Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

પરિવારજનો જેને મૃતક માનતા હતા તે વ્યકિત અબુ ધાબીની જેલમાં હોવાનું ખૂલ્યૂઃ પ્રવાસી વીઝાની મુદત પુરી થઇ ગયા પછી UAEમાં રોકાઇ ગયેલા ભારતના ઉત્તર પ્રદેશના વતની વાસી અહમદને પરત ભારત મોકલાશેઃ દૂતાવાસ દ્વારા તજવીજ શરૂ

દુબઇઃ ફેબ્રુઆરી માસમાં પ્રવાસી વીઝા લઇ દુબઇ ગયેલો ભારતીય નાગરિક પરત નહીં ફરતા કે તેના કોઇ સમાચાર નહીં મળતા પરિવારજનોએ તેનું મૃત્યુ થયુ. હશે તેવું માની લીધ હતું. પરંતુ આ વ્યકિત અવ્યુ ધાબીની જેલમાં હોવાનું જાણવા મળ્યું છે.

હકીકતમાં ઉત્તર પ્રદેશના રામપુર જીલ્લાના રહેવાસી આ નાગરિક કોઇ એજન્ટ મારફત ૧ માસના પ્રવાસી વીઝા લઇ UAE ગયા બાદ ત્યાં કામ મળતા વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ ૨ માસ વધુ રોકાઇ ગયા હોવાનું જાણવા મળતા તેને સ્થાનિક સત્તાવાળાઓએ જેલમાં મોકલી દીધેલ આ નાગરિક વાસી અહમદને હવે ભારતના વાણિજય દૂતાવાસ દ્વારા ભારત પરત મોકલવાની વ્યસ્થા થઇરહી હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:42 pm IST)