Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

બ્રિટનમાં થનારી વસતિ ગણતરીમાં શીખોને અલગ કોમ તરીકે ગણવાનો સરકારનો ઇન્કાર : 120 ગુરુદ્વારા તથા શીખ સંગઠનો સહીઓ સાથે કોર્ટના દ્વાર ખખડાવશે

લંડન : બ્રિટનમાં 2021 ની સાલમાં થનારી વસતિ ગણતરીમાં શીખોને અલગ કોમ તરીકે ગણવાનો સરકારે  ઇન્કાર કર્યો છે.આથી નારાજ થયેલા શીખ સંગઠનો તથા 120 જેટલા ગુરુદ્વારાઓના સંચાલકોની  સહીઓ સાથે કોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી થયું હોવાનું જાણવા મળે છે.

કોર્ટમાં જતા પહેલા શીખ ફેડરેશને સરકારના મંત્રી મંડળને પત્ર લખી ફેર વિચારણા કરવા વિનંતી કરી છે.જેનો અમલ નહીં થાય તો સરકારને કોર્ટમાં પડકારાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)