ્રી, પૃથ્વીરાજસિંહ (સ્મુધ પ્લાસ્ટીક-રાજકોટ), જગતસિંહ, રવિરાજસિંહ, હાર્દિકસિંહના દાદીમા, સ્મિતરાજસિંહ - રાજવીરસિંહના દાદીમાનું તા.૩૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના સોમવારે સાંજે ૩:૩૦ થી ૫:૩૦ રાજનગર કોમ્યુનિટી હોલ (રાજનગર મંદિર) નાનામૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિલાલ મેર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય મેર શશીકાંતભાઈ તથા જગદીશભાઈના પિતા તેમજ દિક્ષિત તથા હિરેનના દાદા જયંતિલાલ  વિઠ્ઠલદાસ મેર (ઉ.વ.૯૨)નું તા.૩૦ના શુક્રવારે અવસાન થયેલ છે.

ધીરૂભાઈ સરવૈયા

જેતપુરઃ ધીરૂભાઈ બાવચંદભાઈ સરવૈયા (ઉ.વ. ૪૯) તે કપીલભાઈના પિતાશ્રીનું તા. ૩૦ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૩ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન બાવાવાળા પરા શેરી નં. ૩ ખાતે રાખેલ છે.