-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
માસૂમ બાળકોને ઘેર એકલા મુકી બહાર જતા રહેવાનું કૃત્ય ગૂનાહિત ગણવા રજુઆત : યુ.એસ.ના ટેકસાસમાં ભારતીય મૂળના દંપતિએ દતક લીધેલી બાળકી શેરીનનું મોત થતા થઇ રહેલી વિચારણાં
ટેકસાસ : અમેરિકાના ટેકસાસમાં માસૂમ બાળકોને ઘેર એકલા રાખી બહાર જતા રહેવાનું કૃત્ય ગૂનાહિત ગણવા સ્થાનિક કાર્યકરો તથા અગ્રણીઓ દ્વારા સરકાર સમક્ષ રજુઆત થઇ રહી છે.
જે માટે ટેકસાસમાં ભારતથી દતક લીધેલી ૩ વર્ષીય માસુમ બાળકીને એકલી ઘેર રાખી બહાર જતા રહેનાર ઇન્ડિયન અમેરિકન દંપતિ વેસ્લે મેથ્યુ તથા સિની મેથ્યુ ઉપર આ બાળકીની હત્યાનો આરોપ છે. જે મૃત્યુ થયું તે દિવસે રાત્રે ગૂમ જણાઇ હતી. તથા તે ગૂમ થયા બાદ દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાળકીનો મૃતદેહ બાદમાં મળી આવ્યો હતો. આમ માસૂમ બાળકને એકલા ઘેર રાખવાનું પરિણામ ભયંકર આવી શકે છે. તે બાબત ધ્યાને લઇ કાયદો લાવવાનું વિચારાઇ રહ્યું છે.
જો કે શેરીનના કેસમાં તેની હત્યા ખુદ પાલક પિતાએ જ કર્યાનો આરોપ છે. જેણે દુધ પીવા જેવી સામાન્ય બાબતનો ઇન્કાર કરતાં તેને બેરહેમ પણે માર મારી ઘર બહાર કાઢી મૂકી દંપતિ બહાર જતુ રહ્યું હતું તેવો આરોપો છે.