Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

અમેરિકામાં ન્યુજર્સી સ્થિત કોમ્યુનીટી અગ્રણી શ્રી સુનિલભાઇ નાયક (AIANA - ચાલો ગુજરાત)ના સસરા શ્રી દિનાનાથ નાયકનું દુઃખદ અવસાન : ૧૪ ડીસે. ર૦૧૭ના રોજ ૭૯ વર્ષની વયે ચિરવિદાય લીધી : સદ્દગતની અંતિમ યાત્રા ૧૮ ડીસે. સોમવારે બપોરે ૧ થી ૩ વાગ્યા દરમિયાન

(દિપ્તીબેન જાની દ્વારા)  ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત શ્રી સુનિલભાઇ નાયક ( AIANA- ચાલો ગુજરાત) ના સસરા શ્રી દિનાનાથ નાયકનું ૧૪ ડીસે. ર૦૧૭ના રોજ ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે.

તેઓ તેમની પાછળ તેમના પત્ની શ્રીમતી નિલાબેન પુત્ર શ્રી પંકજભાઇ તથા પુત્રીઓ સુશ્રી વંદનાબેન તથા સુશ્રી કામિનીબેન સહિત વિશાળ સંખ્યામાં ચાહકોને વિલાપ કરતા છોડી ગયા છે.

સદ્ગતની અંતિમ યાત્રા ૧૮ ડીસે. સોમવારે બપોરે ૧ થી ૩ વાગ્યા દરમિયાન ફ્રેંકલિન મેમોરીઅલ પાર્ક (કોઝેન્સ લેન તથા રૂટ નં. ર૭ કોર્નર) ૧૮૦૦ સ્ટેટ રૂટ ર૭ (લિન્કોલ્ન હાઇવે) નોર્થ બ્રન્સવીક, ન્યુજર્સી (૭૩ર-પ૪પ-૪૧૮૪) મુકામે રાખવામાં આવેલ છે.

વિશેષ માહિતી માટે શ્રી સુનિલભાઇ નાયકનો કોન્ટેક નં. (૭૩ર) પ૪પ-૭૦૯૯ દ્વારા સંપર્ક સાધવા શ્રી સુનિલ નાયકની યાદીમાં જણાવાયું છે.

(1:01 pm IST)