Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

યુ.એસ.ના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા ગુજરાતના વતની અમૃતભાઈ રણછોડજી પટેલનું દુઃખદ અવસાન : 17 ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા : સદ્દગતનું બેસણું 21 ડિસેમ્બરના રોજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન કોલોનીયા મુકામે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના મોટી ખારોડના વતની તથા નવસારી વિભાગ પટેલ સમાજના આસી ટ્રેઝરર શ્રી રમણભાઈ કે.પટેલના બ્રધર ઈન લો શ્રી અમૃતભાઈ રણછોડજી પટેલનું  78 વર્ષની વયે  17 ડિસેમ્બર 2019 મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે.તેઓ તેમના પત્ની શ્રીમતી લક્ષ્મીબેન તથા પુત્રો શ્રી તુષાર ,શ્રી હિતેશ ,અને શ્રી પરેશ ઉપરાંત  5 પૌત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.

સદ્દગતની સ્મશાનયાત્રા 19 ડિસેમ્બરના રોજ નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે યોજાઈ હતી.

બેસણું 21 ડિસેમ્બર 2019 ના રોજ સવારે 11 થી 2 વાગ્યા દરમિયાન 30 સાઉથ હિલ રોડ ,કોલોનીયા ન્યુજર્સી મુકામે રાખવામાં આવ્યું છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને  શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે.

(1:19 pm IST)