-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Saturday, 23rd March 2019
પાકિસ્તાનના લાહોરમાં આવેલો શાદમાન ચોક હવેથી ''ભગતસિંહ ચોક'' તરીકે ઓળખાશેઃ આ ચોકમાં વીર ભગતસિંહ સહિત ૩ ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ હતી
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના લાહોરમાં ૨૩ માર્ચ ૧૯૩૧ના દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. લાહોરમાં ફાંસીની જગ્યા તરીકે ઓળખાતા શાદમાન ચોકનું નામ બદલી ભગતસિંહ ચોક રાખવાનું પ્રશાસને નક્કી કર્યુ છે તથા વીર ભગતસિંહને ક્રાંતિકારી નેતા તરીકે માન્યતા આપી છે. જે બાબત ફાંસીની ઘટનાના ૮૮ વર્ષ પછી સાકાર થતા ભગતસિંહ મેમોરીઅલ ફાઉન્ડેશનના ચેરમેન ઇમ્તિીયાઝ રાશિદ કુરેશીએ આવકારેલ છે.
સાથોસાથ તેમણે ભગતસિંહને નિશાન-એ-ખૈદરનો ખિતાબ આપવાની માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:53 pm IST)