Gujarati News

Gujarati News

News of Friday, 26th January 2018

NRI સાથે લગ્ન કર્યા પછી છેતરાવાથી પરત ભારત આવેલી મહિલાઓનો સર્વે કરાશેઃ શા કારણે પરત ફરવું પડે છે તેનું સંશોધન કરી નિરાકરણ લાવવા પ્રોજેકટ હાથ ધરાશેઃ ઇન્‍ડિયન કાઉન્‍સીલ ઓફ સોશીઅલ સાયન્‍સ રિસર્ચ (ICSSR) દ્રારા થઇ રહેલી વિચારણા

ન્‍યુદિલ્‍હીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનમાં આવી લગ્ન કરે છે પરંતુ આવા લગ્નો કેટલા ટકે છે તેમજ ભારતથી વિદેશ જતી યુવતિઓ સાથે કેવો વર્તાવ થાય છે તથા તેમને શા કારણે પરત ફરવું પડે છે સહિતની બાબતોનું સંશોધન કરવાનુ ‘‘ઇન્‍ડિયન કાઉન્‍સીલ ઓફ સોશિઅલ સાયન્‍સ રિસર્ચ (ICSSR) દ્વારા વિચારણા હેઠળ છે.

NRI યુવક સાથે લગ્ન કરી સુખી જીંદગી જીવવા માટે હોંશે હોંશે વિદેશ જતી યુવતિઓ સાથે થતી છેતરપીંડીના કિસ્‍સાઓ બહાર લાવવા તેમજ આ અંગે સચોટ નિરાકરણ લાવવા ઉપરોક્‍ત સંશોધન કરાશે. આ માટે માહિતિ મેળવવાનું શરૂ કરાયું છે. જે મળ્‍યે આ પ્રોજેકટને મંજુરી અપાશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:50 pm IST)