-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 6th November 2019
લંડન સ્થિત NRI મહિલા સુશ્રી નિહારિકા દેસાઇને ૨.૪૨ કરોડ રૂપિયા ચૂકવી દયોઃ ગુજરાત હાઇકોર્ટનો ઓરીએન્ટલ વીમા કંપનીનો આદેશઃ ૧૯૯૫ની સાલમાં સુરતમાં થયેલા અકસ્માતથી પતિનું અવસાન થતા માંગેલુ વળતર મંજુર
લંડનઃ ૧૯૯૫ની સાલમાં સુરતમાં થયેલા અકસ્માતથી મૃત્યુ પામેલા યુ.કે.ના NRI નરેશ દેસાઇનું મૃત્યુ નિપજતા તેમના પત્ની નિહાસિકા દેસાઇએ ઓરીએન્ટલ વીમા કંપની પાસેથી વળતર માટે કરેલા દાવાનો આખરે ૨૪ વર્ષ બાદ નિકાલ થયો છે. જે મુજબ ગુજરાત હાઇકોર્ટએ નિહારીકા દેસાઇને ૨.૪૨ કરોડ ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં ટ્રિબ્યુનલે મૃતકની વિધવાને ૭૯.૦૩ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી દેવાનો વીમા કંપનીને આદેશ આપ્યો હતો. જે સામે વળતરની રકમ ઘટાડવા વીમા કંપનીએ હાઇકોર્ટ સમક્ષ દાદ આપી હતી જે નામંજુર કરી હાઇકોર્ટએ ટ્રિબ્યુનલનો ચૂકાદો યથાવત રાખતો હુકમ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:55 pm IST)