Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

વધુ અભ્યાસ માટે 2020 ની સાલમાં ભારતના 2,61,406 સ્ટુડન્ટ્સ વિદેશ ગયા : 2019 ની સાલમાં આ સંખ્યા 5,88,931 હતી : લોકસભામાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી.મુરલીધરને માહિતી આપી

ન્યુદિલ્હી : લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં લેખિત માહિતી આપતા કેન્દ્રના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી વી.મુરલીધરને જણાવ્યું હતું કે  2020 ની સાલમાં ભારતના 2,61,406 સ્ટુડન્ટ્સ વધુ અભ્યાસ માટે વિદેશ ગયા  હતા. આ સંખ્યા 2019 ની સાલમાં 5,88,931 હતી .

તેમણે બ્યુરો ઓફ ઇમિગ્રેશન પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યું હતું કે 2016 ની સાલમાં વધુ અભ્યાસ માટે ભારતમાંથી વિદેશોમાં જનારા સ્ટુડન્ટ્સની સંખ્યા 3,71,506  હતી.2017 ની સાલમાં 4,56,823 ,2018 ની સાલમાં 5,20,342 ,તથા 2019 ની સાલમાં 5,88,931 હતી.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)