Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

બાંગલાદેશના કટ્ટરપંથી હિફાઝત -એ-ઇસ્લામ જૂથે હિન્દુઓનાં ગામ પર હુમલો કર્યો : હજારોની સંખ્યામાં ધસી આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ 80 મકાનોમાં તોડફોડ કરી લૂંટફાટ મચાવી

ઢાકા : બાંગલાદેશમાં બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની પ્રતિમા લગાવવાનો વિરોધ કરનાર મૌલવીની એક હિન્દૂ યુવાને ટીકા કરતા કટ્ટરપંથી હિફાઝત -એ-ઇસ્લામ જૂથે  હિન્દુઓનાં ગામ પર હુમલો કર્યો હતો .આ હુમલામાં 80 મકાનોમાં તોડફોડ કરી લૂંટફાટ મચાવી હતી.

હજારોની સંખ્યામાં ધસી આવેલા સશસ્ત્ર હુમલાખોરોએ હિન્દુઓના ગામ ગણાતા નૌગાંવ ઉપર હુમલો કરી અનેક ઘરોમાં તોડફોડ કરી હતી.અને લૂંટફાટ કરી હતી.લોકોને ભયભીત કરી દીધા હતા.

પોલીસે સમગ્ર મામલાને અંકુશમાં લાવવા માટે યુવકની ધરપકડ કરી લીધી છે. દરમિયાન, કાશીપુર, નચની, ચાંદીપુર અને અન્ય મુસ્લિમ બહુમતીવાળા ગામોના હજારો લોકો સવારે 9 વાગ્યે નૌગાંવ પહોંચ્યા હતા અને હિફાઝત નેતા મામનુલ હકના સમર્થનમાં હિન્દુઓના ઘરો પર હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આ હુમલામાં 70 થી 80 ઘરોની તોડફોડ કરવામાં આવી છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:48 pm IST)