Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં ISCON દ્વારા ‘‘નૃસિંહ જયંતિ'' ઉત્‍સવ ઉજવાયોઃ સ્‍વામીશ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતીએ નરસિંહ અવતાર તથા ભક્‍ત પ્રહલાદ વિષે પ્રાસંગિક કથાવાર્તા કરી

ભારતીય સંસ્‍કૃતિની પરંપારા સમી સંસ્‍થા ઇસ્‍કોન (ISCON) દેશ પરદેશમાં પથરાયેલી છે. જેમાં લાખો ભક્‍તો જોડાયેલા છે. આ સંસ્‍થાની સ્‍થાપના પ.પૂ. શ્રી પ્રભુપાદશ્રીએ કરી હતી. આ સંસ્‍થાની ખૂબી છે કે તેમાં મોટાભાગના પરદેશી (ગોરા) લોકો જોડાયેલા છે. અને સંચાલન પણ કરે છે. ISCON નો મંત્ર ‘‘હરેકૃષ્‍ણ કૃષ્‍ણ હરે હરે, હરે  રામ રામ રામ હરે ...'' કેલીફોરનીયાના સીલીકોન વેલીમાં ૧૯૬૫ લોથલ સ્‍ટ્રીટ-માઉન્‍ટેન વ્‍યુ સીટી ખાતે ઇસ્‍કોન સીલીકોનવેલી સેન્‍ટર ચાલે છે. પ.પૂ.શ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતિના અધ્‍યક્ષ સ્‍થાને અનેક આધ્‍યાત્‍મિક પ્રવૃતિઓ ચાલે છે. તા.૧૭મે શુક્રવારના રોજ આ મંદિર ખાતે નૃષી જયંતિનો ઉત્‍સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો. જેમાં ૩૦૦ જેટલા ભક્‍તોએ લાભ લીધો હતો. શરૂઆતમાં સ્‍વામી શ્રી સચ્‍ચિદાનંદ સરસ્‍વતિએ નૃષી ભગવાન અવતાર અને ભક્‍ત પ્રહલાદ વિષે સુંદર પ્રાસંગિક કથાવાર્તા કરી હતી. ત્‍યારબાદ ભજન,કિર્તન, ધૂન કરાઇ હતી. આ સંસ્‍થાના ભક્‍તોએ ઉઘરાવેલ દાન તથા શ્રીમદ્દ ભગવત ગીતાનું વિતરણ વિષેની માહિતી શ્રીમતિ માલીની દેવીએ આપી હતી. આરતી બાદ સૌએ મહાપ્રસાદ માણ્‍યો હતો. (માહિતીઃ સી.બી.પટેલ-ફ્રીમોન્‍ટ) તેવું શ્રી સુભાષ શાહ દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)