Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોવિદ -19 : પવિત્ર રમઝાન માસ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમ દેશો મસ્જિદમાં આવવાને બદલે ઘેરબેઠા ઈબાદત કરવાનું કહી રહ્યા છે : પરંતુ પાકિસ્તાનના ઇમામોનો મસ્જિદમાં નમાજ પઢવાનો આગ્રહ

ઇસ્લામાબાદ : પવિત્ર રમઝાન માસ શરૂ થવામાં છે ત્યારે વિશ્વમાં કોરોના વાઇરસના કહેરને કારણે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવાનું હોવાથી મોટા ભાગના મુસ્લિમ દેશોએ પોતાના નાગરિકોને નમાજ પઢવા મસ્જિદમાં ભેગા થવાને બદલે ઘેરબેઠા ઈબાદત કરવાની સૂચના આપી છે.પરંતુ પાકિસ્તાનના ઇમામો  પોતાના અનુયાયીઓને નમાજ પઢવા મસ્જિદમાં આવવાનું જણાવી રહ્યા છે.તેમણે આ બાબતે સરકારને પત્ર પણ લખ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)