Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રમઝાન માસમાં લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહંમદને જકાત આપશો તો કાયદેસર કાર્યવાહી કરાશે : પાકિસ્તાન સરકારની નાગરિકોને ચેતવણી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા આતંકવાદી સંગઠનો લશ્કર એ તોઇબા અને જૈશ એ મોહમ્મદને રમઝાન માસમાં જકાત આપશો તો કાયદેસર કાર્યવાહી કરાશે તેવી ચેતવણી સરકારે નાગરિકોને આપી છે.
સરકારે જણાવાયા મુજબ  જો ઉપરોક્ત સંગઠનોને જકાત આપ્યાની ખબર પડશે તો તે બાબત ગુનો ગણી કાયદેસર કાર્યવાહી કરાશે
આ  બંને સંગઠનો સહીત પ્રતિબંધિત 79 સંગઠનોને જકાત આપવાની પાકિસ્તાન સરકારે નાગરિકોને મનાઈ ફરમાવી છે.
જોકે પાકિસ્તાન સરકારનું આ પગલું આંતર રાષ્ટ્રીય દબાણને કારણે છે કે સાચા દિલનું છે તે અનુમાનનો વિષય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)