Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કેનેડામાં ચીનના દૂતાવાસ સામે ભારતીયોના દેખાવો : લડાખ સરહદે 20 ભારતીય સૈનિકોના મોત નિપજાવનાર ચીન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો

ટોરોન્ટો : પડોશી દેશોની જમીન હડપ કરી રહેલા ચીને ભારતની લડાખ સરહદે ગલવાન ખાતે ઘર્ષણ કરી 20 ભારતીય સૈનિકોના મોત નિપજાવ્યાના વિદેશોમાં પણ પડઘા પડ્યા છે.જે અંતર્ગત કેનેડામાં આવેલા વાનકુંવર ખાતેના ચીની દૂતાવાસ સામે ત્રિરંગા સાથે ભારતીયો ભેગા થયા હતા.અને હાથમાં ત્રિરંગા સાથે ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચીન વિરુદ્ધ જાપાન ,ઓસ્ટ્રેલિયા ,અમેરિકા ,સહિતના દેશોએ પણ વિરોધ નોંધાવ્યો છે.તેમજ વિદેશોમાં વસતા ભારતીયો પણ કેનેડાના પગલે ચીની દૂતાવાસ સામે દેખાવો કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:15 pm IST)