Gujarati News

Gujarati News

News of Wednesday, 18th December 2019

બ્રિટનના નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળના ૩ સાંસદોનું સ્થાન નિશ્ચિતઃ સુશ્રી પ્રીતિ પટેલ ફરીથી હોમ મિનીસ્ટર બની શકેઃ શ્રી આલોક શર્મા તથા શ્રી ઋુષિ સુનાકના નામો પણ જોનસન કેબિનેટમાં જળવાઇ રહેવાની શકયતા

લંડનઃ બ્રિટનના નવા મંત્રી મંડળમાં ભારતીય મૂળના ૩ સાંસદો સુશ્રી પ્રીતિ પટેલ, આલોક શર્મા, તથા ઋુષિ સુનાકનું સ્થાન નિશ્ચિત ગણાય છે.

સ્પષ્ટ બહુમતિ સાથે સત્તા હાંસલ કરનાર કન્ઝર્વેટીવ પાર્ટીના નવનિયુકત પ્રાઇમ મિનીસ્ટરના નવા મંત્રી મંડળમાં નિશ્ચિત મનાતા ઉપરોકત ૩ ભારતીયો પૈકી સુશ્રી પ્રીતિ પટેલ ફરીથી હોમ મિનીસ્ટર પદ મળી શકે છે.

જયારે શ્રી આલોક શર્માને ઇન્ટર નેશનલ જેવલપમેન્ટ મિનીસ્ટર તરીકે સ્થાન મળવાની શકયતા છે. જયારે ઇન્ફોસિસના સદસ્થાપક શ્રી નારાયણ મૂર્તિના જમાઇ શ્રી ઋુષિ સુનાક ચિફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરીના પદ ઉપર ચાલુ રહી શકે છે. તેવું ગઇકાલ મંગળવારે મળેલી મંત્રી મંડળ નિમણુંક મીટીંગના અહેવાલો દ્વારા જાણવા મળે છે.

 

(8:19 pm IST)