Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

શિકાગોના સ્‍વામીનારાયણ મંદિરમાં પ્રિય પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ જયંતિની ઉજવણી આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં હરિભકતો દ્વારા નવમી ડિસેમ્‍બરે રવિવારે બપોરે ત્રણ વાગ્‍યાથી શરૂ થશેઃ પ્રમુખ સ્‍વામી મહારાજની નિસ્‍વાર્થ સેવાઓની સરાહના કરવામાં આવશે.: શિકાગોના સ્‍વામીનારાયણ મંદિર સાથે વર્ષો પુરાણો તેમનો નાતો રહ્યો હોવાથી હરિભકતો રંગે ચંગે તેની ઉજવણી કરશે.

 (કપિલાશાહ દ્વારા)  શિકાગો   : શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં સ્‍વામીનારાયણ સંપ્રદાયનુ  એક ભવ્‍ય કલાત્‍મક મંદિર આવેલ છે અને તેના સ્‍થાપક પૂ. પ્રમુખ સ્‍વામી હતા. આજથી બાર વર્ષ પૂર્વે બાર્ટલેટના આ મંદિર સાથે પ્રમુખ સ્‍વામી જોડાયેલા હતા. અને તેથી અત્રેના હરિભકતો સાથે તેમનો અનેરો નાતો રહેવા પામેલ છે.

આવતા ડીસેમ્‍બર માસમાં પૂજય પ્રમુખ સ્‍વામીના જન્‍મદિન આવતો હતો અત્રેના હરિભકતોએ તેને ધામધૂમથી ઉજવવાનો નિર્ણય  કરેલ છે. અને મદિરના પરિસરમાં તેની ધામધુમથી તૈયારીઓ ચાલી  રહેલ છે જેમા  અત્રેના હરિભકતો પણ સામેલ થયેલા જોવા મળે છે.

આવતા ડીસેમ્‍બર માસની ૯ તારીખને રવિવારે બપોરે ત્રણ વાગ્‍યાથી પ્રમુખ સ્‍વામીના જન્‍મદિન ઉજવણીનો કાર્યક્રમ શરૂ થશે અને આ કાર્યક્રમમાં નાની વયની કિશોરો તથા યુવાનો મોટી સંખ્‍યામાં ભાગ લેશે. અને તેઓ પ્રમુખ સ્‍વામી મહારાજને  તેમના જીવનકાળ દરમ્‍યિાન સમજ ઉપયોગી જે જે કાર્યો કરેલા તેની ઝાંખી તેઓ કરાવડાવશે આ અંગેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગયેલ છે.

(10:17 pm IST)