Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

‘‘ઇન્‍ડિયા એશોશિએશન ઓફ લોસ એન્‍જલસ (IALA)'': ૨૦૧૮ની સાલના બોર્ડ ઓફ ડીરેકટર્સના ચેરમેન તરીકે શ્રી વિનોદ મંછાણી સર્વાનુમતે ચૂંટાઇ આવ્‍યાઃ અમેરિકામાં ભારતીય સંસ્‍કૃતિ તથા પરંપરાના વ્‍યાપને આગળ ધપાવશે

લોસ એન્‍જલસઃ યુ.એસ.માં ‘‘ઇન્‍ડિયા એશોશિએશન ઓફ લોસ એન્‍જલસ (IALA)ના ૨૦૧૮ની સાલના બોર્ડ ઓફ ડીરેકટર્સની નિમણુંક થઇ ચૂકી છે.

નવા બોર્ડમાં શ્રી ઇન્‍દર સિંઘ, શ્રી રમણ ચઢા, શ્રી વિનિત પુરી, શ્રી કુમાર જાવા, શ્રી સતિષ તોમર, શ્રી રણજીત જોય, શ્રી જગદીશ (જેક) ખાંગૂરા, શ્રી સામ સિધુ, શ્રી યુસેફ પોઉલોસ, શ્રી હર્બન્‍સ (બોબ) બાવા, શ્રી બોબી શર્મા, શ્રી ઇકબાલ સમરા, શ્રી રવિ ગ્રેવાલ, શ્રી વિનોદ મંઘાણી, તથા શ્રી મુખ્‍તીયાર કંબોજનો સમાવેશ થયો છે.

બોર્ડના ચેરમેન તરીકે ૨૦ નવેં.૨૦૧૭ના રોજ શ્રી વિનોદ મંઘાણી સર્વાનુમતે ચૂંટાઇ આવ્‍યા છે.

૧૯૯૯ની સાલમાં સ્‍થપાયેલ IALA ભારતના ઐતિહાસિક તથા સમૃધ્‍ધ વારસાને આગળ ધપાવવા તેમજ ભારતની સંસ્‍કૃતિ અને પરંપરાનો વ્‍યાપ વધારવા કાર્યરત રહે છે. તથા તે માટે વર્ષ દરમિયાન વિવિધ ઉત્‍સવો ઉજવે છે. જેમાં કોંગ્રેસમેન, ભારતીય રાજદૂત, સહિત અગ્રણી કોમ્‍યુનીટી લીડરો હાજરી આપે છે.

(9:19 pm IST)