Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

''હરિધામ મંદિર મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં નવનિર્મિત હરિધામ મંદિરમાં ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશેઃ યોગી ડિવાઇન સોસાયટી આયોજીત ત્રિદિવસિય મહોત્સવ અંતર્ગત આંતર રાષ્ટ્રિય યુવા સંમેલન, યજ્ઞ, મહાપૂજા, સાંસ્કૃતિ કાર્યક્રમો તથા વેદોકત વિધિ મુજબ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન

(ફોટો.yogi-1)હેડીંગ મેટર (yogi) મેટરમાં પ્રિન્ટ મુજબ

 

ઙ્ગ(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન હરિધામ મંદિર મહોત્સવ ઉજવાશે.

શ્રી ઠાકોરજી અન પ્રગટ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના સંકલ્પ અને આશિર્વાદના ફળસ્વરૂપ અમરિકામાં ન્યુજર્સી ખાતે ''હરિધામ મંદિર''નું બાંધકામ પૂર્ણ થયું છે.

આ મંગલ પ્રસંગે વેદોકત વિધિ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. જે અંતર્ગત ૫ થી ૭ જુલાઇ ૨૦૧૯ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ૫ જુલાઇ શુક્રવારના રોજ બપોરે ૪-૩૦ થી રાત્રિના ૯ વાગ્યા દરમિયાન આંતર રાષ્ટ્રિય આત્મીય યુવા અધિવેશન યોજાશે.

૬ જુલાઇ શનિવારે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન યજ્ઞ તથા મહાપૂજા અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

સાત જુલાઇ રવિવારના રોજ  સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા તથા મહોત્સવ સભા યોજાશે.

ત્રિદિવસિય મહોત્સવનું સ્થળ બર્કવુડ મેનોર, ૧૧૧ નોર્થ જેફરસન રોડ, વ્હીપની ન્યુજર્સી છે.

રજીસ્ટ્રેશન haridhmanj.org/mahotsav દ્વારા થઇ શકશે. તેવું શ્રી જય પટેલની યાદી જણાવે છે.

(7:22 pm IST)