Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપ વચ્ચે મસ્જીદે જવાનું બંધ કરી ઘરમાં નમાજ પઢો : કાશ્મીર ખીણના લોકોને બ્રિટનમાં સ્થાયી થયેલા વતનના ડોક્ટરોની અપીલ

લંડન :  બ્રિટનમાં સ્થાયી થયેલા કાશ્મીર ખીણના વતની ડોક્ટરોએ હાલમાં ખીણમાં વધી રહેલા કોરોના વાઇરસના વ્યાપ વચ્ચે પોતાના  વતનના નાગરિકોને માસ્ક પહેરવાની અને મસ્જીદે જવાને બદલે ઘેર નમાજ પઢવાની સલાહ આપી છે.
બ્રિટિશ કાશ્મીર મેડિકલ એશોશિએશનના પ્રેસિડન્ટ ડો.ફારુખ તથા ડો.સાહીન સોરાએ ઉપરોક્ત અપીલ કરવાની સાથે કોરોનથી બચવા માટે તબીબોની સલાહને અનુસરવા અરજ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:07 pm IST)