Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

શ્રી સ્‍વામિનારાયણ મંદિરનો ૧૭મો પાટોત્‍સવઃ યુ.એસ.ના નોર્વાક કેલિફોર્નિયામાં ૮ થી ૧૦ ડિસેં. ૨૦૧૭ દરમિયાન કરાયેલી ભાવભેર ઉજવણીઃ પોથીયાત્રા, કથાશ્રવણ, અભિષેક, અન્‍નકૂટ આરતી, સહિતના પ્રોગ્રામોથી ભક્‍તો ભાવવિભોર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં શ્રી સ્‍વામિનારાયણ મંદિર, નોર્વાક કેલિફોર્નિયા મુકામે ૮ થી ૧૦ ડિસેં. ૨૦૧૭ દરમિયાન ત્રિદિવસિય ૧૭મો પાટોત્‍સવ ઉજવાઇ ગયો.

પ્રથમ દિવસે ૮ ડીસેં. ના રોજ ભવ્‍ય પોથીયાત્રાનું આયોજન થયું હતું. બાદમાં કથા પ્રારંભ થયો હતો જે અંતર્ગત શાસ્‍ત્રીશ્રી યજ્ઞ પ્રકાશ સ્‍વામીએ ગુજરાતમાં કથા પઠન દ્વારા શ્રીકૃષ્‍ણ ભક્‍તિ નિસ્‍વાર્થ તથા પ્રેમ ભાવે મીરાબાઇની માફક કરવા અનુરોધ કર્યો હતો. તથા પ્રભુસ્‍મરણ,ધ્‍યાન,દર્શનથી ભક્‍તિ કરવા જણાવ્‍યું હતું.

બીજે દિવસે અભિષેક તથા અન્‍નકૂટ આરતીનું આયોજન કરાયું હતું. તથા ત્રીજા દિવસે કથા પઠન બાદ વિરામ ઘોષિત કરાયો હતો.

કથાના મુખ્‍ય યજમાન તરીકે સુશ્રી સદગુણાબેન દિનકરભાઇ, કથા યજમાન તરીકે સુશ્રી સોનીબા ચૌધરી પરિવાર, તથા સુશ્રી રશ્‍મિ પ્રકાશ પટેલ, વાઘા યજમાન શ્રી રાજુલભાઇ દિનેશભાઇ ગાલાને શ્રી નટવર પટેલએ બિરદાવ્‍યા હતાં. તથા ડો.દિલીપ પટેલએ વોલન્‍ટીઅર્સની મહેનતને બિરદાવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.  

(9:23 pm IST)