Gujarati News

Gujarati News

News of Wednesday, 26th December 2018

" વચનામૃત જયંતિ ઉત્સવ " : યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ મંદિર ( વડતાલ ધામ ) સમરસેટ ન્યુજર્સી મુકામે ઉમંગભેર ઉજવાઈ ગયેલો ઉત્સવ

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ ધામ) સમરસેટ મુકામે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણા અને પૂજ્ય 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદથી 15 ડિસેમ્બર 2018 શનિવારના રોજ  " વચનામૃત જયંતિ ઉત્સવ " ઉજવાઈ ગયો.જેનો  વિશાળ  સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ પરિવારોએ લાભ લીધો હતો.તેવું પૂજ્ય રામદાસ સ્વામીની યાદી જણાવે છે.

(11:55 am IST)