Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આજે ' ગીતા જયંતિ ' નિમિત્તે સમસ્ત વિશ્વમાં સામુહિક ગીતા પાઠ : ગીતાજીના 12 મા અથવા 15 મા અધ્યાયનો વ્યક્તિગત અથવા પરિવાર સાથે પઠન કરવા હિન્દૂ ધર્મ આચાર્ય સભાનો અનુરોધ : રાત્રે 8-30 કલાકે ' કીર્તન ભક્તિ ' ઓનલાઇન કાર્યક્રમ ફેસબુક અથવા યુ ટ્યુબ ઉપર માણવાનો મોકો

ટોરોન્ટો : SGVP ગુરુકુળ કેનેડાની યાદીમાં જણાવાયા મુજબ આજ 25 ડિસેમ્બર 2020 ના રોજ ગીતા જયંતિ નિમિત્તે સમસ્ત વિશ્વમાં સામુહિક ગીતા પાઠ કરવાનું આયોજન કરાયું છે.

 હિન્દૂ ધર્મ આચાર્ય સભાએ કરેલા અનુરોધ મુજબ સવારે 7-30 કલાકે ( EST ) સમય મુજબ અને  સાંજે 6 વાગ્યે ( ભારતીય સમય મુજબ ) ગીતાજીના 12 મા અથવા 15 મા અધ્યાયનો વ્યક્તિગત અથવા પરિવાર સાથે પઠન કરવા અનુરોધ કરાયો છે.

આ પાઠ કર્યા પછી વ્હોટ્સ એપ નં 98253 95030 અથવા 90990 92556 ઉપર જાણ કરવા વિનંતી કરાઈ છે.

ઉપરાંત રાત્રે 8-30 કલાકે  SGVP  ગુરુકુળના ઉપક્રમે ઓનલાઇન કીર્તન ભક્તિના કાર્યક્રમનું આયોજન કરાયું છે.જે ફેસબુક તથા યુ ટ્યુબ દ્વારા માણી શકાશે.તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(12:00 am IST)